'નેતાજી અમર રહે' ના નારા વચ્ચે અખિલેશ યાદવે આપી મુલાયમસિંહ યાદવને મુખાગ્નિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:31:29

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મેલા ગ્રાઉન્ડ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા લાખો લોકો ઉમટ્યા હતા. આખું મેદાન નેતાજી અમર રહે તેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત  

નેતાજીના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસીઆર રાવ, ચંદ્રાબાબૂ નાયડુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ અંબાણીએ પણ હાજરી આપી હતી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.