Ahmedabad : આજે વાત કરીએ કરોડપતિ ચોરની જેણે કરી છે 168 જેટલા વાહનોની ચોરી, Crime Branchએ આ રીતે ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2024-01-05 10:08:28

કોઈને ખાવાનો શોખ છે તો કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. કોઈને સંગીતનો શોખ હોય છે તો કોઈને ડાન્સનો. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં એક વ્યક્તિને ચોરીનો શોખ હતો. જી હા.. મોજશોખ માટે ચોરી કરતો.મોજશોખ માટે કંઈ પૈસા કે દાગીનાની નહીં પરંતુ ટુવ્હીલરની ચોરી કરતો. ચોરે હજી સુધીમાં 168 ટુ-વ્હીલર્સની ચોરી કરી છે. 2015થી વાહનોની ચોરી કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 30 જેટલા વાહનો જપ્ત કર્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસે વોચ ગોઠવીને હિતેશ જૈનને પકડી પાડ્યો છે.  



મોજશોખ માટે હિતેશ કરતો હતો વાહનોની ચોરી 

અનેક વખત ચોરીની ઘટના જ્યારે સામે આવે છે ત્યારે સામાન્ય રીતે સામે આવે છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ચોરી કરતા હોય છે. ચોરી કરી પૈસા કમાવવાની લાલચ ચોરોમાં સામાન્ય હોય છે. પરંતુ આજે એક એવા ચોરની વાત કરવી છે જે ચોરી પોતાના મોજશોખ માટે કરતો હતો. કરોડપતિ ચોરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે પીરાણા પાસેથી ઝડપી પાડ્યો છે. મોજશોખ માટે ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરતો. એવી વાત પણ સામે આવી છે કે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો તે વાહનને બિનવારસી હાલતમાં મૂકી દેતો. અન્ય વાહનની ચોરી કરીને ફરતો હતો. 

A millionaire vehicle thief was caught from Ahmedabad, stealing for fun |  Sandesh

ચોરને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અપનાવી આ રીત  

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દાણીલીમડા પીરાણા પાસે આવેલા સોમનાથ મહાદેવ જવાના રસ્તા પર એક ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં જાણીતી બ્રાન્ડના ટુવ્હીલરનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો. બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવ્યો. જગ્યાની આસપાસ શંકાસ્પદ રીતે સ્કૂટર પર ફરી રહેલા હિતેશ કુટરમલ જૈનને ઝડપી પાડયો હતો. હિતેશની પૂછપરછ કરતા તેણે જાણવ્યું કે, બિનવારસી હાલતમાં પડેલા 30 વાહનોની ચોરી કરી હતી. હિતેશે વર્ષ 2023માં જ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાંથી કુલ 80થી વધારે વાહનો ચોર્યા હતા. તે પહેલાં તે 87 જેટલા સ્કૂટરની ચોરીમાં સંડોવાયેલો હતો. 2015થી તે ચોરીમાં સંડોવાયેલો હતો અને હજી સુધી 168 વાહનોની ચોરી કરી હતી. પોલીસને 30 વાહનો મળી આવ્યા હતા. 



દારૂના પૈસા માટે વાહનોની કરતો હતો ચોરી  

મહત્વનું છે કે હિતેશ જૈન સારા પરિવારમાંથી આવે છે. શાહીબાગમાં હિતેશના પિતાની સાડીની દુકાન છે. પોતાના મોજશોખ માટે ચોરી કરતો હતો. હજી સુધી જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા લોકોને ચોરી કરતા જોયા હશે પરંતુ હવે પોતાના મોજશોખ માટે લોકો ચોરી કરી રહ્યા છે. હિતેશ દારૂ પીવાનો શોખીન હોવાથી તેમજ બીજા અન્ય મોજશોખ માટે વાહનોની ચોરી કરતો હોવાનું સામે આવ્યું. વાહનોમાંથી સ્પેરપાર્ટસ કાઢીને તેને વેચી નાખતો અને પૈસા મેળવી લેતો. ચોરીમાંથી મળેલા પૈસા તે દારૂ પાછળ વાપરી નાખતો હતો.    

   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.