AIADMKએ NDA સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, એકલા હાથે લડશે ચૂંટણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-26 10:43:50

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.આ સમય દરમિયાન રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી પોતાના સંગઠનને મજબૂત કરતા હોય છે પરંતુ એનડીએને ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડ્યો છે. વાત આમ તો તમિલનાડુની જ છે પરંતુ આ ફટકો એનડીએને ભારે પડી શકે છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ સોમવારે NDA સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. AIADMK હવેથી એનડીએ ગઠબંધનનો હિસ્સો નથી તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. 


ગઠબંધન તોડવાનું આ છે કારણ!

AIADMK હવે NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ નથી. તેની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બરે થઈ હતી. પાર્ટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી ભૂતપૂર્વ AIADMK નેતાઓ, પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) અને કાર્યકરો વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તાજેતરના નિવેદનોથી AIADMK નારાજ છે અને ગઠબંધન તોડવાની વાત પહેલેથી જ કહેવામાં આવી હતી.


શું કહ્યું AIADMKના પ્રવક્તાએ 

આ અંગેની જાહેરાત કરતા પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું હતું કે AIADMK હવેથી ભાજપ અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને મહાસચિવ ઈ. પલાનીસામી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું- અમે સભ્યોના અભિપ્રાયના આધારે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. AIADMK માટે આ આનંદની ક્ષણ છે. આગામી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી અમે સ્વબળે લડીશું.


ગઠબંધન બાદ ભાજપે આપી પ્રતિક્રિયા 

ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .