AIADMKએ BJP સાથે છેડો ફાડ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો, શા માટે તુટ્યું ગઠબંધન, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-25 20:18:16

તમિલનાડુની અગ્રણી રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાટવાની જાહેરાત કરી છે.આજે પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અન્નાદ્રુમુક  (AIADMK)ના નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, "AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે." ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે દક્ષિણના રાજ્યોમાં AIADMK ભજપનો સૌથી જુનો સહયોગી પક્ષ હતો.લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK ગઠબંધન તુટતા ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 


શા માટે છેડો ફાડ્યો?


ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે AIADMKએ જણાવ્યું કે ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી સતત અમારા નેતાઓ, અમારા મહાસચિવ ઈપીએસ( એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી નિવેદનો આપી રહ્યા હતા, આજની બેઠકમાં ગઠબંધન તોડવાનો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત AIADMK ડેલિગેશને તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, પાર્ટીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફીની માંગ કરી હતી. ખરેખર, સનાતન મઝહબ વિવાદ દરમિયાન બીજેપીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરી હતી. જેનાથી AIADMK નેતાઓ નારાજ હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.