Trafficના નિયમો તોડવા બદલ અમદાવાદીઓએ ભર્યો કરોડોનો દંડ! કાયદાનો ભંગ કરવા બદલ માતાએ પુત્ર સામે કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 10:34:53

આપણામાંથી અનેક લોકો હશે જે નિયમોનું પાલન કરતા હશે તો બીજી તરફ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા. અનેક વખત કાયદાનું પાલન કરવાનું રહી જાય છે કાં તો જાણી જોઈને નથી કરતા. લોકોને કાયદાનું ભાન થાય અને તેનો અમલ કરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે મેમો આપણા ઘરે આવી જાય છે. અનેક લોકોને હજી સુધી મેમો ઘરે આવ્યો હશે, કોઈએ દંડની રકમ ભરી હશે તો કોઈએ નહીં ભરી હોય. ત્યારે એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કેટલો દંડ ભર્યો છે તેની માહિતી આપવામાં આવી છે.  

ટ્રાફિક નિયમો News in Gujarati, Latest ટ્રાફિક નિયમો news, photos, videos |  Zee News Gujarati

અનેક લોકો માને છે કે કાયદો તોડવા માટે બનાવ્યો છે! 

એક વર્ગ એવો છે જે માને છે કે કાયદો બન્યો છે તો તેનું પાલન થવું જોઈએ. તો બીજી બાજુ આપણામાંથી જ અનેક લોકો એવું માનતા હશે કે નિયમ તોડવા માટે જ બનાવવામાં આવે છે. નિયમને કેવી રીતે તોડવો તે અંગે લોકો વિચારતા હોય છે. નિયમોની વાત નથી કરવી પરંતુ નિયમો તોડ્યા બાદ મળતા દંડની કરવી છે. વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ બાંધવો જોઈએ, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થવાની સંભાવના વધતી જાય છે તેવા નિયમો છે તે આપણે જાણીએ. ત્યારે અમદાવાદીઓએ કરોડોનો દંડ ભર્યો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.

Traffic Rules: Do You Know Constable And Home Guard Has No Power To Give  Memo Details Here | ગુજરાતમાં ટ્રાફિકના નિયમના ભંગ માટે કોને મેમો આપવાની છે  સત્તા ? કોન્સ્ટેબલ કે હોમ

કાયદો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ ભર્યો આટલા કરોડનો દંડ!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્મેટ ન પહેરવાને કારણે, રોંગ સાઈડ આવવાને કારણે તો કોઈ વખત સિટ બેલ્ટ ન પહેરવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ નિયમો આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અનેક લોકો આનું પાલન નથી કરતા. નિયમ ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ છેલ્લા એક વર્ષમાં ભર્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેનાર 36000 લોકો ઝડપાયા છે જ્યારે રોંગ સાઈડ પર આવવા વાળા 6 હજારથી વધુ લોકો ઝડપાયા છે. હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા 9 હજાર લોકો ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર નિયમો ભંગ કરવા બદલ પોલીસે 183 કરોડ જેટલાનો દંડ વસૂલ કર્યો છે 

ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો મર્યા, લેટેસ્ટ કેમેરા જ કાપી લેશે ચલણ - GSTV


અમદાવાદમાં માતાએ પુત્ર વિરૂદ્ધ કરી ફરિયાદ!

એવું કહેવામાં આવે છે કે મોટાઓનું જોઈને બાળક શીખે છે. મોટા જેવું વર્તન કરે છે તેવું વર્તન બાળક પણ કરે છે. જો આપણે જ કાયદાનું પાલન નહીં કરતા હોઈએ તો આપણું બાળક કાયદાનું પાલન કરશે તેવું માનવું કદાચ ખોટું હશે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા જેમાં પતિએ પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી કારણ કે તેમણે 10 વર્ષના બાળકને ગાડી ચલાવવા આપી હતી. તે બાદ આજે આવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. માતાએ પોતાના પુત્ર વિરૂદ્ધ ઓવરસ્પીડિંગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.