અમદાવાદ યુનિવર્સિટીની ઉઘાડી લૂંટ, B.COM.ની 16 લાખ ફી, NSUIનો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-06 19:07:42

રાજ્ય સરકારની શિક્ષણમાં ખાનગીકરણની નીતિને કારણે પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો મળી ગયો છે. રાજ્યની લગભગ તમામ ખાનગી યુનિવર્સિટીઓ ફિના નામે રીતસર ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ (બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીની આ  મોંઘીદાટ ફીનો  NSUIના કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો હતો.


NSUIના કાર્યકરોનો જોરદાર વિરોધ


અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ(બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે NSUI દ્વારા આજે અમદાવાદ યુનિવર્સિટી પર જઈને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી NSUIના કાર્યકરો ગેટ કૂદીને અમદાવાદ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં રામધૂન બોલાવી હતી અને નારા લગાવ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટી વિવિધ કોર્સ દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે એ બદલ NSUI દ્વારા રેલી કાઢી હતી. સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. ખાનગીકરણના વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી.


યુનિની ફી નિયંત્રણ કરવા FRCની માગ


NSUIએ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે, એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીનો ઘેરાવો કર્યો છે. NSUIના કાર્યકરો અમદાવાદ યુનિવર્સિટીને 16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.