Ahmedabad weather : AMCએ ગરમીને લઈ પહેલા Red Alert જાહેર કર્યું પરંતુ પછી લઈ લીધો યુ ટર્ન! હવે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ!


  • Published By :
  • Published Date : 2024-05-22 14:23:22

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે.. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો અનેક શહેરોમાં..અનેક શહેરો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 24 તારીખ સુધી ગરમી વધશે જેને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું પરંતુ એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું તેવી માહિતી સામે આવી છે...હવામાન વિભાગ અને એએમસીની આગાહીમાં વિરોધાભાસ દેખાયો..



એએમસીએ જાહેર કર્યું હતું રેડ એલર્ટ પરંતુ.. 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.. 24 તારીખ સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરાતા લોકોમાં ગરમીને લઈ ડર બેસી ગયો હતો. અમદાવાદનું તાપમાન 44ડિગ્રીને પાર તો પહોંચી ગયું હતું.. તાપમાન હજી કેટલું વધશે તેવા સવાલો અનેક લોકોના મનમાં ઉઠ્યા પરંતુ હવે એએમસી દ્વારા યુ ટર્ન મારી દેવામાં આવ્યો છે. એએમસીએ પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. 



આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે