Ahmedabad : ઉત્તરાયણને લઈ રાજ્ય સરકારે શરૂ કર્યું કરૂણા અભિયાન, ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અર્થે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2024-01-13 15:22:34

આવતી કાલે ઉત્તરાયણનો તહેવાર છે. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈ અલગ ઉત્સાહ હોય છે. એક તરફ પતંગ રસિયા પતંગ ઉડાવવામાં મશગુલ હોય છે તો અનેક વખત પતંગની દોરીથી અનેક પક્ષીના જીવ જોખમમાં મૂકાય છે. પક્ષીઓના જીવ તો જોખમમાં મૂકાય છે સાથે સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે અનેક પક્ષી બચાવવો અભિયાન પણ શરૂ કરવામાં આવતા હોય છે. પક્ષીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પૂર્વે કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી છે.

 

Injured birds will be treated and rescued at Uttarayan in Savarkundla |  સાવરકુંડલામાં ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરી બચાવાશે - Divya Bhaskar


પક્ષીઓને સારવાર મળે તે માટે જાહેર કરાયો નંબર  

પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવતા હોય છે. કેન્દ્રોમાં ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકારે કરૂણા અભિયાનની શરૂઆત કરી છે. સીએમઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે જે મુજબ ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 8320002000 વોટ્સએપ નંબર પર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે. વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 અને પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની સીએમએ લીધી મુલાકાત   

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવા તેમજ પક્ષીઓને બચાવવા તેમજ તેમની સારવારના ઉદ્દેશ્ય સાથે 20 જાન્યુઆરી સુધી આ રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.  અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જીવદયા માટે કાર્યરત છે. ત્યારે મહત્વનું છે કે આપણા તહેવારને કારણે કોઈના જીવ જોખમમાં ના મૂકાય તેનું ધ્યાન રાખવું જોઈશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.