'નેતાજી અમર રહે' ના નારા વચ્ચે અખિલેશ યાદવે આપી મુલાયમસિંહ યાદવને મુખાગ્નિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:31:29

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મેલા ગ્રાઉન્ડ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા લાખો લોકો ઉમટ્યા હતા. આખું મેદાન નેતાજી અમર રહે તેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત  

નેતાજીના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસીઆર રાવ, ચંદ્રાબાબૂ નાયડુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ અંબાણીએ પણ હાજરી આપી હતી. 




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.