Gujarat BJPના સંગઠનમાં મોટાં ફેરફાર થવાનાં એંધાણ! C.R Patilનું પદ જાય છે?


  • Published By :
  • Published Date : 2024-06-08 13:44:42

લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપની આશા પર પાણી ફરી ગયું છે. ગુજરાતની 26એ 26 બેઠક પર ભાજપની જીત થશે, પાંચ લાખની લીડ મળશે તેવી વાતો ચૂંટણી પહેલા કરવામાં આવતી.  સી.આર.પાટિલ જે 5 લાખની લીડની વાત કરતાં હતા એ ઘણી બેઠકો પર શક્ય બન્યું નથી. માત્ર અમુક જ બેઠકો એવી છે જ્યાં આ આંકડો પાર થયો છે. પરિણામોની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે  સી.આર.પાટિલને બદલીએ હવે નવા અધ્યક્ષ બનાવવામાં આવશે 

આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી વાત કરવામાં આવી રહી છે એવી વાત થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી સંગઠન બનશે  . સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો ચહેરો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આવનાર દિવસોમાં અમિત શાહ સાથે કરવામાં આવ્યું બેઠકનું આયોજન 

જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.


મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાં કરી શકે છે વિસ્તરણ

સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ અસર હોઈ શકે છે કારણકે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને સંગઠનમાં મોટો બદલાવ આવે તો પણ કઈ નવાઈ નથી.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."