દિલ્લીમાં હવાનું સ્તર 'બહુ ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2022-10-29 15:59:18

દિલ્લીની હવામાં ઝેર સમાન થઈ ગઈ છે, પ્રદુષણ વધી રહ્યું છે. બપોરે હવાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. લોકો શ્વાસમાં પ્રાણવાયુની જગ્યાએ ગંદો ધુમાડો લઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં  હવાની ગુણવત્તાનું સ્તર સૌથી ખરાબ છે. દિલ્લીના અમુક જગ્યાઓ પર હવામાં પ્રદુષણ 500 સુધી પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણની માત્રા સવારે ઓછી હતી પરંતુ અચાનક બપોર થતાંની સાથે જ માત્રા એટલી બધી વધી ગઈ કે લોકોને લાંબા સમય બાદ તકલીફ પડે. હવામાં વધતા પ્રદુષણ મામલે આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ હવાની ગુણવત્તા ઘટશે અને પ્રદુષણની માત્રા વધશે.  


આપ અને બીજેપી પ્રદુષણ મામલે આમને સામને 

દિલ્લીની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની ઓફિસ પર પ્રદર્શનો કર્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ આક્ષેપો કર્યા હતા કે જાણી જોઈને રેડ લાઈટ ઓન, ગાડી ઓફ અભિયાનને મંજૂરી નહોતી આપી. જોકે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીએ અભિયાનની શરૂઆતની તારીખો મામલે ખોટું બોલ્યું છે. 


દિલ્લીના પ્રદુષણ મામલે એક્સપર્ટનું શું કહેવું છે?

તેમનું માનવું છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો એ હવાની દિશા અને ગતિના કારણે છે. દિવાળીના સમયમાં હવાનું પ્રદુષણ સાત વર્ષના સૌથી ઓછા નંબર પર હતું. 24 ઓક્ટોબર બાદ અચાનક હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો અને એર ક્વોલિટ ઈન્ડેક્સ 'ખરાબ'થી 'બહુ ખરાબ' સુધી પહોંચી ગયો છે. ફટાકડા ફોડવાના કારણે અને ખેતરોમાં પાકને બાળવાના કારણે હવાની ગુણવત્તા અચાનક ઘટી ગઈ છે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.