Ahmedabad : ચિલોડા નજીક બની Hit And Runની ઘટના, નશાની હાલતમાં હતો ડ્રાઈવર ગાડીમાંથી મળી આવી બોટલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 11:16:47

અમદાવાદમાં પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી હોય તેવું લાગે છે. હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના મોત પણ થતા હોય છે. થોડા સમય પહેલા શિવરંજની નજીક એક ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે બાદ આવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના ચિલોડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ચિલોડા-કરાઈ રોડ પાસે આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે.

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં  અકસ્માત કર્યો હોવાનો આરોપ

ચિલોડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના  

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અનેક વખત ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોય છે જેને કારણે લોકો મોતને ભેટે છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ બધા વચ્ચે અમદાવાદ ચિલોડા-કરાઈ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં ડ્રાઈવર હોય તેવી માહિતી સામે આવી છે.  મળતી માહિતી મુજબ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી છે. 


એક વ્યક્તિનું આ અકસ્માતમાં થયું મોત 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ડી.જી.ઓફિસની એમ.ટી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ચિરાગ વાઘેલા નામના કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. ઉપરાંત કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કારચાલક ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.