સરકાર, સિસ્ટમ, અધિકારીઓને સવાલ કરવાની સાથે સાથે આપણે પોતાને સવાલ પણ કરવો જોઈએ કે ક્યારેય આપણે આ મુદ્દે વિચાર્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 11:34:24

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે અને અનેક લોકોના મોત દુર્ઘટનાઓને કારણે થયા છે.. કોઈના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા તો કોઈના મોત બળીને થયા છે.. જગ્યાઓ બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય છે,મૃતકોના નામ બદલાય છે બધુ જ બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. આ સિસ્ટમને કોઈ સરકાર નહીં બદલી શકે, ના કોઈ અધિકારી બદલી શકશે.. સવાલ થાય કે આ સિસ્ટમને કોણ બદલી શકે તો આ સિસ્ટમને આપણે બદલી શકીએ છીએ.. 

શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે...?

આ રાજ્યનો નાગરિક આ સિસ્ટમને બદલી શકે છે જો તે પોતાના માટે, પોતાના પરિવાર માટે સવાલ કરતો થાય તો, પોતાને મળેલા અધિકારો વિશે તે બોલતો થાય, સવાલ કરતો થાય ત્યારે.. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો આપણી આસપાસ આગ લાગે તો કેવી રીતે બચવું જોઈએ? કેવી રીતે આગને આગળ વધારતા રોકી શકાય? શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો ભયંકર ધરતી કંપ આવે છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું? 



જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યારે આપણે સવાલ કર્યો છે?  

શું આપણે આપણા બાળકોની શાળાએ જઈને જોયું છે કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે કે નહીં? જો આપણે ક્યારે ફરવા જઈએ છીએ અને બોટિંગ કરીએ છીએ અને જો આપણને લાઈફ જેકેટ નથી અપાતા તો શું આપણે એ લાઈફ જેકેટ માગીએ ખરા? કદાચ જવાબ હશે ના.. આવા મુદ્દાઓ વિશે તો આપણે કદીએ નહીં વિચાર્યું હોય.. કોઈ દુર્ઘટના સર્જાય છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું તેનો પણ કદાચ આપણે વિચાર નહીં કર્યો.. Natural Calamitiesથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી તો આપણને હોતી જ નથી.. 


જ્યારે આવા સવાલ આપણે પોતાની જાતને પૂછીશું ત્યારે... 

આપણને એવું લાગે છે કે આપણી સાથે તો દુર્ઘટના સર્જાવાની નથી. બીજા સાથે સર્જાવાની છે તેવી વાત, તેવો વિચાર આપણને થતો હોય છે પરંતુ દુર્ઘટના તો કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. અગર આગ લાગે છે તો આપણે આગને કેવી રીતે બૂઝવવાની એ આવડે છે? કોઈ હોનારત સર્જાય તો આપણે આપણો તેમજ બીજાનો બચાવ કેવી રીતે કરી શકીએ તે આવડે છે? જ્યારે આપણે આ સવાલ પોતાની જાતને પૂછીશું તો 99 ટકા લોકોના જવાબ ના હશે કે આ મુદ્દે તો ક્યારેય વિચાર્યું નથી... આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે જે જવાબદારો હશે તેમના વિરૂદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ એક સવાલ આપણે પણ પોતાને કરવો જોઈએ.. 


જો આપણે ખોટા સામે હમણાં નહીં બોલીએ તો કદાચ બહુ મોડુ થઈ જશે...!

મૌન રહેવાની અને સહી લેવાની ટેવ જાણે આપણી આદત બની ગઈ છે તેવું લાગે છે.. એટલા મૌન પણ ના રહેવું જોઈએ કે સામે વાળાને એવું થાય કે હું કંઈ પણ કરી લઈશ મારી સામે કોણ બોલવા વાળું છે? ખબર છે અનેક લોકો કહેશે કે અમારા બોલવાથી કંઈ ફરક નથી પડવાનો.. કદાચ તે સાચા પણ હોઈ શકે છે. શરૂઆતમાં કદાચ કોઈ ફરક ના પડે તમારા બોલવાનો પરંતુ ધીરે ધીરે તમારો અવાજ એ સિસ્ટમ સુધી પહોંચશે અને ફેર પડશે.. આપણે હમણાં બોલવાની શરૂઆત નહીં કરીએ તો કદાચ આપણે ક્યારેય નહીં બોલી શકીએ...!       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.