AIADMKએ NDA સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, એકલા હાથે લડશે ચૂંટણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-26 10:43:50

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.આ સમય દરમિયાન રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી પોતાના સંગઠનને મજબૂત કરતા હોય છે પરંતુ એનડીએને ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડ્યો છે. વાત આમ તો તમિલનાડુની જ છે પરંતુ આ ફટકો એનડીએને ભારે પડી શકે છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ સોમવારે NDA સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. AIADMK હવેથી એનડીએ ગઠબંધનનો હિસ્સો નથી તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. 


ગઠબંધન તોડવાનું આ છે કારણ!

AIADMK હવે NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ નથી. તેની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બરે થઈ હતી. પાર્ટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી ભૂતપૂર્વ AIADMK નેતાઓ, પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) અને કાર્યકરો વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તાજેતરના નિવેદનોથી AIADMK નારાજ છે અને ગઠબંધન તોડવાની વાત પહેલેથી જ કહેવામાં આવી હતી.


શું કહ્યું AIADMKના પ્રવક્તાએ 

આ અંગેની જાહેરાત કરતા પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું હતું કે AIADMK હવેથી ભાજપ અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને મહાસચિવ ઈ. પલાનીસામી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું- અમે સભ્યોના અભિપ્રાયના આધારે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. AIADMK માટે આ આનંદની ક્ષણ છે. આગામી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી અમે સ્વબળે લડીશું.


ગઠબંધન બાદ ભાજપે આપી પ્રતિક્રિયા 

ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .