Gujarat BJPના સંગઠનમાં મોટાં ફેરફાર થવાનાં એંધાણ! C.R Patilનું પદ જાય છે?


  • Published By :
  • Published Date : 2024-06-08 13:44:42

લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપની આશા પર પાણી ફરી ગયું છે. ગુજરાતની 26એ 26 બેઠક પર ભાજપની જીત થશે, પાંચ લાખની લીડ મળશે તેવી વાતો ચૂંટણી પહેલા કરવામાં આવતી.  સી.આર.પાટિલ જે 5 લાખની લીડની વાત કરતાં હતા એ ઘણી બેઠકો પર શક્ય બન્યું નથી. માત્ર અમુક જ બેઠકો એવી છે જ્યાં આ આંકડો પાર થયો છે. પરિણામોની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે  સી.આર.પાટિલને બદલીએ હવે નવા અધ્યક્ષ બનાવવામાં આવશે 

આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી વાત કરવામાં આવી રહી છે એવી વાત થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી સંગઠન બનશે  . સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો ચહેરો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આવનાર દિવસોમાં અમિત શાહ સાથે કરવામાં આવ્યું બેઠકનું આયોજન 

જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.


મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાં કરી શકે છે વિસ્તરણ

સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ અસર હોઈ શકે છે કારણકે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને સંગઠનમાં મોટો બદલાવ આવે તો પણ કઈ નવાઈ નથી.  



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.