સરકાર, સિસ્ટમ, અધિકારીઓને સવાલ કરવાની સાથે સાથે આપણે પોતાને સવાલ પણ કરવો જોઈએ કે ક્યારેય આપણે આ મુદ્દે વિચાર્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 11:34:24

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે અને અનેક લોકોના મોત દુર્ઘટનાઓને કારણે થયા છે.. કોઈના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા તો કોઈના મોત બળીને થયા છે.. જગ્યાઓ બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય છે,મૃતકોના નામ બદલાય છે બધુ જ બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. આ સિસ્ટમને કોઈ સરકાર નહીં બદલી શકે, ના કોઈ અધિકારી બદલી શકશે.. સવાલ થાય કે આ સિસ્ટમને કોણ બદલી શકે તો આ સિસ્ટમને આપણે બદલી શકીએ છીએ.. 

શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે...?

આ રાજ્યનો નાગરિક આ સિસ્ટમને બદલી શકે છે જો તે પોતાના માટે, પોતાના પરિવાર માટે સવાલ કરતો થાય તો, પોતાને મળેલા અધિકારો વિશે તે બોલતો થાય, સવાલ કરતો થાય ત્યારે.. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો આપણી આસપાસ આગ લાગે તો કેવી રીતે બચવું જોઈએ? કેવી રીતે આગને આગળ વધારતા રોકી શકાય? શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો ભયંકર ધરતી કંપ આવે છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું? 



જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યારે આપણે સવાલ કર્યો છે?  

શું આપણે આપણા બાળકોની શાળાએ જઈને જોયું છે કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે કે નહીં? જો આપણે ક્યારે ફરવા જઈએ છીએ અને બોટિંગ કરીએ છીએ અને જો આપણને લાઈફ જેકેટ નથી અપાતા તો શું આપણે એ લાઈફ જેકેટ માગીએ ખરા? કદાચ જવાબ હશે ના.. આવા મુદ્દાઓ વિશે તો આપણે કદીએ નહીં વિચાર્યું હોય.. કોઈ દુર્ઘટના સર્જાય છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું તેનો પણ કદાચ આપણે વિચાર નહીં કર્યો.. Natural Calamitiesથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી તો આપણને હોતી જ નથી.. 


જ્યારે આવા સવાલ આપણે પોતાની જાતને પૂછીશું ત્યારે... 

આપણને એવું લાગે છે કે આપણી સાથે તો દુર્ઘટના સર્જાવાની નથી. બીજા સાથે સર્જાવાની છે તેવી વાત, તેવો વિચાર આપણને થતો હોય છે પરંતુ દુર્ઘટના તો કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. અગર આગ લાગે છે તો આપણે આગને કેવી રીતે બૂઝવવાની એ આવડે છે? કોઈ હોનારત સર્જાય તો આપણે આપણો તેમજ બીજાનો બચાવ કેવી રીતે કરી શકીએ તે આવડે છે? જ્યારે આપણે આ સવાલ પોતાની જાતને પૂછીશું તો 99 ટકા લોકોના જવાબ ના હશે કે આ મુદ્દે તો ક્યારેય વિચાર્યું નથી... આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે જે જવાબદારો હશે તેમના વિરૂદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ એક સવાલ આપણે પણ પોતાને કરવો જોઈએ.. 


જો આપણે ખોટા સામે હમણાં નહીં બોલીએ તો કદાચ બહુ મોડુ થઈ જશે...!

મૌન રહેવાની અને સહી લેવાની ટેવ જાણે આપણી આદત બની ગઈ છે તેવું લાગે છે.. એટલા મૌન પણ ના રહેવું જોઈએ કે સામે વાળાને એવું થાય કે હું કંઈ પણ કરી લઈશ મારી સામે કોણ બોલવા વાળું છે? ખબર છે અનેક લોકો કહેશે કે અમારા બોલવાથી કંઈ ફરક નથી પડવાનો.. કદાચ તે સાચા પણ હોઈ શકે છે. શરૂઆતમાં કદાચ કોઈ ફરક ના પડે તમારા બોલવાનો પરંતુ ધીરે ધીરે તમારો અવાજ એ સિસ્ટમ સુધી પહોંચશે અને ફેર પડશે.. આપણે હમણાં બોલવાની શરૂઆત નહીં કરીએ તો કદાચ આપણે ક્યારેય નહીં બોલી શકીએ...!       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .