સર્વપક્ષીય બેઠકમાં મરાઠા આંદોલનના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર, મનોજ જરાંગે ઉપવાસ મુદ્દે અડગ


  • Published By :
  • Published Date : 2023-11-01 18:39:58

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યું છે, રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આ સ્થિતી અંગે મંથન કરવા માટે રાજ્યની શિંદે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં આ મુદ્દે વિચાર-વિમર્સ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ સરકારના દરખાસ્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠકમાં ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીશ, (ભાજપ), એનસીપી અધ્યક્ષ શરદ પવાર (એનસીપી),  બાલા સાહેબ થોરાટ, (કોંગ્રેસ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), શિવસેના (ચૂબીટી) નેતા અનિલ પરબ સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તમામ નેતાઓએ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેને પણ ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આ ઓલ પાર્ટી  મીટિંગમાં મરાઠા અનામતના સમર્થનમાં સર્વ સમંતીથી પ્રસ્તાવ પસાર કરીને હિંસાની ઘટનાઓને વખોડી હતી. તમામ નેતાઓએ કહ્યું હતું કે આ કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.



મનોજ જરાંગેએ ઉપવાસને લઈ અડગ 


મરાઠા અનામતને લઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે જો રાજ્ય સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તે આજ સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દે છે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામાં 25 ઓક્ટેબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગેએ તમામ પક્ષોના નેતાઓને મરાઠા આંદોલનને સમર્થન આપવાની અપીલ કરી હતી.   


રાજ્યમાં પરિસ્થિતી તંગ



મરાઠા અનામત આંદોલનની આગ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાઈ છે. રાજ્યમાં મરાઠા અનામતનું સમર્થન કરનારા સંગઠનોના લગભગ 500 કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો પર પુના પોલીસે મુંબઈ-બેંગલુરૂ હાઈ-વે બ્લોક કરવા અને ટાયરો સળગાવવાનો આરોપ છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બીડ વહીવટી તંત્રએ જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવાર સવારે કર્ફ્યું લગાવી દીધો હતો તથા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  જિલ્લામાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.