AIADMKએ BJP સાથે છેડો ફાડ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો, શા માટે તુટ્યું ગઠબંધન, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-25 20:18:16

તમિલનાડુની અગ્રણી રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાટવાની જાહેરાત કરી છે.આજે પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અન્નાદ્રુમુક  (AIADMK)ના નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, "AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે." ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે દક્ષિણના રાજ્યોમાં AIADMK ભજપનો સૌથી જુનો સહયોગી પક્ષ હતો.લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK ગઠબંધન તુટતા ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 


શા માટે છેડો ફાડ્યો?


ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે AIADMKએ જણાવ્યું કે ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી સતત અમારા નેતાઓ, અમારા મહાસચિવ ઈપીએસ( એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી નિવેદનો આપી રહ્યા હતા, આજની બેઠકમાં ગઠબંધન તોડવાનો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત AIADMK ડેલિગેશને તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, પાર્ટીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફીની માંગ કરી હતી. ખરેખર, સનાતન મઝહબ વિવાદ દરમિયાન બીજેપીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરી હતી. જેનાથી AIADMK નેતાઓ નારાજ હતા.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.