Ahmedabad : પોલીસની હાજરીમાં થયો હુમલો! દબાણ હટાવવા ગયેલા AMCના ડે.કમિશનર પર ટોળાએ કર્યો હુમલો, કર્યા લોહીલુહાણ....


  • Published By :
  • Published Date : 2023-10-26 11:30:35

દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે અધિકારીઓ દબાણ હટાવવા જાય છે ત્યારે ત્યારે તેમની ઉપર હુમલો થવાની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. તેવા સમચારો અનેક વખત જોયા અને વાંચ્યા હશે, ત્યારે આ સમાચાર પણ તેના જ છે. અમદાવાદ શહેરના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર રમ્ય ભટ્ટને એવી રીતે ઘાયલ કરાયા કે તે લોહીલુહાણ થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર ટોળાએ કર્યો હુમલો  

લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત હોય છે. પરંતુ જો કોઈ અધિકારી પર પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો? પોલીસના નજરોની સામે અધિકારીને લોહીલુહાણ કરવામાં આવે તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોડી રાત્રે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પર ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. ટીમ સિવિલ વિસ્તારની આસપાસ દબાણ દૂર કરવા ગયા અને તેમના પર જીવલેણ હુમલો થયો એ પણ પોલીસની હાજરીમાં.


દબાણ હટાવતી વખતે બની દુર્ઘટના 

સિવિલ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવા માટે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. તે કાફલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ હતા. જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી હતી તે સમયે ટોળું ત્યાં આવ્યું અને ડે. કમિશનર પર હુમલો કર્યો. ટોળાએ ડે. કમિશનરને ઘેરી લીધા અને એટલા માર્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. 

સારવાર અર્થે ડે.કમિશનરને હોસ્પિટલ ખસેડાયા

ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તેમની સારવાર શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે નોનવેજની લારીના દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. પહેલા આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ અને તે બાદ આ ઘટના બની છે. ડે.કમિશનર પર એ ટોળાએ એવો ઘાતકી હુમલો કર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. પોલીસની હાજરીમાં જો અધિકારીની આવી હાલત થતી હોય તો પછી લુખ્ખા તત્વો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. 


AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે  ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા | AMC Deputy Commissioner Ramya Bhatt  assaulted, shifted to hospital

ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી 

સરકારી અધિકારી સાથે જયારે આવી ઘટનાઓ બને છે, પોલીસની હાજરીમાં જો ડે. કમિશનર પર આ પ્રકારનો હુમલો થઈ શકે છે, તો બીજા માણસોની સ્થિતિ વિશે તો વાત જ ન થાય. આ ઘટનાએ લઈ ઘણા સવાલ ઉભા થાય છે કારણ કે આવા લોકોને સિસ્ટમનો કોઇ ડર જ નથી? જો લુખ્ખા તત્વો કમિશનર પર આવો ઘાતકી હુમલો કરી શકે તે કોઈ પર પણ હુમલો કરી શકે છે... હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.