AIADMKએ BJP સાથે છેડો ફાડ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો, શા માટે તુટ્યું ગઠબંધન, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-25 20:18:16

તમિલનાડુની અગ્રણી રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાટવાની જાહેરાત કરી છે.આજે પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અન્નાદ્રુમુક  (AIADMK)ના નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, "AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે." ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે દક્ષિણના રાજ્યોમાં AIADMK ભજપનો સૌથી જુનો સહયોગી પક્ષ હતો.લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK ગઠબંધન તુટતા ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 


શા માટે છેડો ફાડ્યો?


ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે AIADMKએ જણાવ્યું કે ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી સતત અમારા નેતાઓ, અમારા મહાસચિવ ઈપીએસ( એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી નિવેદનો આપી રહ્યા હતા, આજની બેઠકમાં ગઠબંધન તોડવાનો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત AIADMK ડેલિગેશને તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, પાર્ટીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફીની માંગ કરી હતી. ખરેખર, સનાતન મઝહબ વિવાદ દરમિયાન બીજેપીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરી હતી. જેનાથી AIADMK નેતાઓ નારાજ હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .