અમેરિકા જવાની લ્હાયમાં અમદાવાદનું દંપતી ઈરાનમાં ફસાયું, પાકિસ્તાની અપહરણકારોએ યુવક પર બ્લેડના ઘા મારી લાખોની ખંડણી માંગી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:55:08

અમેરિકા જવાની લ્હાયમાં લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના સમાચારો અવારનવાર સાંભળવા મળે છે. અમદાવાદનું એક દંપતી અમેરિકા જવાની આવી જ  ગાંડી ઘેલસામાં રૂવાંટા ઉભા કરી દે તેવી યાતનાનો સામનો કરી રહ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે અમેરિકા જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સરગાસણ ખાતેના આ એજન્ટ સાથે 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. 


દંપતીનું ઈરાનમાં અપહરણ થયું


અમદાવાદના આ દંપતીને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ  દ્વારા તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દંપત્તી અમેરિકા પહોંચે  તે પહેલાન ઈરાનની રાજધાની તહેરાનમાં તેમનું અપહરણ થયું હતું.પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી માગી છે અને જો તે ન મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે. આ વીડિયોમાં દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે. 


કૃષ્ણનગર પોલીસ ફરિયાદ ક્યારે લેશે


આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નથી. આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. કૃષ્ણનગર પીઆઈ એ. જે. ચૌહાણ  સાથે વાત થતા તેમણે જણાવ્યું છે કે, FIR નોંધવા માટે વાતચીત ચાલી રહી છે. સીપી સાહેબ, સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ સાથે ચર્ચા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે આ મામલે પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.