અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહ્યો,અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો નોંધાયો


  • Published By :
  • Published Date : 2023-06-01 22:14:05

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રયોગો પણ કરવામાં આવે છે જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 8.30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પરથી પ્રવેશ અને નિકાશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને પણ સર્વિસ રોડ પરથી પસાર થવું હોય તેણે ફરજિયાત મુખ્ય માર્ગ પરથી જ પસાર થવાનું નિર્ધારીત કર્યું હતું.


શું આયોજન કર્યું હતું?


પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વિસ રોડ પર બેરિકેડ મુકી પ્રવેશ બંધ કરવામાં આવેલો અને  તેના પર નાગરિકોની જાણકારી માટે બેનર લગાવવામાં આવેલા જેના પર લખેલું હતું પીક અવર્સ દરમિયાન 18થી 20.30 સુધી ટ્રાફિક સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ આવાજવન બંધ રહેશે.


કયા જંક્શન પર કરાયો પ્રયોગ?


આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1 ઠક્કર બાપા નગર, 2 ખોડિયાર નગર 3, રબારી કોલોની, 4 વસ્ત્રાલ, 5 નિકોલ-કઠવાડા ચાર રસ્તા,6 પાંજરાપોળ જંક્શન તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1- જશોદાનગર 2- ઈશનપુર ચાર રસ્તા પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આવું કરવા પાછળનું કારણ શું હતું?


અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતાં પરંતું જંક્શન પર આવેલ 4 સર્વિસ રોડ ઓપર્નિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ  જંક્શન ક્રોસ કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શક્તો નહોતો. અને વધુ અસ્ત-વ્યસ્ત વાહનો વાહન વ્યવહારના કારણે નાના-મોટા અકસ્માતોનું કારણ વધુ જતું હતું.


આ પ્રયોગના કારણે અકસ્માતો ઘટ્યા


ટ્રાફિક પોલીસના આ નવા પ્રયોગના કારણે આઈ ડિવિઝન ટ્રોફિક પોલીસ સ્ટેશનમાં મે-2022ના મહિનામાં કુલ 32 અમકસ્માતો નોંધાયા હતા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતોના બનાવો હતા. જે મે-23માં ઘટીને માત્ર 18 જેટલા જ બનવા પામ્યા છે તે ઉપરાંત ટ્રાફિક જામની ઘટનામાં પણ ધરખમ ઘટાડો થયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.