ઐશ્વર્યા રાયે સાસરું છોડ્યું, પિયરમાં શિફ્ટ થઈ! બચ્ચન પરિવાર સાથે અણબનાવ કેમ?


  • Published By :
  • Published Date : 2023-12-15 20:14:31

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં ખટરાગ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેથી તેમના અણબનાવના સમાચારને હવા મળી રહી છે. આ દરમિયાન, હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસા બંગલોમાથી નિકળી તેની પુત્રી આરાધ્યા સાથે તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  


ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં લે!


મિડીયા રિપોર્ટસ મુજબ ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હાલમાં જ બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે અને તે તેના પતિ સાથે રહે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય તેની સાસુ જયા બચ્ચન સાથે વાત નથી કરી રહી અને તેના કારણે તેના પરિવારમાં મતભેદ છે. જલસામાં તેની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે લડાઈ વધી ગઈ છે. માનવામાં આવે છે કે અભિષેક બચ્ચન માટે આ સમય કપરી કસોટી સમાન છે. કારણ કે આ સમયે તેણે પતિ અને પુત્ર બંનેની જવાબદારીઓ નિભાવવાની છે. જો કે આવી સ્થિતિમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છૂટાછેડા નહીં લે.


અમિતાભ બચ્ચને પુત્રીના નામે કર્યો જલસા બંગલો 


ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જલસા બંગલો તેમની પુત્રીના નામે કર્યો છે. આ દિવસોમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન પણ 'જલસા' ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બિગ બીએ જ્યારથી આ નિર્ણય લીધો છે ત્યારથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંઘ તંગ બન્યા છે.


બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી  


તાજેતરમાં, બિગ બીએ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધી હતી, જેથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. જ્યારે કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે તેઓ પહેલાથી એકબીજાને ફોલો કરતા નથી, અન્ય લોકોએ અનુમાન કર્યું હતું કે બિગ બીના એકાઉન્ટની ગોપનીયતાનું સેટિંગ્સ તે જે લોકોને ફોલો કરે છે તે અંગેની યાદી જોવાથી અટકાવી રહ્યું છે.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .