Gujarat BJPના સંગઠનમાં મોટાં ફેરફાર થવાનાં એંધાણ! C.R Patilનું પદ જાય છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 13:44:42

લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપની આશા પર પાણી ફરી ગયું છે. ગુજરાતની 26એ 26 બેઠક પર ભાજપની જીત થશે, પાંચ લાખની લીડ મળશે તેવી વાતો ચૂંટણી પહેલા કરવામાં આવતી.  સી.આર.પાટિલ જે 5 લાખની લીડની વાત કરતાં હતા એ ઘણી બેઠકો પર શક્ય બન્યું નથી. માત્ર અમુક જ બેઠકો એવી છે જ્યાં આ આંકડો પાર થયો છે. પરિણામોની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે  સી.આર.પાટિલને બદલીએ હવે નવા અધ્યક્ષ બનાવવામાં આવશે 

આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી વાત કરવામાં આવી રહી છે એવી વાત થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી સંગઠન બનશે  . સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો ચહેરો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આવનાર દિવસોમાં અમિત શાહ સાથે કરવામાં આવ્યું બેઠકનું આયોજન 

જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.


મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાં કરી શકે છે વિસ્તરણ

સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ અસર હોઈ શકે છે કારણકે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને સંગઠનમાં મોટો બદલાવ આવે તો પણ કઈ નવાઈ નથી.  



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..