ઉત્તર પ્રદેશમાં અખિલેશે કોંગ્રેસને માત્ર 17 સીટો ઓફર કરી, જાણો પેચ ક્યા ફસાયો છે


  • Published By :
  • Published Date : 2024-02-20 17:59:57

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટની વહેંચણી પર કોઈ સહમતિ બની શકી નથી. આજ કારણે UPમાં I.N.D.I.A ગઠબંધન તુટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 17 લોકસભા સીટોની ઓફર કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 સીટો પર ઉમેદવારો ઉતારવા માંગે છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે.


કોંગ્રેસે માંગી છે 20 સીટ 


કોંગ્રેસ દ્વારા UPની 20 લોકસભા સીટોની યાદી સપાને આપવામાં આવી હતી. સપાએ અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ સીટો ઓફર કરી હતી. પરંતુ, પશ્ચિમ યુપીની 3 બેઠકો પર પેચ ફસાયા છે. આ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ રહ્યો હતો.

 

આ નેતાઓ કરી રહ્યા છે ચર્ચા


ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગેની આ બેઠકોમાં કોંગ્રેસ વતી પ્રદેશ અધ્યક્ષ અજય રાય, સલમાન ખુર્શીદ, આરાધના મિશ્રા હાજર રહ્યા હતા. જ્યારે સપા તરફથી રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન અને ઉદયવીર સિંહ હાજર હતા. યુપીની દરેક સીટ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. દરેક બેઠક પર જીતની શક્યતા આંકવામાં આવી હતી. આ પછી પણ મામલો ફાઇનલ થઇ શક્યો નથી.


અખિલેશ યાદવ શા માટે નહોતા જોડાયા યાત્રામાં?


અખિલેશ યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે રાયબરેલી પહોંચ્યા ન હતા. અખિલેશે સોમવારે મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા ન્યાય યાત્રામાં જોડાશે નહીં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.