Trafficના નિયમો તોડવા બદલ અમદાવાદીઓએ ભર્યો કરોડોનો દંડ! કાયદાનો ભંગ કરવા બદલ માતાએ પુત્ર સામે કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 10:34:53

આપણામાંથી અનેક લોકો હશે જે નિયમોનું પાલન કરતા હશે તો બીજી તરફ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા. અનેક વખત કાયદાનું પાલન કરવાનું રહી જાય છે કાં તો જાણી જોઈને નથી કરતા. લોકોને કાયદાનું ભાન થાય અને તેનો અમલ કરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે મેમો આપણા ઘરે આવી જાય છે. અનેક લોકોને હજી સુધી મેમો ઘરે આવ્યો હશે, કોઈએ દંડની રકમ ભરી હશે તો કોઈએ નહીં ભરી હોય. ત્યારે એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કેટલો દંડ ભર્યો છે તેની માહિતી આપવામાં આવી છે.  

ટ્રાફિક નિયમો News in Gujarati, Latest ટ્રાફિક નિયમો news, photos, videos |  Zee News Gujarati

અનેક લોકો માને છે કે કાયદો તોડવા માટે બનાવ્યો છે! 

એક વર્ગ એવો છે જે માને છે કે કાયદો બન્યો છે તો તેનું પાલન થવું જોઈએ. તો બીજી બાજુ આપણામાંથી જ અનેક લોકો એવું માનતા હશે કે નિયમ તોડવા માટે જ બનાવવામાં આવે છે. નિયમને કેવી રીતે તોડવો તે અંગે લોકો વિચારતા હોય છે. નિયમોની વાત નથી કરવી પરંતુ નિયમો તોડ્યા બાદ મળતા દંડની કરવી છે. વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ બાંધવો જોઈએ, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થવાની સંભાવના વધતી જાય છે તેવા નિયમો છે તે આપણે જાણીએ. ત્યારે અમદાવાદીઓએ કરોડોનો દંડ ભર્યો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.

Traffic Rules: Do You Know Constable And Home Guard Has No Power To Give  Memo Details Here | ગુજરાતમાં ટ્રાફિકના નિયમના ભંગ માટે કોને મેમો આપવાની છે  સત્તા ? કોન્સ્ટેબલ કે હોમ

કાયદો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ ભર્યો આટલા કરોડનો દંડ!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્મેટ ન પહેરવાને કારણે, રોંગ સાઈડ આવવાને કારણે તો કોઈ વખત સિટ બેલ્ટ ન પહેરવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ નિયમો આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અનેક લોકો આનું પાલન નથી કરતા. નિયમ ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ છેલ્લા એક વર્ષમાં ભર્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેનાર 36000 લોકો ઝડપાયા છે જ્યારે રોંગ સાઈડ પર આવવા વાળા 6 હજારથી વધુ લોકો ઝડપાયા છે. હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા 9 હજાર લોકો ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર નિયમો ભંગ કરવા બદલ પોલીસે 183 કરોડ જેટલાનો દંડ વસૂલ કર્યો છે 

ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો મર્યા, લેટેસ્ટ કેમેરા જ કાપી લેશે ચલણ - GSTV


અમદાવાદમાં માતાએ પુત્ર વિરૂદ્ધ કરી ફરિયાદ!

એવું કહેવામાં આવે છે કે મોટાઓનું જોઈને બાળક શીખે છે. મોટા જેવું વર્તન કરે છે તેવું વર્તન બાળક પણ કરે છે. જો આપણે જ કાયદાનું પાલન નહીં કરતા હોઈએ તો આપણું બાળક કાયદાનું પાલન કરશે તેવું માનવું કદાચ ખોટું હશે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા જેમાં પતિએ પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી કારણ કે તેમણે 10 વર્ષના બાળકને ગાડી ચલાવવા આપી હતી. તે બાદ આજે આવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. માતાએ પોતાના પુત્ર વિરૂદ્ધ ઓવરસ્પીડિંગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.