Ahmedabad: પતિને સરપ્રાઈઝ આપવા ગયેલી પત્નીને લાગ્યો આઘાત, પરસ્ત્રી સાથે પતિ મનાવી રહ્યો હતો રંગરેલીયા!


  • Published By :
  • Published Date : 2023-10-19 16:39:11

સમાજમાં અત્યારે લગ્નેત્તર સંબંધોનો જાણે ટ્રેન્ડ નિકળ્યો છે. સ્ત્રી હોય કે પુરુષ કશો જ ફરક નથી પડતો. અવાર નવાર સમાજમાં લગ્નેત્તર સંબંધોના બનાવ આવે છે એ ચોંકાવી દે છે. આવા બનાવો આપણી ભારતીય સમાજની જૂની સંસ્કૃતિ પર અસર કરતી જોવા મળે છે. એવામાં અમદાવાદમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની પીયર ગઈ હતી અને પાછી ઘરે આવી તો પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો જોવા મળ્યો હતો.  


પરસ્ત્રી સાથે પકડાયો પતિ!

અમદાવાદમાં લગ્ન પછીના સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હતું એમ કે પતિની દારૂની લત અને મારઝુડના સ્વભાવથી કંટાળી 28 વર્ષની પરીણિતા પોતાના પીયર ચાલી ગઈ હતી. એવામાં એકવાર પત્નીને એવું થયું કે ફરી પાછી ઘરે જાઉં અને પતિને સરપ્રાઈઝ આપી દઉં. પણ પત્નીને શું ખબર હતી કે જેવી તે પીયરથી સાસરે આવશે તો સરપ્રાઈઝ નહીં પણ બીજું જ કંઈક જોવા મળશે. પતિની દારૂની લત અને ત્રાસ ભૂલીને પત્ની સરપ્રાઈઝ આપવા સાસરે ગઈ. ઘરે પહોંચીને જોયું તો પતિ પરમેશ્વર તો બીજી કોઈ સ્ત્રી સાથે ઘરમાં પ્રણય ફાગ ખેલવામાં વ્યસ્ત હતા.


પતિના ત્રાસથી ઘર છોડીને જતી રહી હતી પત્ની!

પત્નીને આવતા જોઈ બંને વચ્ચે ઝઘડો થાય છે અને ફરીવાર મારામારી પણ થાય છે. માર પડતા પત્નીએ સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે અમારા પતિ પરમેશ્વરને અમે બીજી સ્ત્રી સાથે પકડી લીધા તો તેમણે મને માર માર્યો હતો. આ યુવતીની ઉંમર 28 વર્ષની છે. તેણે આણંદના તારાપુરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પતિ લગ્ન બાદ દારુ પીતો હતો અને માર મારતો હતો એટલે પત્ની રીસાઈને પીયર જતી રહી હતી. 



Extra Marital Affairના કિસ્સાઓ સતત વધી રહ્યા છે

સમાજમાં આ દુષણ ઘર કરી ગયું છે. દર બીજા દિવસે સમાચાર આવે છે કે પતિએ અથવા પત્નીએ લગ્ન બાદ પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યા હોય છે. અમુક વર્ગમાં તો આને ગર્વથી કહેવામાં આવે છે કે મારે તો ફલાણી સ્ત્રી અથવા ફલાણા પુરુષ જોડે અફેર છે. આ બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે લોકોએ એક વસ્તુ સમજવી પડશે કે જે ભારતની આપણે ગર્વથી વાત કરીએ છીએ વિદેશમાં જેની સંસ્કૃતિના ગુણગાન ગવાતા હોય એવા ભારતમાં આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.