મસ્કતમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 17:02:40

એર ઈન્ડીયાની ફ્લાઈટ સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. ફ્લાઈટમાં 145 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 4 નવજાતનો પણ સમાવેશ થતો હતો. તમામ પ્રવાસીઓ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનીની સમાચાર નથી. 


ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 


આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પ્રવાસીઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા. ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. 


વિમાનમાં આગનું કારણ શું?


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનનાં બે નંબરના એન્જીનમાં આગના લાગી હતી. વિમાન ટેક ઓફ કરવા માટે એરપોર્ટના રન-વે પર જઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગી હતી. ડિજીસીએ તાત્કાલિક પગલા લઈ 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .