અમેરિકા જવાની લ્હાયમાં અમદાવાદનું દંપતી ઈરાનમાં ફસાયું, પાકિસ્તાની અપહરણકારોએ યુવક પર બ્લેડના ઘા મારી લાખોની ખંડણી માંગી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:55:08

અમેરિકા જવાની લ્હાયમાં લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના સમાચારો અવારનવાર સાંભળવા મળે છે. અમદાવાદનું એક દંપતી અમેરિકા જવાની આવી જ  ગાંડી ઘેલસામાં રૂવાંટા ઉભા કરી દે તેવી યાતનાનો સામનો કરી રહ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે અમેરિકા જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સરગાસણ ખાતેના આ એજન્ટ સાથે 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. 


દંપતીનું ઈરાનમાં અપહરણ થયું


અમદાવાદના આ દંપતીને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ  દ્વારા તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દંપત્તી અમેરિકા પહોંચે  તે પહેલાન ઈરાનની રાજધાની તહેરાનમાં તેમનું અપહરણ થયું હતું.પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી માગી છે અને જો તે ન મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે. આ વીડિયોમાં દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે. 


કૃષ્ણનગર પોલીસ ફરિયાદ ક્યારે લેશે


આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નથી. આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. કૃષ્ણનગર પીઆઈ એ. જે. ચૌહાણ  સાથે વાત થતા તેમણે જણાવ્યું છે કે, FIR નોંધવા માટે વાતચીત ચાલી રહી છે. સીપી સાહેબ, સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ સાથે ચર્ચા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે આ મામલે પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .