ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ નવો લોગો અને ડિઝાઈન લોન્ચ કરી, ડિસેમ્બર 2023થી વિમાનોમાં જોવા મળશે નવો લોગો


  • Published By :
  • Published Date : 2023-08-10 22:26:20

એક સમયની સરકારી એરલાઈન એર ઈન્ડિયાનું ટાટા ગ્રૂપ દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું ત્યારથી તેના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તે જ ક્રમમાં હવે એર ઈન્ડિયાએ આજે ગુરૂવારે નવા લોગો લોન્ચ કર્યો છે. આટલું જ નહીં આ સાથે જ કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે. નવા લોગોને ‘ધ વિસ્ટા’ નામ અપાયું છે. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ સાંજે એક લાઈવ ઈવેન્ટ દરમિયાન તેના નવા લોગોને લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયા લોગો પર છેલ્લા 15 મહિનાથી કામ કરી હતી.


 એર ઈન્ડિયાનો નવો લોગો એરલાઈનની નવી ઓળખ


નવા લોગોના લોન્ચિંગ દરમિયાન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા કોઈ બિઝનેસ નથી, તે ટાટા જૂથ માટે એક જુસ્સો છે અને આ જુસ્સો એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની યાત્રા હમણાં જ શરૂ થઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું, "આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો... વિસ્ટાએ ઐતિહાસિક રીતે અમર્યાદ શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કર્યું છે." ઈવેન્ટ દરમિયાન, ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃબ્રાન્ડિંગ અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા તમામ પરિમાણોમાં સુધારો કર્યો છે.


ડિસેમ્બર 2023થી વિમાનોમાં નવો લોગો જોવા મળશે


નવો લોગો એર ઇન્ડિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાસિક અને આઇકોનિક ભારતીય વિંડોથી પ્રેરિત છે. એરલાઇનના જણાવ્યા મુજબ, તે તકોની વિંડોનું પ્રતીક છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ એર ઈન્ડિયાની વિશ્વભરમાં મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરોને ડિસેમ્બર 2023થી પ્લેનમાં નવો લોગો જોવા મળશે. એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ નવા લોગો સાથે તેના કાફલામાં જોડાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.