મસ્કતમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 17:02:40

એર ઈન્ડીયાની ફ્લાઈટ સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. ફ્લાઈટમાં 145 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 4 નવજાતનો પણ સમાવેશ થતો હતો. તમામ પ્રવાસીઓ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનીની સમાચાર નથી. 


ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 


આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પ્રવાસીઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા. ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. 


વિમાનમાં આગનું કારણ શું?


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનનાં બે નંબરના એન્જીનમાં આગના લાગી હતી. વિમાન ટેક ઓફ કરવા માટે એરપોર્ટના રન-વે પર જઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગી હતી. ડિજીસીએ તાત્કાલિક પગલા લઈ 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.