Ahmedabad : આજે વાત કરીએ કરોડપતિ ચોરની જેણે કરી છે 168 જેટલા વાહનોની ચોરી, Crime Branchએ આ રીતે ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2024-01-05 10:08:28

કોઈને ખાવાનો શોખ છે તો કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. કોઈને સંગીતનો શોખ હોય છે તો કોઈને ડાન્સનો. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં એક વ્યક્તિને ચોરીનો શોખ હતો. જી હા.. મોજશોખ માટે ચોરી કરતો.મોજશોખ માટે કંઈ પૈસા કે દાગીનાની નહીં પરંતુ ટુવ્હીલરની ચોરી કરતો. ચોરે હજી સુધીમાં 168 ટુ-વ્હીલર્સની ચોરી કરી છે. 2015થી વાહનોની ચોરી કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 30 જેટલા વાહનો જપ્ત કર્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસે વોચ ગોઠવીને હિતેશ જૈનને પકડી પાડ્યો છે.  



મોજશોખ માટે હિતેશ કરતો હતો વાહનોની ચોરી 

અનેક વખત ચોરીની ઘટના જ્યારે સામે આવે છે ત્યારે સામાન્ય રીતે સામે આવે છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ચોરી કરતા હોય છે. ચોરી કરી પૈસા કમાવવાની લાલચ ચોરોમાં સામાન્ય હોય છે. પરંતુ આજે એક એવા ચોરની વાત કરવી છે જે ચોરી પોતાના મોજશોખ માટે કરતો હતો. કરોડપતિ ચોરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે પીરાણા પાસેથી ઝડપી પાડ્યો છે. મોજશોખ માટે ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરતો. એવી વાત પણ સામે આવી છે કે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો તે વાહનને બિનવારસી હાલતમાં મૂકી દેતો. અન્ય વાહનની ચોરી કરીને ફરતો હતો. 

A millionaire vehicle thief was caught from Ahmedabad, stealing for fun |  Sandesh

ચોરને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અપનાવી આ રીત  

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દાણીલીમડા પીરાણા પાસે આવેલા સોમનાથ મહાદેવ જવાના રસ્તા પર એક ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં જાણીતી બ્રાન્ડના ટુવ્હીલરનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો. બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવ્યો. જગ્યાની આસપાસ શંકાસ્પદ રીતે સ્કૂટર પર ફરી રહેલા હિતેશ કુટરમલ જૈનને ઝડપી પાડયો હતો. હિતેશની પૂછપરછ કરતા તેણે જાણવ્યું કે, બિનવારસી હાલતમાં પડેલા 30 વાહનોની ચોરી કરી હતી. હિતેશે વર્ષ 2023માં જ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાંથી કુલ 80થી વધારે વાહનો ચોર્યા હતા. તે પહેલાં તે 87 જેટલા સ્કૂટરની ચોરીમાં સંડોવાયેલો હતો. 2015થી તે ચોરીમાં સંડોવાયેલો હતો અને હજી સુધી 168 વાહનોની ચોરી કરી હતી. પોલીસને 30 વાહનો મળી આવ્યા હતા. 



દારૂના પૈસા માટે વાહનોની કરતો હતો ચોરી  

મહત્વનું છે કે હિતેશ જૈન સારા પરિવારમાંથી આવે છે. શાહીબાગમાં હિતેશના પિતાની સાડીની દુકાન છે. પોતાના મોજશોખ માટે ચોરી કરતો હતો. હજી સુધી જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા લોકોને ચોરી કરતા જોયા હશે પરંતુ હવે પોતાના મોજશોખ માટે લોકો ચોરી કરી રહ્યા છે. હિતેશ દારૂ પીવાનો શોખીન હોવાથી તેમજ બીજા અન્ય મોજશોખ માટે વાહનોની ચોરી કરતો હોવાનું સામે આવ્યું. વાહનોમાંથી સ્પેરપાર્ટસ કાઢીને તેને વેચી નાખતો અને પૈસા મેળવી લેતો. ચોરીમાંથી મળેલા પૈસા તે દારૂ પાછળ વાપરી નાખતો હતો.    

   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.