Ahmedabad : ચિલોડા નજીક બની Hit And Runની ઘટના, નશાની હાલતમાં હતો ડ્રાઈવર ગાડીમાંથી મળી આવી બોટલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 11:16:47

અમદાવાદમાં પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી હોય તેવું લાગે છે. હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના મોત પણ થતા હોય છે. થોડા સમય પહેલા શિવરંજની નજીક એક ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે બાદ આવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના ચિલોડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ચિલોડા-કરાઈ રોડ પાસે આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે.

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં  અકસ્માત કર્યો હોવાનો આરોપ

ચિલોડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના  

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અનેક વખત ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોય છે જેને કારણે લોકો મોતને ભેટે છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ બધા વચ્ચે અમદાવાદ ચિલોડા-કરાઈ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં ડ્રાઈવર હોય તેવી માહિતી સામે આવી છે.  મળતી માહિતી મુજબ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી છે. 


એક વ્યક્તિનું આ અકસ્માતમાં થયું મોત 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ડી.જી.ઓફિસની એમ.ટી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ચિરાગ વાઘેલા નામના કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. ઉપરાંત કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કારચાલક ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી