અમદાવાદ યુનિવર્સિટીની ઉઘાડી લૂંટ, B.COM.ની 16 લાખ ફી, NSUIનો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-06 19:07:42

રાજ્ય સરકારની શિક્ષણમાં ખાનગીકરણની નીતિને કારણે પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો મળી ગયો છે. રાજ્યની લગભગ તમામ ખાનગી યુનિવર્સિટીઓ ફિના નામે રીતસર ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ (બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીની આ  મોંઘીદાટ ફીનો  NSUIના કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો હતો.


NSUIના કાર્યકરોનો જોરદાર વિરોધ


અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ(બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે NSUI દ્વારા આજે અમદાવાદ યુનિવર્સિટી પર જઈને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી NSUIના કાર્યકરો ગેટ કૂદીને અમદાવાદ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં રામધૂન બોલાવી હતી અને નારા લગાવ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટી વિવિધ કોર્સ દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે એ બદલ NSUI દ્વારા રેલી કાઢી હતી. સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. ખાનગીકરણના વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી.


યુનિની ફી નિયંત્રણ કરવા FRCની માગ


NSUIએ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે, એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીનો ઘેરાવો કર્યો છે. NSUIના કાર્યકરો અમદાવાદ યુનિવર્સિટીને 16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.