મસ્કતમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 17:02:40

એર ઈન્ડીયાની ફ્લાઈટ સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. ફ્લાઈટમાં 145 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 4 નવજાતનો પણ સમાવેશ થતો હતો. તમામ પ્રવાસીઓ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનીની સમાચાર નથી. 


ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 


આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પ્રવાસીઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા. ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. 


વિમાનમાં આગનું કારણ શું?


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનનાં બે નંબરના એન્જીનમાં આગના લાગી હતી. વિમાન ટેક ઓફ કરવા માટે એરપોર્ટના રન-વે પર જઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગી હતી. ડિજીસીએ તાત્કાલિક પગલા લઈ 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.