અમેરિકા જવાની લ્હાયમાં અમદાવાદનું દંપતી ઈરાનમાં ફસાયું, પાકિસ્તાની અપહરણકારોએ યુવક પર બ્લેડના ઘા મારી લાખોની ખંડણી માંગી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:55:08

અમેરિકા જવાની લ્હાયમાં લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના સમાચારો અવારનવાર સાંભળવા મળે છે. અમદાવાદનું એક દંપતી અમેરિકા જવાની આવી જ  ગાંડી ઘેલસામાં રૂવાંટા ઉભા કરી દે તેવી યાતનાનો સામનો કરી રહ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે અમેરિકા જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સરગાસણ ખાતેના આ એજન્ટ સાથે 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. 


દંપતીનું ઈરાનમાં અપહરણ થયું


અમદાવાદના આ દંપતીને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ  દ્વારા તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દંપત્તી અમેરિકા પહોંચે  તે પહેલાન ઈરાનની રાજધાની તહેરાનમાં તેમનું અપહરણ થયું હતું.પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી માગી છે અને જો તે ન મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે. આ વીડિયોમાં દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે. 


કૃષ્ણનગર પોલીસ ફરિયાદ ક્યારે લેશે


આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નથી. આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. કૃષ્ણનગર પીઆઈ એ. જે. ચૌહાણ  સાથે વાત થતા તેમણે જણાવ્યું છે કે, FIR નોંધવા માટે વાતચીત ચાલી રહી છે. સીપી સાહેબ, સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ સાથે ચર્ચા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે આ મામલે પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.