Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આ કારણોસર ઘરઘાટીએ માલિકના ઘરે કરી ચોરી!


  • Published By :
  • Published Date : 2024-02-09 12:14:55

આપણે ત્યાં માતા માટે ઘણું લખાયું છે પરંતુ પિતા માટે નથી તો લખાયું અને નથી તો બોલાતું... માતા કહીને પ્રેમ વ્યક્ત કરે છે જ્યારે પિતા મૌન રહીને પ્રેમ વ્યક્ત કરે છે. બાળકોના ભવિષ્ય માટે પિતા કોઈ પણ હદે જઈ શકે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે! વાત એમ હતી કે પોતાની દીકરીના અભ્યાસ માટે પિતા ચોરી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા સેટેલાઈટ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. આ ચોરીને લઈ તપાસ ચાલી રહી હતી. ત્યારે ચોરી કરનાર પિતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળથી તેની ધરપકડ કરવામાં આવી છે.    


સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો!

સંતાન માટે માતા પિતા અનેક સપના જોતા હોય છે. મોટા થઈને તેમનું સંતાન પ્રગતિ કરે તેવી તેમની ઈચ્છા હોય છે. પરંતુ અનેક વખત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શક્તા. અનેક વખત અભ્યાસ માટે લોન પણ લીધી હોય છે. લોનની ભરપાઈ કરવા માટે અનેક લોકો ચોરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક બંગ્લામાંથી એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી તેના ચોરને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોલીસના હાથે પકડાઈ ના જાય તે માટે આરોપીએ બનાવટી આધારકાર્ડ બનાવીને આપ્યું હતું. 



પશ્ચિમ બંગાળથી ચોરની થઈ ધરપકડ!

જે ચોરીનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે તે થોડા સમય પહેલા બની હતી. સેટેલાઈટ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. ઘરઘાટીએ ડિજિટલ તિજોરીમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત આશરે એક કરોડોના મુદ્દામાલ જેટલાની ચોરી કરી હતી. સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતા હતા. ચોરી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે ઉપરાંત 6.70 લાખના દાગીના કબજે કરી લીધા છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે