સર્વપક્ષીય બેઠકમાં મરાઠા આંદોલનના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર, મનોજ જરાંગે ઉપવાસ મુદ્દે અડગ


  • Published By :
  • Published Date : 2023-11-01 18:39:58

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યું છે, રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આ સ્થિતી અંગે મંથન કરવા માટે રાજ્યની શિંદે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં આ મુદ્દે વિચાર-વિમર્સ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ સરકારના દરખાસ્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠકમાં ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીશ, (ભાજપ), એનસીપી અધ્યક્ષ શરદ પવાર (એનસીપી),  બાલા સાહેબ થોરાટ, (કોંગ્રેસ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), શિવસેના (ચૂબીટી) નેતા અનિલ પરબ સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તમામ નેતાઓએ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેને પણ ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આ ઓલ પાર્ટી  મીટિંગમાં મરાઠા અનામતના સમર્થનમાં સર્વ સમંતીથી પ્રસ્તાવ પસાર કરીને હિંસાની ઘટનાઓને વખોડી હતી. તમામ નેતાઓએ કહ્યું હતું કે આ કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.



મનોજ જરાંગેએ ઉપવાસને લઈ અડગ 


મરાઠા અનામતને લઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે જો રાજ્ય સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તે આજ સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દે છે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામાં 25 ઓક્ટેબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગેએ તમામ પક્ષોના નેતાઓને મરાઠા આંદોલનને સમર્થન આપવાની અપીલ કરી હતી.   


રાજ્યમાં પરિસ્થિતી તંગ



મરાઠા અનામત આંદોલનની આગ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાઈ છે. રાજ્યમાં મરાઠા અનામતનું સમર્થન કરનારા સંગઠનોના લગભગ 500 કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો પર પુના પોલીસે મુંબઈ-બેંગલુરૂ હાઈ-વે બ્લોક કરવા અને ટાયરો સળગાવવાનો આરોપ છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બીડ વહીવટી તંત્રએ જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવાર સવારે કર્ફ્યું લગાવી દીધો હતો તથા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  જિલ્લામાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.