Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આ કારણોસર ઘરઘાટીએ માલિકના ઘરે કરી ચોરી!


  • Published By :
  • Published Date : 2024-02-09 12:14:55

આપણે ત્યાં માતા માટે ઘણું લખાયું છે પરંતુ પિતા માટે નથી તો લખાયું અને નથી તો બોલાતું... માતા કહીને પ્રેમ વ્યક્ત કરે છે જ્યારે પિતા મૌન રહીને પ્રેમ વ્યક્ત કરે છે. બાળકોના ભવિષ્ય માટે પિતા કોઈ પણ હદે જઈ શકે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે! વાત એમ હતી કે પોતાની દીકરીના અભ્યાસ માટે પિતા ચોરી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા સેટેલાઈટ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. આ ચોરીને લઈ તપાસ ચાલી રહી હતી. ત્યારે ચોરી કરનાર પિતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળથી તેની ધરપકડ કરવામાં આવી છે.    


સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો!

સંતાન માટે માતા પિતા અનેક સપના જોતા હોય છે. મોટા થઈને તેમનું સંતાન પ્રગતિ કરે તેવી તેમની ઈચ્છા હોય છે. પરંતુ અનેક વખત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શક્તા. અનેક વખત અભ્યાસ માટે લોન પણ લીધી હોય છે. લોનની ભરપાઈ કરવા માટે અનેક લોકો ચોરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક બંગ્લામાંથી એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી તેના ચોરને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોલીસના હાથે પકડાઈ ના જાય તે માટે આરોપીએ બનાવટી આધારકાર્ડ બનાવીને આપ્યું હતું. 



પશ્ચિમ બંગાળથી ચોરની થઈ ધરપકડ!

જે ચોરીનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે તે થોડા સમય પહેલા બની હતી. સેટેલાઈટ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. ઘરઘાટીએ ડિજિટલ તિજોરીમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત આશરે એક કરોડોના મુદ્દામાલ જેટલાની ચોરી કરી હતી. સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતા હતા. ચોરી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે ઉપરાંત 6.70 લાખના દાગીના કબજે કરી લીધા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.