Akhilesh Yadav નહીં થાય Rahul Gandhiની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ! બેઠકોને લઈ બંને પાર્ટી વચ્ચે ચર્ચા થઈ પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-20 10:18:45

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તરપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવતું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામેલ થશે કારણ કે બંને પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં સપા નેતા અખિલેશ યાદવ ભાગ નહીં લે. એવી શર્ત મૂકવામાં આવી છે કે પહેલા સીટોની વહેંચણી અંગે ચર્ચા કરીએ, તેને ફાઈનલ કરીએ તે બાદ આગળ વધવાની વાત કરીએ.     

ઉત્તરપ્રદેશ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અનેક રાજ્યોમાં તેમજ અનેક લોકસભા બેઠકમાંથી આ યાત્રા  પસાર થઈ ચૂકી છે અને થવાની છે. ત્યારે હમણાં આ યાત્રા ઉત્તરપ્રદેશમાં છે. એવી સંભાવનાઓ હતી કે ઈન્ડિયા ગઠબંધનને કારણે સપા નેતા અખિલેશ યાદવ યાત્રામાં સામેલ થઈ શકે છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સીટને લઈ ચર્ચા થાય, સીટની વહેંચણી કરવામાં આવે અને તે બાદ આગળ સાથે વધવાની વાત કરવામાં આવે.

યાત્રામાં સામેલ થવા અંગે અખિલેશ યાદવે કહ્યું કે.... 

અખિલેશ યાદવ દ્વારા યાત્રામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપવામા આવી જે મુજબ અખિલેશ યાદવે કહ્યું કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન ફાઈનલ નહીં થાય તો તે રાયબરેલીમાં યાત્રામાં સામેલ નહીં થાય. અનેક લોકસભા બેઠકોને લઈ ચર્ચા થઈ પરંતુ બંને પાર્ટી વચ્ચે કોઈ નિષ્કશ ન આવ્યો. કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે સોમવાર રાત સુધી વાતચીત પણ થઈ લોકસભા બેઠકોને લઈ પરંતુ સીટોને લઈ સહમતિ ના બની. 


અનેક રાજકીય પાર્ટીઓએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી છે જાહેરાત

સત્તાને લઈ અનેક વખત ઘમાસાણ થતું હોય છે. ઈન્ડિયા ગઠબંધન તો બનાવવામાં આવ્યું પરંતુ જ્યારે સીટોની વહેંચણી અંગેની વાત આવી ત્યારે મોટી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટિકિટ વહેંચણીને લઈ તૃણુમુલ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી રસ્તો અલગ કરી દીધો હતો. ગઠબંધનથી અલગ નથી થયા પરંતુ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.    



ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે.

ભારતમાં કોરોનાના નવા બે વેરિયન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો .