અમદાવાદઃ માણેકચોકમાં મકાન કડડડ ભૂસ્સસસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:33:00

આજે અમદાવાદ શહેરમાં 2 માળનું મકાન ધરાશાયી થયું હતું. શહેરના ઝુંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું 2 માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં. જ્યારે ઘટના બની ત્યારે તેમાં 3 લોકો ફસાયા હતા. જેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થઈ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. 


અમદાવાદ ફાયર બ્રિગેડનું કામ 

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી. ફાયર વિભાગને માહિતી મળી હતી કે 2 માળનું મકાન ધરશાયી થયું છે જેમાં 3 લોકો ફસાયા છે. તુરંત જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં એક યુવક અને એક વૃદ્ધ ફસાયા હતા. જેમાં બંનેનું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધની હાલત ગંભીર હોવાથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. જ્યારે ઘટના સ્થળે રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.


ધરાશાયી થયેલું મકાન જર્જરીત હતું 

જે મકાન ધરાશાયી થયું હતું તે 60 વર્ષ જૂનું મકાન હોવાનું કેહવામાં આવી રહ્યું છે. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક ખાતે આ મકાન ધરાશાયી થયું.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે