Ahmedabad : પોલીસની હાજરીમાં થયો હુમલો! દબાણ હટાવવા ગયેલા AMCના ડે.કમિશનર પર ટોળાએ કર્યો હુમલો, કર્યા લોહીલુહાણ....


  • Published By :
  • Published Date : 2023-10-26 11:30:35

દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે અધિકારીઓ દબાણ હટાવવા જાય છે ત્યારે ત્યારે તેમની ઉપર હુમલો થવાની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. તેવા સમચારો અનેક વખત જોયા અને વાંચ્યા હશે, ત્યારે આ સમાચાર પણ તેના જ છે. અમદાવાદ શહેરના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર રમ્ય ભટ્ટને એવી રીતે ઘાયલ કરાયા કે તે લોહીલુહાણ થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ કર્યો હુમલો  

લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત હોય છે. પરંતુ જો કોઈ અધિકારી પર પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો? પોલીસના નજરોની સામે અધિકારીને લોહીલુહાણ કરવામાં આવે તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોડી રાત્રે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પર ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. ટીમ સિવિલ વિસ્તારની આસપાસ દબાણ દૂર કરવા ગયા અને તેમના પર જીવલેણ હુમલો થયો એ પણ પોલીસની હાજરીમાં.


દબાણ હટાવતી વખતે બની દુર્ઘટના 

સિવિલ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવા માટે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. તે કાફલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હતા. જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી તે સમયે ટોળું ત્યાં આવ્યું અને ડે. કમિશનર પર હુમલો કર્યો. ટોળાએ ડે. કમિશનરને ઘેરી લીધા અને એટલા માર્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. 

સારવાર અર્થે ડે.કમિશનરને હોસ્પિટલ ખસેડાયા

ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તેમની સારવાર શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે નોનવેજની લારીના દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. પહેલા આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ અને તે બાદ આ ઘટના બની છે. ડે.કમિશનર પર એ ટોળાએ એવો ઘાતકી હુમલો કર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. પોલીસની હાજરીમાં જો અધિકારીની આવી હાલત થતી હોય તો પછી લુખ્ખા તત્વો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. 


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી 

સરકારી અધિકારી સાથે જયારે આવી ઘટનાઓ બને છે, પોલીસની હાજરીમાં જો ડે. કમિશનર પર આ પ્રકારનો હુમલો થઈ શકે છે, તો બીજા માણસોની સ્થિતિ વિશે તો વાત જ ન થાય. આ ઘટનાએ લઈ ઘણા સવાલ ઉભા થાય છે કારણ કે આવા લોકોને સિસ્ટમનો કોઇ ડર જ નથી? જો લુખ્ખા તત્વો કમિશનર પર આવો ઘાતકી હુમલો કરી શકે તે કોઈ પર પણ હુમલો કરી શકે છે... હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.