Ahmedabad : પોલીસની હાજરીમાં થયો હુમલો! દબાણ હટાવવા ગયેલા AMCના ડે.કમિશનર પર ટોળાએ કર્યો હુમલો, કર્યા લોહીલુહાણ....


  • Published By :
  • Published Date : 2023-10-26 11:30:35

દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે અધિકારીઓ દબાણ હટાવવા જાય છે ત્યારે ત્યારે તેમની ઉપર હુમલો થવાની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. તેવા સમચારો અનેક વખત જોયા અને વાંચ્યા હશે, ત્યારે આ સમાચાર પણ તેના જ છે. અમદાવાદ શહેરના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર રમ્ય ભટ્ટને એવી રીતે ઘાયલ કરાયા કે તે લોહીલુહાણ થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ કર્યો હુમલો  

લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત હોય છે. પરંતુ જો કોઈ અધિકારી પર પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો? પોલીસના નજરોની સામે અધિકારીને લોહીલુહાણ કરવામાં આવે તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોડી રાત્રે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પર ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. ટીમ સિવિલ વિસ્તારની આસપાસ દબાણ દૂર કરવા ગયા અને તેમના પર જીવલેણ હુમલો થયો એ પણ પોલીસની હાજરીમાં.


દબાણ હટાવતી વખતે બની દુર્ઘટના 

સિવિલ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવા માટે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. તે કાફલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હતા. જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી તે સમયે ટોળું ત્યાં આવ્યું અને ડે. કમિશનર પર હુમલો કર્યો. ટોળાએ ડે. કમિશનરને ઘેરી લીધા અને એટલા માર્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. 

સારવાર અર્થે ડે.કમિશનરને હોસ્પિટલ ખસેડાયા

ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તેમની સારવાર શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે નોનવેજની લારીના દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. પહેલા આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ અને તે બાદ આ ઘટના બની છે. ડે.કમિશનર પર એ ટોળાએ એવો ઘાતકી હુમલો કર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. પોલીસની હાજરીમાં જો અધિકારીની આવી હાલત થતી હોય તો પછી લુખ્ખા તત્વો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. 


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી 

સરકારી અધિકારી સાથે જયારે આવી ઘટનાઓ બને છે, પોલીસની હાજરીમાં જો ડે. કમિશનર પર આ પ્રકારનો હુમલો થઈ શકે છે, તો બીજા માણસોની સ્થિતિ વિશે તો વાત જ ન થાય. આ ઘટનાએ લઈ ઘણા સવાલ ઉભા થાય છે કારણ કે આવા લોકોને સિસ્ટમનો કોઇ ડર જ નથી? જો લુખ્ખા તત્વો કમિશનર પર આવો ઘાતકી હુમલો કરી શકે તે કોઈ પર પણ હુમલો કરી શકે છે... હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.