Ahmedabad : પોલીસની હાજરીમાં થયો હુમલો! દબાણ હટાવવા ગયેલા AMCના ડે.કમિશનર પર ટોળાએ કર્યો હુમલો, કર્યા લોહીલુહાણ....


  • Published By :
  • Published Date : 2023-10-26 11:30:35

દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે અધિકારીઓ દબાણ હટાવવા જાય છે ત્યારે ત્યારે તેમની ઉપર હુમલો થવાની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. તેવા સમચારો અનેક વખત જોયા અને વાંચ્યા હશે, ત્યારે આ સમાચાર પણ તેના જ છે. અમદાવાદ શહેરના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર રમ્ય ભટ્ટને એવી રીતે ઘાયલ કરાયા કે તે લોહીલુહાણ થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ કર્યો હુમલો  

લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત હોય છે. પરંતુ જો કોઈ અધિકારી પર પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો? પોલીસના નજરોની સામે અધિકારીને લોહીલુહાણ કરવામાં આવે તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોડી રાત્રે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પર ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. ટીમ સિવિલ વિસ્તારની આસપાસ દબાણ દૂર કરવા ગયા અને તેમના પર જીવલેણ હુમલો થયો એ પણ પોલીસની હાજરીમાં.


દબાણ હટાવતી વખતે બની દુર્ઘટના 

સિવિલ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવા માટે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. તે કાફલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હતા. જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી તે સમયે ટોળું ત્યાં આવ્યું અને ડે. કમિશનર પર હુમલો કર્યો. ટોળાએ ડે. કમિશનરને ઘેરી લીધા અને એટલા માર્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. 

સારવાર અર્થે ડે.કમિશનરને હોસ્પિટલ ખસેડાયા

ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તેમની સારવાર શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે નોનવેજની લારીના દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. પહેલા આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ અને તે બાદ આ ઘટના બની છે. ડે.કમિશનર પર એ ટોળાએ એવો ઘાતકી હુમલો કર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. પોલીસની હાજરીમાં જો અધિકારીની આવી હાલત થતી હોય તો પછી લુખ્ખા તત્વો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. 


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી 

સરકારી અધિકારી સાથે જયારે આવી ઘટનાઓ બને છે, પોલીસની હાજરીમાં જો ડે. કમિશનર પર આ પ્રકારનો હુમલો થઈ શકે છે, તો બીજા માણસોની સ્થિતિ વિશે તો વાત જ ન થાય. આ ઘટનાએ લઈ ઘણા સવાલ ઉભા થાય છે કારણ કે આવા લોકોને સિસ્ટમનો કોઇ ડર જ નથી? જો લુખ્ખા તત્વો કમિશનર પર આવો ઘાતકી હુમલો કરી શકે તે કોઈ પર પણ હુમલો કરી શકે છે... હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.