ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ નવો લોગો અને ડિઝાઈન લોન્ચ કરી, ડિસેમ્બર 2023થી વિમાનોમાં જોવા મળશે નવો લોગો


  • Published By :
  • Published Date : 2023-08-10 22:26:20

એક સમયની સરકારી એરલાઈન એર ઈન્ડિયાનું ટાટા ગ્રૂપ દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું ત્યારથી તેના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તે જ ક્રમમાં હવે એર ઈન્ડિયાએ આજે ગુરૂવારે નવા લોગો લોન્ચ કર્યો છે. આટલું જ નહીં આ સાથે જ કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે. નવા લોગોને ‘ધ વિસ્ટા’ નામ અપાયું છે. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ સાંજે એક લાઈવ ઈવેન્ટ દરમિયાન તેના નવા લોગોને લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયા લોગો પર છેલ્લા 15 મહિનાથી કામ કરી હતી.


 એર ઈન્ડિયાનો નવો લોગો એરલાઈનની નવી ઓળખ


નવા લોગોના લોન્ચિંગ દરમિયાન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા કોઈ બિઝનેસ નથી, તે ટાટા જૂથ માટે એક જુસ્સો છે અને આ જુસ્સો એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની યાત્રા હમણાં જ શરૂ થઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું, "આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો... વિસ્ટાએ ઐતિહાસિક રીતે અમર્યાદ શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કર્યું છે." ઈવેન્ટ દરમિયાન, ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃબ્રાન્ડિંગ અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા તમામ પરિમાણોમાં સુધારો કર્યો છે.


ડિસેમ્બર 2023થી વિમાનોમાં નવો લોગો જોવા મળશે


નવો લોગો એર ઇન્ડિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાસિક અને આઇકોનિક ભારતીય વિંડોથી પ્રેરિત છે. એરલાઇનના જણાવ્યા મુજબ, તે તકોની વિંડોનું પ્રતીક છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ એર ઈન્ડિયાની વિશ્વભરમાં મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરોને ડિસેમ્બર 2023થી પ્લેનમાં નવો લોગો જોવા મળશે. એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ નવા લોગો સાથે તેના કાફલામાં જોડાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.