જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતની પળેપળની માહિતી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:49:43

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. રક્ષા ક્ષેત્રે ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વડોદરામાં પ્લેન બનાવતા એકમનું ખાતમુહૂર્ત કરશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરાદમાં પાણી પુરવઠો વધારવા 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં 2900 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી સરદાર પટેલને સ્મરણાંજલિ આપશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટના દર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમાને સ્મરણાંજલિ આપશે. કેવડિયા કોલોની ખાતે જવાનો સાથે પણ સંવાદ કરશે. પ્રધાનમંત્રી મોદી 680 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે.

માનગઢ હિલ નરસંહાર

પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ના કાર્યક્રમમાં હાજરી આપશે. માનગઢ હિલ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યાં ભીલો અને અન્ય જાતિઓ અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1.5 લાખથી વધુ ભીલોએ 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી. જેના પર અંગ્રેસ સરકારે ગોળીબાર કર્યો હતો જેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.

પ્રધાનમંત્રીની પંચમહાલ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 860 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી વાડેક ગામમાં આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક અને દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકને પણ સમર્પિત કરશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.