ઐશ્વર્યા રાયે સાસરું છોડ્યું, પિયરમાં શિફ્ટ થઈ! બચ્ચન પરિવાર સાથે અણબનાવ કેમ?


  • Published By :
  • Published Date : 2023-12-15 20:14:31

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં ખટરાગ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેથી તેમના અણબનાવના સમાચારને હવા મળી રહી છે. આ દરમિયાન, હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસા બંગલોમાથી નિકળી તેની પુત્રી આરાધ્યા સાથે તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  


ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં લે!


મિડીયા રિપોર્ટસ મુજબ ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હાલમાં જ બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે અને તે તેના પતિ સાથે રહે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય તેની સાસુ જયા બચ્ચન સાથે વાત નથી કરી રહી અને તેના કારણે તેના પરિવારમાં મતભેદ છે. જલસામાં તેની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે લડાઈ વધી ગઈ છે. માનવામાં આવે છે કે અભિષેક બચ્ચન માટે આ સમય કપરી કસોટી સમાન છે. કારણ કે આ સમયે તેણે પતિ અને પુત્ર બંનેની જવાબદારીઓ નિભાવવાની છે. જો કે આવી સ્થિતિમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છૂટાછેડા નહીં લે.


અમિતાભ બચ્ચને પુત્રીના નામે કર્યો જલસા બંગલો 


ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જલસા બંગલો તેમની પુત્રીના નામે કર્યો છે. આ દિવસોમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન પણ 'જલસા' ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બિગ બીએ જ્યારથી આ નિર્ણય લીધો છે ત્યારથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંઘ તંગ બન્યા છે.


બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી  


તાજેતરમાં, બિગ બીએ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધી હતી, જેથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. જ્યારે કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે તેઓ પહેલાથી એકબીજાને ફોલો કરતા નથી, અન્ય લોકોએ અનુમાન કર્યું હતું કે બિગ બીના એકાઉન્ટની ગોપનીયતાનું સેટિંગ્સ તે જે લોકોને ફોલો કરે છે તે અંગેની યાદી જોવાથી અટકાવી રહ્યું છે.



રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો