અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહ્યો,અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો નોંધાયો


  • Published By :
  • Published Date : 2023-06-01 22:14:05

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રયોગો પણ કરવામાં આવે છે જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 8.30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પરથી પ્રવેશ અને નિકાશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને પણ સર્વિસ રોડ પરથી પસાર થવું હોય તેણે ફરજિયાત મુખ્ય માર્ગ પરથી જ પસાર થવાનું નિર્ધારીત કર્યું હતું.


શું આયોજન કર્યું હતું?


પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વિસ રોડ પર બેરિકેડ મુકી પ્રવેશ બંધ કરવામાં આવેલો અને  તેના પર નાગરિકોની જાણકારી માટે બેનર લગાવવામાં આવેલા જેના પર લખેલું હતું પીક અવર્સ દરમિયાન 18થી 20.30 સુધી ટ્રાફિક સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ આવાજવન બંધ રહેશે.


કયા જંક્શન પર કરાયો પ્રયોગ?


આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1 ઠક્કર બાપા નગર, 2 ખોડિયાર નગર 3, રબારી કોલોની, 4 વસ્ત્રાલ, 5 નિકોલ-કઠવાડા ચાર રસ્તા,6 પાંજરાપોળ જંક્શન તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1- જશોદાનગર 2- ઈશનપુર ચાર રસ્તા પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આવું કરવા પાછળનું કારણ શું હતું?


અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતાં પરંતું જંક્શન પર આવેલ 4 સર્વિસ રોડ ઓપર્નિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ  જંક્શન ક્રોસ કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શક્તો નહોતો. અને વધુ અસ્ત-વ્યસ્ત વાહનો વાહન વ્યવહારના કારણે નાના-મોટા અકસ્માતોનું કારણ વધુ જતું હતું.


આ પ્રયોગના કારણે અકસ્માતો ઘટ્યા


ટ્રાફિક પોલીસના આ નવા પ્રયોગના કારણે આઈ ડિવિઝન ટ્રોફિક પોલીસ સ્ટેશનમાં મે-2022ના મહિનામાં કુલ 32 અમકસ્માતો નોંધાયા હતા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતોના બનાવો હતા. જે મે-23માં ઘટીને માત્ર 18 જેટલા જ બનવા પામ્યા છે તે ઉપરાંત ટ્રાફિક જામની ઘટનામાં પણ ધરખમ ઘટાડો થયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.