AIADMKએ NDA સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, એકલા હાથે લડશે ચૂંટણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-26 10:43:50

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.આ સમય દરમિયાન રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી પોતાના સંગઠનને મજબૂત કરતા હોય છે પરંતુ એનડીએને ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડ્યો છે. વાત આમ તો તમિલનાડુની જ છે પરંતુ આ ફટકો એનડીએને ભારે પડી શકે છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ સોમવારે NDA સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. AIADMK હવેથી એનડીએ ગઠબંધનનો હિસ્સો નથી તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. 


ગઠબંધન તોડવાનું આ છે કારણ!

AIADMK હવે NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ નથી. તેની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બરે થઈ હતી. પાર્ટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી ભૂતપૂર્વ AIADMK નેતાઓ, પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) અને કાર્યકરો વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તાજેતરના નિવેદનોથી AIADMK નારાજ છે અને ગઠબંધન તોડવાની વાત પહેલેથી જ કહેવામાં આવી હતી.


શું કહ્યું AIADMKના પ્રવક્તાએ 

આ અંગેની જાહેરાત કરતા પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું હતું કે AIADMK હવેથી ભાજપ અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને મહાસચિવ ઈ. પલાનીસામી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું- અમે સભ્યોના અભિપ્રાયના આધારે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. AIADMK માટે આ આનંદની ક્ષણ છે. આગામી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી અમે સ્વબળે લડીશું.


ગઠબંધન બાદ ભાજપે આપી પ્રતિક્રિયા 

ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.