Wrong Side પર જતા વાહનોને અટકાવવા AMCએ લગાવેલા ટાયર કિલિંગ બમ્પથી બચવા અમદાવાદીઓએ અપનાવ્યો આ જુગાડ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-04 15:43:09

અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ઓવરસ્પીડિંગ કરતા તેમજ નશાની હાલતમાં અનેક લોકો ડ્રાઈવ કરતા હોય છે. ત્યારે આવા નબીરાઓ, કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રોંગ સાઈડ પર જતા લોકોને રોકવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ચાણક્યપુરી બ્રિજ નજીક કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યું છે. આ સ્પીડ બ્રેકર લગાવવામાં અને એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે રોંગસાઈડ પર જશો તો તમારા ગાડીનું ટાયર ફાટી જશે. 

સ્પીડ બ્રેકર પરથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડી પણ પસાર થઈ જાય છે... 

આ સિસ્ટમને લાવવા પાછળ એવો ઉપદ્દેશ હતો કે રોંગ સાઈડથી વાહન પસાર ન થાય અને ટ્રાફિકની સમસ્યા ઉપરાંત એક્સિડન્ટની સમસ્યા ઓછી થઈ જાય. આ વિચાર જેના મગજમાં આવ્યો હશે તેણે એ વિચાર નહીં કર્યો હોય કે આ અમદાવાદ છે. અમદાવાદીઓ દરેક વસ્તુનો જુગાડ તો શોધી જ નાખે છે... આમાં પણ એવું જ થયું. નવા સ્પીડ બ્રેકર લાગ્યા અને માત્ર અમુક કલાકોમાં જ જાણે સ્પીડ બ્રેકરની એસીકી તેસી થઈ ગઈ. રોંગ સાઈડથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડીઓ પણ આસાનીથી પસાર થઈ શકતી હતી. જે ખીલા રાખવામાં આવ્યા છે તે ખીલાઓ વચ્ચે એટલી બધી જગ્યા છે કે ગાડી પણ ટાયરને નુકસાન થયા વગર આરામથી પસાર થઈ શક્તા હતા. 

'આપણે શું?' જેવી માનસિક્તા આપણને સારા નાગરિક બનવાથી રોકે છે.

આપણે ત્યાં એમ પણ કહેવામાં આવે છે કે કાયદો જ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તે તોડી શકાય. અનેક એવા કાયદાઓ છે જેની આપણે એસીકી તેસી કરતા હોઈએ છીએ. ખબર છે કે હેલ્મેટ વગર ગાડી ચલાવવી ગુન્હો છે તો પણ આપણામાંથી અનેક લોકો હેલ્મેટ વગર બેફામ રીતે ટુ વ્હીલર ચલાવીએ છીએ. તેવી જ રીતે ગાડી પણ આપણે સીટ બેલ્ટ વગર ચલાવીએ છીએ. સીટ બ્લેટ નથી પહેરતા. કાયદો ભંગ કરતી વખતે આપણને ત્યાં મારા કાયદાનો ભંગ કરવાથી શું ફરક પડવાનો છે? આવી માનસિક્તા જ આપણને સાચા નાગરિક બનાવાથી રોકી રહી છે. જ્યાં સુધી આપણે આપણામાં રહેલી માનસિક્તાને નહીં સુધારીએ ત્યાં સુધી આપણને નાગરિક કહેવડાનો કોઈ હક નથી. કાયદાનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.