Ahmedabad : ઉત્તરાયણને લઈ રાજ્ય સરકારે શરૂ કર્યું કરૂણા અભિયાન, ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અર્થે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2024-01-13 15:22:34

આવતી કાલે ઉત્તરાયણનો તહેવાર છે. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈ અલગ ઉત્સાહ હોય છે. એક તરફ પતંગ રસિયા પતંગ ઉડાવવામાં મશગુલ હોય છે તો અનેક વખત પતંગની દોરીથી અનેક પક્ષીના જીવ જોખમમાં મૂકાય છે. પક્ષીઓના જીવ તો જોખમમાં મૂકાય છે સાથે સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે અનેક પક્ષી બચાવવો અભિયાન પણ શરૂ કરવામાં આવતા હોય છે. પક્ષીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પૂર્વે કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી છે.

 

Injured birds will be treated and rescued at Uttarayan in Savarkundla |  સાવરકુંડલામાં ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરી બચાવાશે - Divya Bhaskar


પક્ષીઓને સારવાર મળે તે માટે જાહેર કરાયો નંબર  

પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવતા હોય છે. કેન્દ્રોમાં ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકારે કરૂણા અભિયાનની શરૂઆત કરી છે. સીએમઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે જે મુજબ ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 8320002000 વોટ્સએપ નંબર પર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે. વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 અને પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની સીએમએ લીધી મુલાકાત   

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવા તેમજ પક્ષીઓને બચાવવા તેમજ તેમની સારવારના ઉદ્દેશ્ય સાથે 20 જાન્યુઆરી સુધી આ રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.  અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જીવદયા માટે કાર્યરત છે. ત્યારે મહત્વનું છે કે આપણા તહેવારને કારણે કોઈના જીવ જોખમમાં ના મૂકાય તેનું ધ્યાન રાખવું જોઈશે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે