અલ્હાબાદ કોર્ટના જજને ટ્રેન મુસાફરી દરમિયાન પડી અગવડ, પત્ર લખી માગ્યો જવાબ, પછી CJIએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-07-24 14:05:12

ભારતીય રેલવે લાઈનને ભારતનું ધબકતું હૃદય માનવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં સફર કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચતા હોય છે. પરંતુ આ ઈન્ડિયન રેલવેઝ છે. અનેક કલાકો ટ્રેન લેટ હોતી હોય છે. ટ્રેનની મુસાફરી દરમિયાન સામાન્ય માણસને અનેક તકલીફો પડતી હોય છે. અવ્યવસ્થાને કારણે અનેક ફરિયાદો પણ રહેતી હોય છે પરંતુ પોતાની સમસ્યાને રજૂ કરે તો કરે ક્યાં? સામાન્ય લોકો પાસે નથી તો કોઈ સત્તા કે નથી તો કોઈ સાંભળવવા વાળું. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આ વખતે અગવડ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પડી હતી. 

ઉચ્ચ અદાલતનો પત્ર

જજને અગવડ પડી તો રેલવે વિભાગ પાસેથી માગ્યો જવાબ!

ટ્રેનની મુસાફરી કરતા લોકોને અનેક વખત આપણે કહેતા સાંભળ્યા હશે કે ટ્રેન તો આટલા કલાક મોડી જ હશે, આરામથી રેલવે સ્ટેશન પહોંચીએ. વાત પણ સાચી છે અનેક ટ્રેનો અનેક કલાકો સુધી મોડી હોતી હોય છે. સામાન્ય જનતા માટે ટ્રેન લેટ હોવી સામાન્ય વસ્તુ છે પરંતુ જો તમે કોઈ ઉચ્ચ અધિકારી છો તો તમને આ વાત એકદમ પરેશાન કરી શકે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે થોડા સમય પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ચૌધરી પોતાની પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. પરંતુ જે ટ્રેનમાં તેમને જવાનું હતું તે ટ્રેન અનેક કલાકો લેટ હતી. જેને લઈ ન્યાયાધીશને અગવડ પહોંચી અને પછી તો શું, અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ઉત્તર મધ્યમ રેલવે પ્રયાગરાજના જનરલ મેનેજરને પત્ર મોકલવામાં આવ્યો હતો. 


અગવડ પડવાની પાછળ આ કારણો છે જવાબદાર!

જે પત્ર મોકલવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ હતો કે ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, અને સંબંધિત સત્તાવાળાઓને વિલંબની જાણ કરવામાં આવી હોવા છતાં, ન્યાયાધીશ ચૌધરીની જરૂરિયાતો પૂરી કરવા માટે એક પણ સરકારી રેલવે પોલીસ કર્મચારી કોચમાં હાજર ન હતો. તે સિવાય મુસાફરી દરમિયાન પેન્ટ્રી કારનો કોઈ કર્મચારી જસ્ટિસ પાસે નાસ્તો આપવા પણ પહોંચ્યો ન હતો. અને જ્યારે પેન્ટ્રી કાર મેનેજરને ફોન કરવામાં આવ્યો તો પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “આવી ઘટનાથી જસ્ટિસ ચૌધરીને ભારે અસુવિધા અને નારાજગી થઈ છે  





ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ જજને આપી આ નસીહત 

જ્યારે સમગ્ર ઘટનાની જાણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને થઈ ત્યારે મુખ્યન્યાયાધીશને પત્ર લખી સલાહ આપી હતી. પત્રમાં ઉલ્લેખ હતો કે જજોને મળતી પ્રોટોકોલની સુવિધાઓથી સામાન્ય માણસને તકલીફ ન પડવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશનો રેલ્વે કર્મચારીઓ પર અનુશાસનીય અધિકાર નથી. પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ ન્યાયાધીશો દ્વારા વિશેષાધિકારનો દાવો કરવા માટે થવો જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું કે હું હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને વિનંતી કરી રહ્યો છું કે તેઓ સાથી ન્યાયાધીશો સાથે આત્મનિરીક્ષણ કરે. કોર્ટમાં આત્મનિરીક્ષણ અને પરામર્શ જરૂરી છે. ન્યાયાધીશોને આપવામાં આવતી પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ અન્યને અસુવિધા અથવા કોર્ટની જાહેર ટીકા તરફ દોરી ન જાય. પોતાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે "પ્રોટોકોલ સુવિધાઓ" મળે છે તે "સત્તા અને સત્તાના અભિવ્યક્તિ" તરીકે જોવામાં ન આવે. 


લોકો કરી રહ્યા છે CJIના નિર્ણયની પ્રશંસા

ચીફ જસ્ટિસની વાતને લોકો બિરદાવી રહ્યા છે. આ પત્ર પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીજેઆઈના આવા નિર્ણયથી લોકો પ્રભાવિત થયા છે. તેમના વ્યક્તિત્વની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દરેક જગ્યાઓ આવો નિર્ણય કરવો જોઈએ, વીઆઈપી કલ્ચર નાબુદ થવો જોઈએ તેવી વાતો લોકો કરવા લાગ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.