અમદાવાદમાં ભૂવાઓની ભરમાર, પહેલા ખાડાથી લોકો પરેશાન હતા તો હવે ભૂવાથી લોકો થયા ત્રસ્ત ,જાણો આજે ક્યાં પડ્યો ભૂવો


  • Published By :
  • Published Date : 2023-07-01 18:31:36

અમદાવાદમાં ભૂવા પડવાની વાત જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે. અમદાવાદને સ્માર્ટ સિટી તો કહેવાય છે પરંતુ ત્યાંની નરી વાસ્તવિક્તા અલગ જ છે. અમદાવાદને લઈ કરવામાં આવતા દાવોઓ  વારંવાર દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે વરસાદની શરૂઆત થતાં જ  અમદાવાદમાં જાણે ભૂવારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ભૂવા પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે ઉપરાંત લોકોના મનમાં ભય વ્યાપી ઉઠે છે. ત્યારે આજે અમે ભૂવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જુહાપૂરામાં એક ભૂવો પડ્યો છે. 

શ્રી સિદ્ધિ ગ્રુપ અને AMCના સહકારથી તૈયાર થયેલા રેલવે બ્રિજનું અમિત શાહે  કર્યુ લોકાર્પણ

અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યાં પણ ભૂવો પડ્યો  

ભૂવા અને અમદાવાદ જાણે એક બીજાનો પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જગ્યાઓથી ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.  એક રિપોર્ટ અનુસાર 22મેથી 30 જૂન દરમિયાન 56 જેટલા ભૂવાઓ પડ્યા હતા. અમાદવાદમાં તો અનેક એવી જગ્યાઓ છે જ્યાં ભૂવા પડ્યા છે. થોડા દિવસ પહેલા જે બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું હતું તે બ્રિજ આગળ જ એક ભૂવો પડ્યો છે જેને લઈ તંત્ર દોડતું થયું છે. જૂહાપુરામાં જે ભૂવો પડ્યો તે કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો. ટાયર ભૂવામાં ફસાય તે પહેલા જ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ભૂવો પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા.  



 

જમાલપુરમાં પડ્યો મસમોટો ભૂવો

જ્યારે ભૂવો પડ્યો ત્યારે નાનો હતો પરંતુ થોડી જ વારમાં ભૂવો મોટો થઈ ગયો. લોકો ત્યાં આવીને ઉભા રહી ગયા અને જોત જોતામાં ભૂવો મોટો થઈ ગયો હતો. ધીમે-ધીમે નાનો ભુવો મોટા ભુવામાં પરિવર્તિત થઈ ગયો હતો. આસપાસમાંથી પણ થોડો ભાગ તુટીને અંદર પડ્યો હતો. ભૂવાને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે. પરંતુ કમોસમી વરસાદને કારણે પણ અમદાવાદમાં પણ ભૂવા પડાવાના સમાચાર સામે આવ્યા હતા. એ જગ્યાએ ફરી એક વખત ભૂવો પડ્યો હતો અને તેમાં ગાડીનો ગરકાવ થયો હતો.    


AMC સાથે લોકો રાખી રહ્યા છે આશા

ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ વાપરવામાં આવે છે. અમદાવાદના રસ્તાઓ પહેલાથી જ ચર્ચામાં આવતા હતા. પહેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત હતા ત્યારે હવે ભૂવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એએમસી દ્વારા આ અંગે કોઈ સારૂ કામ કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. પરંતુ તેમને પણ મનમાં અંદાજો છે કે તેમના મનની ઈચ્છા મનમાં જ રહી જશે. તંત્ર બદલાશે પરંતુ પરિસ્થિતિ ત્યાંની જ રહેશે,     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.