Gujarat BJPના સંગઠનમાં મોટાં ફેરફાર થવાનાં એંધાણ! C.R Patilનું પદ જાય છે?


  • Published By :
  • Published Date : 2024-06-08 13:44:42

લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપની આશા પર પાણી ફરી ગયું છે. ગુજરાતની 26એ 26 બેઠક પર ભાજપની જીત થશે, પાંચ લાખની લીડ મળશે તેવી વાતો ચૂંટણી પહેલા કરવામાં આવતી.  સી.આર.પાટિલ જે 5 લાખની લીડની વાત કરતાં હતા એ ઘણી બેઠકો પર શક્ય બન્યું નથી. માત્ર અમુક જ બેઠકો એવી છે જ્યાં આ આંકડો પાર થયો છે. પરિણામોની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે  સી.આર.પાટિલને બદલીએ હવે નવા અધ્યક્ષ બનાવવામાં આવશે 

આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી વાત કરવામાં આવી રહી છે એવી વાત થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી સંગઠન બનશે  . સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો ચહેરો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આવનાર દિવસોમાં અમિત શાહ સાથે કરવામાં આવ્યું બેઠકનું આયોજન 

જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.


મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાં કરી શકે છે વિસ્તરણ

સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ અસર હોઈ શકે છે કારણકે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને સંગઠનમાં મોટો બદલાવ આવે તો પણ કઈ નવાઈ નથી.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.