'નેતાજી અમર રહે' ના નારા વચ્ચે અખિલેશ યાદવે આપી મુલાયમસિંહ યાદવને મુખાગ્નિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:31:29

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મેલા ગ્રાઉન્ડ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા લાખો લોકો ઉમટ્યા હતા. આખું મેદાન નેતાજી અમર રહે તેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત  

નેતાજીના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસીઆર રાવ, ચંદ્રાબાબૂ નાયડુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ અંબાણીએ પણ હાજરી આપી હતી. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.