દિલ્લીમાં હવાનું સ્તર 'બહુ ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2022-10-29 15:59:18

દિલ્લીની હવામાં ઝેર સમાન થઈ ગઈ છે, પ્રદુષણ વધી રહ્યું છે. બપોરે હવાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. લોકો શ્વાસમાં પ્રાણવાયુની જગ્યાએ ગંદો ધુમાડો લઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં  હવાની ગુણવત્તાનું સ્તર સૌથી ખરાબ છે. દિલ્લીના અમુક જગ્યાઓ પર હવામાં પ્રદુષણ 500 સુધી પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણની માત્રા સવારે ઓછી હતી પરંતુ અચાનક બપોર થતાંની સાથે જ માત્રા એટલી બધી વધી ગઈ કે લોકોને લાંબા સમય બાદ તકલીફ પડે. હવામાં વધતા પ્રદુષણ મામલે આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ હવાની ગુણવત્તા ઘટશે અને પ્રદુષણની માત્રા વધશે.  


આપ અને બીજેપી પ્રદુષણ મામલે આમને સામને 

દિલ્લીની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની ઓફિસ પર પ્રદર્શનો કર્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ આક્ષેપો કર્યા હતા કે જાણી જોઈને રેડ લાઈટ ઓન, ગાડી ઓફ અભિયાનને મંજૂરી નહોતી આપી. જોકે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીએ અભિયાનની શરૂઆતની તારીખો મામલે ખોટું બોલ્યું છે. 


દિલ્લીના પ્રદુષણ મામલે એક્સપર્ટનું શું કહેવું છે?

તેમનું માનવું છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો એ હવાની દિશા અને ગતિના કારણે છે. દિવાળીના સમયમાં હવાનું પ્રદુષણ સાત વર્ષના સૌથી ઓછા નંબર પર હતું. 24 ઓક્ટોબર બાદ અચાનક હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો અને એર ક્વોલિટ ઈન્ડેક્સ 'ખરાબ'થી 'બહુ ખરાબ' સુધી પહોંચી ગયો છે. ફટાકડા ફોડવાના કારણે અને ખેતરોમાં પાકને બાળવાના કારણે હવાની ગુણવત્તા અચાનક ઘટી ગઈ છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.