જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતની પળેપળની માહિતી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:49:43

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. રક્ષા ક્ષેત્રે ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વડોદરામાં પ્લેન બનાવતા એકમનું ખાતમુહૂર્ત કરશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરાદમાં પાણી પુરવઠો વધારવા 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં 2900 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી સરદાર પટેલને સ્મરણાંજલિ આપશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટના દર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમાને સ્મરણાંજલિ આપશે. કેવડિયા કોલોની ખાતે જવાનો સાથે પણ સંવાદ કરશે. પ્રધાનમંત્રી મોદી 680 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે.

માનગઢ હિલ નરસંહાર

પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ના કાર્યક્રમમાં હાજરી આપશે. માનગઢ હિલ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યાં ભીલો અને અન્ય જાતિઓ અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1.5 લાખથી વધુ ભીલોએ 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી. જેના પર અંગ્રેસ સરકારે ગોળીબાર કર્યો હતો જેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.

પ્રધાનમંત્રીની પંચમહાલ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 860 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી વાડેક ગામમાં આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક અને દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકને પણ સમર્પિત કરશે.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.