Wrong Side પર જતા વાહનોને અટકાવવા AMCએ લગાવેલા ટાયર કિલિંગ બમ્પથી બચવા અમદાવાદીઓએ અપનાવ્યો આ જુગાડ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-04 15:43:09

અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ઓવરસ્પીડિંગ કરતા તેમજ નશાની હાલતમાં અનેક લોકો ડ્રાઈવ કરતા હોય છે. ત્યારે આવા નબીરાઓ, કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રોંગ સાઈડ પર જતા લોકોને રોકવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ચાણક્યપુરી બ્રિજ નજીક કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યું છે. આ સ્પીડ બ્રેકર લગાવવામાં અને એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે રોંગસાઈડ પર જશો તો તમારા ગાડીનું ટાયર ફાટી જશે. 

સ્પીડ બ્રેકર પરથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડી પણ પસાર થઈ જાય છે... 

આ સિસ્ટમને લાવવા પાછળ એવો ઉપદ્દેશ હતો કે રોંગ સાઈડથી વાહન પસાર ન થાય અને ટ્રાફિકની સમસ્યા ઉપરાંત એક્સિડન્ટની સમસ્યા ઓછી થઈ જાય. આ વિચાર જેના મગજમાં આવ્યો હશે તેણે એ વિચાર નહીં કર્યો હોય કે આ અમદાવાદ છે. અમદાવાદીઓ દરેક વસ્તુનો જુગાડ તો શોધી જ નાખે છે... આમાં પણ એવું જ થયું. નવા સ્પીડ બ્રેકર લાગ્યા અને માત્ર અમુક કલાકોમાં જ જાણે સ્પીડ બ્રેકરની એસીકી તેસી થઈ ગઈ. રોંગ સાઈડથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડીઓ પણ આસાનીથી પસાર થઈ શકતી હતી. જે ખીલા રાખવામાં આવ્યા છે તે ખીલાઓ વચ્ચે એટલી બધી જગ્યા છે કે ગાડી પણ ટાયરને નુકસાન થયા વગર આરામથી પસાર થઈ શક્તા હતા. 

'આપણે શું?' જેવી માનસિક્તા આપણને સારા નાગરિક બનવાથી રોકે છે.

આપણે ત્યાં એમ પણ કહેવામાં આવે છે કે કાયદો જ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તે તોડી શકાય. અનેક એવા કાયદાઓ છે જેની આપણે એસીકી તેસી કરતા હોઈએ છીએ. ખબર છે કે હેલ્મેટ વગર ગાડી ચલાવવી ગુન્હો છે તો પણ આપણામાંથી અનેક લોકો હેલ્મેટ વગર બેફામ રીતે ટુ વ્હીલર ચલાવીએ છીએ. તેવી જ રીતે ગાડી પણ આપણે સીટ બેલ્ટ વગર ચલાવીએ છીએ. સીટ બ્લેટ નથી પહેરતા. કાયદો ભંગ કરતી વખતે આપણને ત્યાં મારા કાયદાનો ભંગ કરવાથી શું ફરક પડવાનો છે? આવી માનસિક્તા જ આપણને સાચા નાગરિક બનાવાથી રોકી રહી છે. જ્યાં સુધી આપણે આપણામાં રહેલી માનસિક્તાને નહીં સુધારીએ ત્યાં સુધી આપણને નાગરિક કહેવડાનો કોઈ હક નથી. કાયદાનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.