અમદાવાદમાં ભૂવાઓની ભરમાર, પહેલા ખાડાથી લોકો પરેશાન હતા તો હવે ભૂવાથી લોકો થયા ત્રસ્ત ,જાણો આજે ક્યાં પડ્યો ભૂવો


  • Published By :
  • Published Date : 2023-07-01 18:31:36

અમદાવાદમાં ભૂવા પડવાની વાત જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે. અમદાવાદને સ્માર્ટ સિટી તો કહેવાય છે પરંતુ ત્યાંની નરી વાસ્તવિક્તા અલગ જ છે. અમદાવાદને લઈ કરવામાં આવતા દાવોઓ  વારંવાર દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે વરસાદની શરૂઆત થતાં જ  અમદાવાદમાં જાણે ભૂવારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ભૂવા પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે ઉપરાંત લોકોના મનમાં ભય વ્યાપી ઉઠે છે. ત્યારે આજે અમે ભૂવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જુહાપૂરામાં એક ભૂવો પડ્યો છે. 

શ્રી સિદ્ધિ ગ્રુપ અને AMCના સહકારથી તૈયાર થયેલા રેલવે બ્રિજનું અમિત શાહે  કર્યુ લોકાર્પણ

અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યાં પણ ભૂવો પડ્યો  

ભૂવા અને અમદાવાદ જાણે એક બીજાનો પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જગ્યાઓથી ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.  એક રિપોર્ટ અનુસાર 22મેથી 30 જૂન દરમિયાન 56 જેટલા ભૂવાઓ પડ્યા હતા. અમાદવાદમાં તો અનેક એવી જગ્યાઓ છે જ્યાં ભૂવા પડ્યા છે. થોડા દિવસ પહેલા જે બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું હતું તે બ્રિજ આગળ જ એક ભૂવો પડ્યો છે જેને લઈ તંત્ર દોડતું થયું છે. જૂહાપુરામાં જે ભૂવો પડ્યો તે કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો. ટાયર ભૂવામાં ફસાય તે પહેલા જ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ભૂવો પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા.  



 

જમાલપુરમાં પડ્યો મસમોટો ભૂવો

જ્યારે ભૂવો પડ્યો ત્યારે નાનો હતો પરંતુ થોડી જ વારમાં ભૂવો મોટો થઈ ગયો. લોકો ત્યાં આવીને ઉભા રહી ગયા અને જોત જોતામાં ભૂવો મોટો થઈ ગયો હતો. ધીમે-ધીમે નાનો ભુવો મોટા ભુવામાં પરિવર્તિત થઈ ગયો હતો. આસપાસમાંથી પણ થોડો ભાગ તુટીને અંદર પડ્યો હતો. ભૂવાને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે. પરંતુ કમોસમી વરસાદને કારણે પણ અમદાવાદમાં પણ ભૂવા પડાવાના સમાચાર સામે આવ્યા હતા. એ જગ્યાએ ફરી એક વખત ભૂવો પડ્યો હતો અને તેમાં ગાડીનો ગરકાવ થયો હતો.    


AMC સાથે લોકો રાખી રહ્યા છે આશા

ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ વાપરવામાં આવે છે. અમદાવાદના રસ્તાઓ પહેલાથી જ ચર્ચામાં આવતા હતા. પહેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત હતા ત્યારે હવે ભૂવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એએમસી દ્વારા આ અંગે કોઈ સારૂ કામ કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. પરંતુ તેમને પણ મનમાં અંદાજો છે કે તેમના મનની ઈચ્છા મનમાં જ રહી જશે. તંત્ર બદલાશે પરંતુ પરિસ્થિતિ ત્યાંની જ રહેશે,     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.