ઐશ્વર્યા રાયે સાસરું છોડ્યું, પિયરમાં શિફ્ટ થઈ! બચ્ચન પરિવાર સાથે અણબનાવ કેમ?


  • Published By :
  • Published Date : 2023-12-15 20:14:31

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં ખટરાગ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેથી તેમના અણબનાવના સમાચારને હવા મળી રહી છે. આ દરમિયાન, હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસા બંગલોમાથી નિકળી તેની પુત્રી આરાધ્યા સાથે તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  


ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં લે!


મિડીયા રિપોર્ટસ મુજબ ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હાલમાં જ બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે અને તે તેના પતિ સાથે રહે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય તેની સાસુ જયા બચ્ચન સાથે વાત નથી કરી રહી અને તેના કારણે તેના પરિવારમાં મતભેદ છે. જલસામાં તેની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે લડાઈ વધી ગઈ છે. માનવામાં આવે છે કે અભિષેક બચ્ચન માટે આ સમય કપરી કસોટી સમાન છે. કારણ કે આ સમયે તેણે પતિ અને પુત્ર બંનેની જવાબદારીઓ નિભાવવાની છે. જો કે આવી સ્થિતિમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છૂટાછેડા નહીં લે.


અમિતાભ બચ્ચને પુત્રીના નામે કર્યો જલસા બંગલો 


ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જલસા બંગલો તેમની પુત્રીના નામે કર્યો છે. આ દિવસોમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન પણ 'જલસા' ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બિગ બીએ જ્યારથી આ નિર્ણય લીધો છે ત્યારથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંઘ તંગ બન્યા છે.


બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી  


તાજેતરમાં, બિગ બીએ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધી હતી, જેથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. જ્યારે કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે તેઓ પહેલાથી એકબીજાને ફોલો કરતા નથી, અન્ય લોકોએ અનુમાન કર્યું હતું કે બિગ બીના એકાઉન્ટની ગોપનીયતાનું સેટિંગ્સ તે જે લોકોને ફોલો કરે છે તે અંગેની યાદી જોવાથી અટકાવી રહ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .