દિલ્લીમાં હવાનું સ્તર 'બહુ ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2022-10-29 15:59:18

દિલ્લીની હવામાં ઝેર સમાન થઈ ગઈ છે, પ્રદુષણ વધી રહ્યું છે. બપોરે હવાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. લોકો શ્વાસમાં પ્રાણવાયુની જગ્યાએ ગંદો ધુમાડો લઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં  હવાની ગુણવત્તાનું સ્તર સૌથી ખરાબ છે. દિલ્લીના અમુક જગ્યાઓ પર હવામાં પ્રદુષણ 500 સુધી પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણની માત્રા સવારે ઓછી હતી પરંતુ અચાનક બપોર થતાંની સાથે જ માત્રા એટલી બધી વધી ગઈ કે લોકોને લાંબા સમય બાદ તકલીફ પડે. હવામાં વધતા પ્રદુષણ મામલે આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ હવાની ગુણવત્તા ઘટશે અને પ્રદુષણની માત્રા વધશે.  


આપ અને બીજેપી પ્રદુષણ મામલે આમને સામને 

દિલ્લીની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની ઓફિસ પર પ્રદર્શનો કર્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ આક્ષેપો કર્યા હતા કે જાણી જોઈને રેડ લાઈટ ઓન, ગાડી ઓફ અભિયાનને મંજૂરી નહોતી આપી. જોકે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીએ અભિયાનની શરૂઆતની તારીખો મામલે ખોટું બોલ્યું છે. 


દિલ્લીના પ્રદુષણ મામલે એક્સપર્ટનું શું કહેવું છે?

તેમનું માનવું છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો એ હવાની દિશા અને ગતિના કારણે છે. દિવાળીના સમયમાં હવાનું પ્રદુષણ સાત વર્ષના સૌથી ઓછા નંબર પર હતું. 24 ઓક્ટોબર બાદ અચાનક હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો અને એર ક્વોલિટ ઈન્ડેક્સ 'ખરાબ'થી 'બહુ ખરાબ' સુધી પહોંચી ગયો છે. ફટાકડા ફોડવાના કારણે અને ખેતરોમાં પાકને બાળવાના કારણે હવાની ગુણવત્તા અચાનક ઘટી ગઈ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.