ઐશ્વર્યા રાયે સાસરું છોડ્યું, પિયરમાં શિફ્ટ થઈ! બચ્ચન પરિવાર સાથે અણબનાવ કેમ?


  • Published By :
  • Published Date : 2023-12-15 20:14:31

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં ખટરાગ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેથી તેમના અણબનાવના સમાચારને હવા મળી રહી છે. આ દરમિયાન, હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસા બંગલોમાથી નિકળી તેની પુત્રી આરાધ્યા સાથે તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  


ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં લે!


મિડીયા રિપોર્ટસ મુજબ ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હાલમાં જ બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે અને તે તેના પતિ સાથે રહે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય તેની સાસુ જયા બચ્ચન સાથે વાત નથી કરી રહી અને તેના કારણે તેના પરિવારમાં મતભેદ છે. જલસામાં તેની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે લડાઈ વધી ગઈ છે. માનવામાં આવે છે કે અભિષેક બચ્ચન માટે આ સમય કપરી કસોટી સમાન છે. કારણ કે આ સમયે તેણે પતિ અને પુત્ર બંનેની જવાબદારીઓ નિભાવવાની છે. જો કે આવી સ્થિતિમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છૂટાછેડા નહીં લે.


અમિતાભ બચ્ચને પુત્રીના નામે કર્યો જલસા બંગલો 


ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જલસા બંગલો તેમની પુત્રીના નામે કર્યો છે. આ દિવસોમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન પણ 'જલસા' ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બિગ બીએ જ્યારથી આ નિર્ણય લીધો છે ત્યારથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંઘ તંગ બન્યા છે.


બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી  


તાજેતરમાં, બિગ બીએ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધી હતી, જેથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. જ્યારે કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે તેઓ પહેલાથી એકબીજાને ફોલો કરતા નથી, અન્ય લોકોએ અનુમાન કર્યું હતું કે બિગ બીના એકાઉન્ટની ગોપનીયતાનું સેટિંગ્સ તે જે લોકોને ફોલો કરે છે તે અંગેની યાદી જોવાથી અટકાવી રહ્યું છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.