Ahmedabad weather : AMCએ ગરમીને લઈ પહેલા Red Alert જાહેર કર્યું પરંતુ પછી લઈ લીધો યુ ટર્ન! હવે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ!


  • Published By :
  • Published Date : 2024-05-22 14:23:22

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે.. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો અનેક શહેરોમાં..અનેક શહેરો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 24 તારીખ સુધી ગરમી વધશે જેને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું પરંતુ એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું તેવી માહિતી સામે આવી છે...હવામાન વિભાગ અને એએમસીની આગાહીમાં વિરોધાભાસ દેખાયો..



એએમસીએ જાહેર કર્યું હતું રેડ એલર્ટ પરંતુ.. 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.. 24 તારીખ સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરાતા લોકોમાં ગરમીને લઈ ડર બેસી ગયો હતો. અમદાવાદનું તાપમાન 44ડિગ્રીને પાર તો પહોંચી ગયું હતું.. તાપમાન હજી કેટલું વધશે તેવા સવાલો અનેક લોકોના મનમાં ઉઠ્યા પરંતુ હવે એએમસી દ્વારા યુ ટર્ન મારી દેવામાં આવ્યો છે. એએમસીએ પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. 



આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.