Ahmedabad: પતિને સરપ્રાઈઝ આપવા ગયેલી પત્નીને લાગ્યો આઘાત, પરસ્ત્રી સાથે પતિ મનાવી રહ્યો હતો રંગરેલીયા!


  • Published By :
  • Published Date : 2023-10-19 16:39:11

સમાજમાં અત્યારે લગ્નેત્તર સંબંધોનો જાણે ટ્રેન્ડ નિકળ્યો છે. સ્ત્રી હોય કે પુરુષ કશો જ ફરક નથી પડતો. અવાર નવાર સમાજમાં લગ્નેત્તર સંબંધોના બનાવ આવે છે એ ચોંકાવી દે છે. આવા બનાવો આપણી ભારતીય સમાજની જૂની સંસ્કૃતિ પર અસર કરતી જોવા મળે છે. એવામાં અમદાવાદમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની પીયર ગઈ હતી અને પાછી ઘરે આવી તો પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો જોવા મળ્યો હતો.  


પરસ્ત્રી સાથે પકડાયો પતિ!

અમદાવાદમાં લગ્ન પછીના સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હતું એમ કે પતિની દારૂની લત અને મારઝુડના સ્વભાવથી કંટાળી 28 વર્ષની પરીણિતા પોતાના પીયર ચાલી ગઈ હતી. એવામાં એકવાર પત્નીને એવું થયું કે ફરી પાછી ઘરે જાઉં અને પતિને સરપ્રાઈઝ આપી દઉં. પણ પત્નીને શું ખબર હતી કે જેવી તે પીયરથી સાસરે આવશે તો સરપ્રાઈઝ નહીં પણ બીજું જ કંઈક જોવા મળશે. પતિની દારૂની લત અને ત્રાસ ભૂલીને પત્ની સરપ્રાઈઝ આપવા સાસરે ગઈ. ઘરે પહોંચીને જોયું તો પતિ પરમેશ્વર તો બીજી કોઈ સ્ત્રી સાથે ઘરમાં પ્રણય ફાગ ખેલવામાં વ્યસ્ત હતા.


પતિના ત્રાસથી ઘર છોડીને જતી રહી હતી પત્ની!

પત્નીને આવતા જોઈ બંને વચ્ચે ઝઘડો થાય છે અને ફરીવાર મારામારી પણ થાય છે. માર પડતા પત્નીએ સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે અમારા પતિ પરમેશ્વરને અમે બીજી સ્ત્રી સાથે પકડી લીધા તો તેમણે મને માર માર્યો હતો. આ યુવતીની ઉંમર 28 વર્ષની છે. તેણે આણંદના તારાપુરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પતિ લગ્ન બાદ દારુ પીતો હતો અને માર મારતો હતો એટલે પત્ની રીસાઈને પીયર જતી રહી હતી. 



Extra Marital Affairના કિસ્સાઓ સતત વધી રહ્યા છે

સમાજમાં આ દુષણ ઘર કરી ગયું છે. દર બીજા દિવસે સમાચાર આવે છે કે પતિએ અથવા પત્નીએ લગ્ન બાદ પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યા હોય છે. અમુક વર્ગમાં તો આને ગર્વથી કહેવામાં આવે છે કે મારે તો ફલાણી સ્ત્રી અથવા ફલાણા પુરુષ જોડે અફેર છે. આ બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે લોકોએ એક વસ્તુ સમજવી પડશે કે જે ભારતની આપણે ગર્વથી વાત કરીએ છીએ વિદેશમાં જેની સંસ્કૃતિના ગુણગાન ગવાતા હોય એવા ભારતમાં આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.