Ahmedabad : ચિલોડા નજીક બની Hit And Runની ઘટના, નશાની હાલતમાં હતો ડ્રાઈવર ગાડીમાંથી મળી આવી બોટલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 11:16:47

અમદાવાદમાં પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી હોય તેવું લાગે છે. હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના મોત પણ થતા હોય છે. થોડા સમય પહેલા શિવરંજની નજીક એક ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે બાદ આવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના ચિલોડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ચિલોડા-કરાઈ રોડ પાસે આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે.

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં  અકસ્માત કર્યો હોવાનો આરોપ

ચિલોડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના  

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અનેક વખત ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોય છે જેને કારણે લોકો મોતને ભેટે છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ બધા વચ્ચે અમદાવાદ ચિલોડા-કરાઈ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં ડ્રાઈવર હોય તેવી માહિતી સામે આવી છે.  મળતી માહિતી મુજબ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી છે. 


એક વ્યક્તિનું આ અકસ્માતમાં થયું મોત 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ડી.જી.ઓફિસની એમ.ટી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ચિરાગ વાઘેલા નામના કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. ઉપરાંત કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કારચાલક ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.