Ahmedabad: પતિને સરપ્રાઈઝ આપવા ગયેલી પત્નીને લાગ્યો આઘાત, પરસ્ત્રી સાથે પતિ મનાવી રહ્યો હતો રંગરેલીયા!


  • Published By :
  • Published Date : 2023-10-19 16:39:11

સમાજમાં અત્યારે લગ્નેત્તર સંબંધોનો જાણે ટ્રેન્ડ નિકળ્યો છે. સ્ત્રી હોય કે પુરુષ કશો જ ફરક નથી પડતો. અવાર નવાર સમાજમાં લગ્નેત્તર સંબંધોના બનાવ આવે છે એ ચોંકાવી દે છે. આવા બનાવો આપણી ભારતીય સમાજની જૂની સંસ્કૃતિ પર અસર કરતી જોવા મળે છે. એવામાં અમદાવાદમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની પીયર ગઈ હતી અને પાછી ઘરે આવી તો પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો જોવા મળ્યો હતો.  


પરસ્ત્રી સાથે પકડાયો પતિ!

અમદાવાદમાં લગ્ન પછીના સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હતું એમ કે પતિની દારૂની લત અને મારઝુડના સ્વભાવથી કંટાળી 28 વર્ષની પરીણિતા પોતાના પીયર ચાલી ગઈ હતી. એવામાં એકવાર પત્નીને એવું થયું કે ફરી પાછી ઘરે જાઉં અને પતિને સરપ્રાઈઝ આપી દઉં. પણ પત્નીને શું ખબર હતી કે જેવી તે પીયરથી સાસરે આવશે તો સરપ્રાઈઝ નહીં પણ બીજું જ કંઈક જોવા મળશે. પતિની દારૂની લત અને ત્રાસ ભૂલીને પત્ની સરપ્રાઈઝ આપવા સાસરે ગઈ. ઘરે પહોંચીને જોયું તો પતિ પરમેશ્વર તો બીજી કોઈ સ્ત્રી સાથે ઘરમાં પ્રણય ફાગ ખેલવામાં વ્યસ્ત હતા.


પતિના ત્રાસથી ઘર છોડીને જતી રહી હતી પત્ની!

પત્નીને આવતા જોઈ બંને વચ્ચે ઝઘડો થાય છે અને ફરીવાર મારામારી પણ થાય છે. માર પડતા પત્નીએ સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે અમારા પતિ પરમેશ્વરને અમે બીજી સ્ત્રી સાથે પકડી લીધા તો તેમણે મને માર માર્યો હતો. આ યુવતીની ઉંમર 28 વર્ષની છે. તેણે આણંદના તારાપુરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પતિ લગ્ન બાદ દારુ પીતો હતો અને માર મારતો હતો એટલે પત્ની રીસાઈને પીયર જતી રહી હતી. 



Extra Marital Affairના કિસ્સાઓ સતત વધી રહ્યા છે

સમાજમાં આ દુષણ ઘર કરી ગયું છે. દર બીજા દિવસે સમાચાર આવે છે કે પતિએ અથવા પત્નીએ લગ્ન બાદ પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યા હોય છે. અમુક વર્ગમાં તો આને ગર્વથી કહેવામાં આવે છે કે મારે તો ફલાણી સ્ત્રી અથવા ફલાણા પુરુષ જોડે અફેર છે. આ બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે લોકોએ એક વસ્તુ સમજવી પડશે કે જે ભારતની આપણે ગર્વથી વાત કરીએ છીએ વિદેશમાં જેની સંસ્કૃતિના ગુણગાન ગવાતા હોય એવા ભારતમાં આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.