Akhilesh Yadav નહીં થાય Rahul Gandhiની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ! બેઠકોને લઈ બંને પાર્ટી વચ્ચે ચર્ચા થઈ પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-20 10:18:45

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તરપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવતું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામેલ થશે કારણ કે બંને પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં સપા નેતા અખિલેશ યાદવ ભાગ નહીં લે. એવી શર્ત મૂકવામાં આવી છે કે પહેલા સીટોની વહેંચણી અંગે ચર્ચા કરીએ, તેને ફાઈનલ કરીએ તે બાદ આગળ વધવાની વાત કરીએ.     

ઉત્તરપ્રદેશ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અનેક રાજ્યોમાં તેમજ અનેક લોકસભા બેઠકમાંથી આ યાત્રા  પસાર થઈ ચૂકી છે અને થવાની છે. ત્યારે હમણાં આ યાત્રા ઉત્તરપ્રદેશમાં છે. એવી સંભાવનાઓ હતી કે ઈન્ડિયા ગઠબંધનને કારણે સપા નેતા અખિલેશ યાદવ યાત્રામાં સામેલ થઈ શકે છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સીટને લઈ ચર્ચા થાય, સીટની વહેંચણી કરવામાં આવે અને તે બાદ આગળ સાથે વધવાની વાત કરવામાં આવે.

યાત્રામાં સામેલ થવા અંગે અખિલેશ યાદવે કહ્યું કે.... 

અખિલેશ યાદવ દ્વારા યાત્રામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપવામા આવી જે મુજબ અખિલેશ યાદવે કહ્યું કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન ફાઈનલ નહીં થાય તો તે રાયબરેલીમાં યાત્રામાં સામેલ નહીં થાય. અનેક લોકસભા બેઠકોને લઈ ચર્ચા થઈ પરંતુ બંને પાર્ટી વચ્ચે કોઈ નિષ્કશ ન આવ્યો. કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે સોમવાર રાત સુધી વાતચીત પણ થઈ લોકસભા બેઠકોને લઈ પરંતુ સીટોને લઈ સહમતિ ના બની. 


અનેક રાજકીય પાર્ટીઓએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી છે જાહેરાત

સત્તાને લઈ અનેક વખત ઘમાસાણ થતું હોય છે. ઈન્ડિયા ગઠબંધન તો બનાવવામાં આવ્યું પરંતુ જ્યારે સીટોની વહેંચણી અંગેની વાત આવી ત્યારે મોટી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટિકિટ વહેંચણીને લઈ તૃણુમુલ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી રસ્તો અલગ કરી દીધો હતો. ગઠબંધનથી અલગ નથી થયા પરંતુ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.