'આઈયે આપકા ઈંતેજાર થા...',ડિલિવરી બોય એક કલાક મોડો આવતાં ગ્રાહકે ઉતારી આરતી, તિલક કરીને કર્યું સ્વાગત:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 09:10:58

ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે શેર કર્યો છે ડિલિવરી બોયનો વિડીયો.
અત્યાર સુધીમાં આ વિડીયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
'આઈયે આપકા ઈંતઝાર થા....' ગીત ગાઈને ગ્રાહકે ડિલિવરી બોયનું સ્વાગત કર્યું હતું.

zomato boy 1200

સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓર્ડર મોડો લઈને આવનારા ડિલિવરી બોયનું ગીત ગાઈને, આરતી ઉતારીને અને તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે. ઓર્ડર મોડો પહોંચે તો સામાન્ય રીતે ગ્રાહક ઠપકો આપે છે પરંતુ પોતાની સાથે આ પ્રકારનો વ્યવહાર જોઈને ડિલિવરી બોયને પણ આશ્ચર્ય થયું હતું.


દિલ્હીનો છે વાયરલ થઈ રહેલો વિડીયો


સોશિયલ મીડિયા પર રોજ કોઈકને કોઈ અતરંગી અને મજેદાર વિડીયો વાયરલ થતાં હોય છે. આવા વાયરલ વિડીયોને લીધે ઘણીવાર તેમાં દેખાતી વ્યક્તિ સોશિયલ મીડિયા સેન્સેશન કે મીમ મટિરિયલ બની જતી હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એક ડિલિવરી બોયનો છે. ઝોમાટોનો ડિલિવરી બોય કસ્ટમરના ઘરે ઓર્ડર લઈને એક કલાક મોડો પહોંચ્યો હતો. ત્યારે તેના પર ગુસ્સે થવાને બદલે કે ઠપકો આપવાને બદલે ગ્રાહકે તેનું આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું.


આરતી ઉતારી કર્યું ડિલિવરી બોયનું સ્વાગત

ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સંજીવ કુમાર નામના યૂઝરે આ વિડીયો શેર કર્યો છે. જેમાં જોઈ શકો છો કે ડિલિવરી બોય આવતો દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં પાર્સલ છે. તે ઘરના દરવાજા પાસે આવે છે ત્યારે જ અંદરથી એક વ્યક્તિ હાથમાં આરતીની થાળી સાથે ગીત ગાતા આવે છે. 'આઈયે આપકા ઈંતઝાર થા' ગીત ગાતાં ગાતાં તેઓ ડિલિવરી બોયની આરતી ઉતારે છે અને તેણે હેલ્મેટ કાઢતાં તેના માથા પર તિલક લગાવે છે. પોતાનું આ રીતે સ્વાગત થતું જોઈને ડિલિવરી બોય પણ છક થઈ જાય છે.


વિડીયો શેર કરતાં યૂઝરે લખ્યું, "દિલ્હીનો ટ્રાફિક છતાં ઓર્ડર આવી ગયો. થેન્ક્યૂ ઝોમાટો." વિડીયો પર એમ પણ લખવામાં આવ્યું છે કે, ડિલિવરી બોય એક કલાક મોડો આવ્યો છતાં ગ્રાહકે તેના પ્રત્યે પ્રેમ-આદર દર્શાવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ચાર લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.