Ahmedabad weather : AMCએ ગરમીને લઈ પહેલા Red Alert જાહેર કર્યું પરંતુ પછી લઈ લીધો યુ ટર્ન! હવે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ!


  • Published By :
  • Published Date : 2024-05-22 14:23:22

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે.. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો અનેક શહેરોમાં..અનેક શહેરો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 24 તારીખ સુધી ગરમી વધશે જેને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું પરંતુ એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું તેવી માહિતી સામે આવી છે...હવામાન વિભાગ અને એએમસીની આગાહીમાં વિરોધાભાસ દેખાયો..



એએમસીએ જાહેર કર્યું હતું રેડ એલર્ટ પરંતુ.. 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.. 24 તારીખ સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરાતા લોકોમાં ગરમીને લઈ ડર બેસી ગયો હતો. અમદાવાદનું તાપમાન 44ડિગ્રીને પાર તો પહોંચી ગયું હતું.. તાપમાન હજી કેટલું વધશે તેવા સવાલો અનેક લોકોના મનમાં ઉઠ્યા પરંતુ હવે એએમસી દ્વારા યુ ટર્ન મારી દેવામાં આવ્યો છે. એએમસીએ પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. 



આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.