જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતની પળેપળની માહિતી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:49:43

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. રક્ષા ક્ષેત્રે ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વડોદરામાં પ્લેન બનાવતા એકમનું ખાતમુહૂર્ત કરશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરાદમાં પાણી પુરવઠો વધારવા 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં 2900 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી સરદાર પટેલને સ્મરણાંજલિ આપશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટના દર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમાને સ્મરણાંજલિ આપશે. કેવડિયા કોલોની ખાતે જવાનો સાથે પણ સંવાદ કરશે. પ્રધાનમંત્રી મોદી 680 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે.

માનગઢ હિલ નરસંહાર

પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ના કાર્યક્રમમાં હાજરી આપશે. માનગઢ હિલ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યાં ભીલો અને અન્ય જાતિઓ અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1.5 લાખથી વધુ ભીલોએ 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી. જેના પર અંગ્રેસ સરકારે ગોળીબાર કર્યો હતો જેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.

પ્રધાનમંત્રીની પંચમહાલ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 860 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી વાડેક ગામમાં આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક અને દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકને પણ સમર્પિત કરશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.