અલ્હાબાદ કોર્ટના જજને ટ્રેન મુસાફરી દરમિયાન પડી અગવડ, પત્ર લખી માગ્યો જવાબ, પછી CJIએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-07-24 14:05:12

ભારતીય રેલવે લાઈનને ભારતનું ધબકતું હૃદય માનવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં સફર કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચતા હોય છે. પરંતુ આ ઈન્ડિયન રેલવેઝ છે. અનેક કલાકો ટ્રેન લેટ હોતી હોય છે. ટ્રેનની મુસાફરી દરમિયાન સામાન્ય માણસને અનેક તકલીફો પડતી હોય છે. અવ્યવસ્થાને કારણે અનેક ફરિયાદો પણ રહેતી હોય છે પરંતુ પોતાની સમસ્યાને રજૂ કરે તો કરે ક્યાં? સામાન્ય લોકો પાસે નથી તો કોઈ સત્તા કે નથી તો કોઈ સાંભળવવા વાળું. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આ વખતે અગવડ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પડી હતી. 

ઉચ્ચ અદાલતનો પત્ર

જજને અગવડ પડી તો રેલવે વિભાગ પાસેથી માગ્યો જવાબ!

ટ્રેનની મુસાફરી કરતા લોકોને અનેક વખત આપણે કહેતા સાંભળ્યા હશે કે ટ્રેન તો આટલા કલાક મોડી જ હશે, આરામથી રેલવે સ્ટેશન પહોંચીએ. વાત પણ સાચી છે અનેક ટ્રેનો અનેક કલાકો સુધી મોડી હોતી હોય છે. સામાન્ય જનતા માટે ટ્રેન લેટ હોવી સામાન્ય વસ્તુ છે પરંતુ જો તમે કોઈ ઉચ્ચ અધિકારી છો તો તમને આ વાત એકદમ પરેશાન કરી શકે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે થોડા સમય પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ચૌધરી પોતાની પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. પરંતુ જે ટ્રેનમાં તેમને જવાનું હતું તે ટ્રેન અનેક કલાકો લેટ હતી. જેને લઈ ન્યાયાધીશને અગવડ પહોંચી અને પછી તો શું, અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ઉત્તર મધ્યમ રેલવે પ્રયાગરાજના જનરલ મેનેજરને પત્ર મોકલવામાં આવ્યો હતો. 


અગવડ પડવાની પાછળ આ કારણો છે જવાબદાર!

જે પત્ર મોકલવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ હતો કે ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, અને સંબંધિત સત્તાવાળાઓને વિલંબની જાણ કરવામાં આવી હોવા છતાં, ન્યાયાધીશ ચૌધરીની જરૂરિયાતો પૂરી કરવા માટે એક પણ સરકારી રેલવે પોલીસ કર્મચારી કોચમાં હાજર ન હતો. તે સિવાય મુસાફરી દરમિયાન પેન્ટ્રી કારનો કોઈ કર્મચારી જસ્ટિસ પાસે નાસ્તો આપવા પણ પહોંચ્યો ન હતો. અને જ્યારે પેન્ટ્રી કાર મેનેજરને ફોન કરવામાં આવ્યો તો પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “આવી ઘટનાથી જસ્ટિસ ચૌધરીને ભારે અસુવિધા અને નારાજગી થઈ છે  





ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ જજને આપી આ નસીહત 

જ્યારે સમગ્ર ઘટનાની જાણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને થઈ ત્યારે મુખ્યન્યાયાધીશને પત્ર લખી સલાહ આપી હતી. પત્રમાં ઉલ્લેખ હતો કે જજોને મળતી પ્રોટોકોલની સુવિધાઓથી સામાન્ય માણસને તકલીફ ન પડવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશનો રેલ્વે કર્મચારીઓ પર અનુશાસનીય અધિકાર નથી. પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ ન્યાયાધીશો દ્વારા વિશેષાધિકારનો દાવો કરવા માટે થવો જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું કે હું હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને વિનંતી કરી રહ્યો છું કે તેઓ સાથી ન્યાયાધીશો સાથે આત્મનિરીક્ષણ કરે. કોર્ટમાં આત્મનિરીક્ષણ અને પરામર્શ જરૂરી છે. ન્યાયાધીશોને આપવામાં આવતી પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ અન્યને અસુવિધા અથવા કોર્ટની જાહેર ટીકા તરફ દોરી ન જાય. પોતાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે "પ્રોટોકોલ સુવિધાઓ" મળે છે તે "સત્તા અને સત્તાના અભિવ્યક્તિ" તરીકે જોવામાં ન આવે. 


લોકો કરી રહ્યા છે CJIના નિર્ણયની પ્રશંસા

ચીફ જસ્ટિસની વાતને લોકો બિરદાવી રહ્યા છે. આ પત્ર પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીજેઆઈના આવા નિર્ણયથી લોકો પ્રભાવિત થયા છે. તેમના વ્યક્તિત્વની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દરેક જગ્યાઓ આવો નિર્ણય કરવો જોઈએ, વીઆઈપી કલ્ચર નાબુદ થવો જોઈએ તેવી વાતો લોકો કરવા લાગ્યા છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.