Akhilesh Yadav નહીં થાય Rahul Gandhiની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ! બેઠકોને લઈ બંને પાર્ટી વચ્ચે ચર્ચા થઈ પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-20 10:18:45

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તરપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવતું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામેલ થશે કારણ કે બંને પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં સપા નેતા અખિલેશ યાદવ ભાગ નહીં લે. એવી શર્ત મૂકવામાં આવી છે કે પહેલા સીટોની વહેંચણી અંગે ચર્ચા કરીએ, તેને ફાઈનલ કરીએ તે બાદ આગળ વધવાની વાત કરીએ.     

ઉત્તરપ્રદેશ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અનેક રાજ્યોમાં તેમજ અનેક લોકસભા બેઠકમાંથી આ યાત્રા  પસાર થઈ ચૂકી છે અને થવાની છે. ત્યારે હમણાં આ યાત્રા ઉત્તરપ્રદેશમાં છે. એવી સંભાવનાઓ હતી કે ઈન્ડિયા ગઠબંધનને કારણે સપા નેતા અખિલેશ યાદવ યાત્રામાં સામેલ થઈ શકે છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સીટને લઈ ચર્ચા થાય, સીટની વહેંચણી કરવામાં આવે અને તે બાદ આગળ સાથે વધવાની વાત કરવામાં આવે.

યાત્રામાં સામેલ થવા અંગે અખિલેશ યાદવે કહ્યું કે.... 

અખિલેશ યાદવ દ્વારા યાત્રામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપવામા આવી જે મુજબ અખિલેશ યાદવે કહ્યું કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન ફાઈનલ નહીં થાય તો તે રાયબરેલીમાં યાત્રામાં સામેલ નહીં થાય. અનેક લોકસભા બેઠકોને લઈ ચર્ચા થઈ પરંતુ બંને પાર્ટી વચ્ચે કોઈ નિષ્કશ ન આવ્યો. કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે સોમવાર રાત સુધી વાતચીત પણ થઈ લોકસભા બેઠકોને લઈ પરંતુ સીટોને લઈ સહમતિ ના બની. 


અનેક રાજકીય પાર્ટીઓએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી છે જાહેરાત

સત્તાને લઈ અનેક વખત ઘમાસાણ થતું હોય છે. ઈન્ડિયા ગઠબંધન તો બનાવવામાં આવ્યું પરંતુ જ્યારે સીટોની વહેંચણી અંગેની વાત આવી ત્યારે મોટી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટિકિટ વહેંચણીને લઈ તૃણુમુલ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી રસ્તો અલગ કરી દીધો હતો. ગઠબંધનથી અલગ નથી થયા પરંતુ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.