Ahmedabad : ચિલોડા નજીક બની Hit And Runની ઘટના, નશાની હાલતમાં હતો ડ્રાઈવર ગાડીમાંથી મળી આવી બોટલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 11:16:47

અમદાવાદમાં પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી હોય તેવું લાગે છે. હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના મોત પણ થતા હોય છે. થોડા સમય પહેલા શિવરંજની નજીક એક ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે બાદ આવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના ચિલોડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ચિલોડા-કરાઈ રોડ પાસે આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે.

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં  અકસ્માત કર્યો હોવાનો આરોપ

ચિલોડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના  

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અનેક વખત ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોય છે જેને કારણે લોકો મોતને ભેટે છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ બધા વચ્ચે અમદાવાદ ચિલોડા-કરાઈ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં ડ્રાઈવર હોય તેવી માહિતી સામે આવી છે.  મળતી માહિતી મુજબ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી છે. 


એક વ્યક્તિનું આ અકસ્માતમાં થયું મોત 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ડી.જી.ઓફિસની એમ.ટી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ચિરાગ વાઘેલા નામના કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. ઉપરાંત કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કારચાલક ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.