દિલ્લીમાં હવાનું સ્તર 'બહુ ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2022-10-29 15:59:18

દિલ્લીની હવામાં ઝેર સમાન થઈ ગઈ છે, પ્રદુષણ વધી રહ્યું છે. બપોરે હવાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. લોકો શ્વાસમાં પ્રાણવાયુની જગ્યાએ ગંદો ધુમાડો લઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં  હવાની ગુણવત્તાનું સ્તર સૌથી ખરાબ છે. દિલ્લીના અમુક જગ્યાઓ પર હવામાં પ્રદુષણ 500 સુધી પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણની માત્રા સવારે ઓછી હતી પરંતુ અચાનક બપોર થતાંની સાથે જ માત્રા એટલી બધી વધી ગઈ કે લોકોને લાંબા સમય બાદ તકલીફ પડે. હવામાં વધતા પ્રદુષણ મામલે આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ હવાની ગુણવત્તા ઘટશે અને પ્રદુષણની માત્રા વધશે.  


આપ અને બીજેપી પ્રદુષણ મામલે આમને સામને 

દિલ્લીની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની ઓફિસ પર પ્રદર્શનો કર્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ આક્ષેપો કર્યા હતા કે જાણી જોઈને રેડ લાઈટ ઓન, ગાડી ઓફ અભિયાનને મંજૂરી નહોતી આપી. જોકે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીએ અભિયાનની શરૂઆતની તારીખો મામલે ખોટું બોલ્યું છે. 


દિલ્લીના પ્રદુષણ મામલે એક્સપર્ટનું શું કહેવું છે?

તેમનું માનવું છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો એ હવાની દિશા અને ગતિના કારણે છે. દિવાળીના સમયમાં હવાનું પ્રદુષણ સાત વર્ષના સૌથી ઓછા નંબર પર હતું. 24 ઓક્ટોબર બાદ અચાનક હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો અને એર ક્વોલિટ ઈન્ડેક્સ 'ખરાબ'થી 'બહુ ખરાબ' સુધી પહોંચી ગયો છે. ફટાકડા ફોડવાના કારણે અને ખેતરોમાં પાકને બાળવાના કારણે હવાની ગુણવત્તા અચાનક ઘટી ગઈ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.