સરકાર, સિસ્ટમ, અધિકારીઓને સવાલ કરવાની સાથે સાથે આપણે પોતાને સવાલ પણ કરવો જોઈએ કે ક્યારેય આપણે આ મુદ્દે વિચાર્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 11:34:24

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે અને અનેક લોકોના મોત દુર્ઘટનાઓને કારણે થયા છે.. કોઈના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા તો કોઈના મોત બળીને થયા છે.. જગ્યાઓ બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય છે,મૃતકોના નામ બદલાય છે બધુ જ બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. આ સિસ્ટમને કોઈ સરકાર નહીં બદલી શકે, ના કોઈ અધિકારી બદલી શકશે.. સવાલ થાય કે આ સિસ્ટમને કોણ બદલી શકે તો આ સિસ્ટમને આપણે બદલી શકીએ છીએ.. 

શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે...?

આ રાજ્યનો નાગરિક આ સિસ્ટમને બદલી શકે છે જો તે પોતાના માટે, પોતાના પરિવાર માટે સવાલ કરતો થાય તો, પોતાને મળેલા અધિકારો વિશે તે બોલતો થાય, સવાલ કરતો થાય ત્યારે.. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો આપણી આસપાસ આગ લાગે તો કેવી રીતે બચવું જોઈએ? કેવી રીતે આગને આગળ વધારતા રોકી શકાય? શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો ભયંકર ધરતી કંપ આવે છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું? 



જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યારે આપણે સવાલ કર્યો છે?  

શું આપણે આપણા બાળકોની શાળાએ જઈને જોયું છે કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે કે નહીં? જો આપણે ક્યારે ફરવા જઈએ છીએ અને બોટિંગ કરીએ છીએ અને જો આપણને લાઈફ જેકેટ નથી અપાતા તો શું આપણે એ લાઈફ જેકેટ માગીએ ખરા? કદાચ જવાબ હશે ના.. આવા મુદ્દાઓ વિશે તો આપણે કદીએ નહીં વિચાર્યું હોય.. કોઈ દુર્ઘટના સર્જાય છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું તેનો પણ કદાચ આપણે વિચાર નહીં કર્યો.. Natural Calamitiesથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી તો આપણને હોતી જ નથી.. 


જ્યારે આવા સવાલ આપણે પોતાની જાતને પૂછીશું ત્યારે... 

આપણને એવું લાગે છે કે આપણી સાથે તો દુર્ઘટના સર્જાવાની નથી. બીજા સાથે સર્જાવાની છે તેવી વાત, તેવો વિચાર આપણને થતો હોય છે પરંતુ દુર્ઘટના તો કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. અગર આગ લાગે છે તો આપણે આગને કેવી રીતે બૂઝવવાની એ આવડે છે? કોઈ હોનારત સર્જાય તો આપણે આપણો તેમજ બીજાનો બચાવ કેવી રીતે કરી શકીએ તે આવડે છે? જ્યારે આપણે આ સવાલ પોતાની જાતને પૂછીશું તો 99 ટકા લોકોના જવાબ ના હશે કે આ મુદ્દે તો ક્યારેય વિચાર્યું નથી... આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે જે જવાબદારો હશે તેમના વિરૂદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ એક સવાલ આપણે પણ પોતાને કરવો જોઈએ.. 


જો આપણે ખોટા સામે હમણાં નહીં બોલીએ તો કદાચ બહુ મોડુ થઈ જશે...!

મૌન રહેવાની અને સહી લેવાની ટેવ જાણે આપણી આદત બની ગઈ છે તેવું લાગે છે.. એટલા મૌન પણ ના રહેવું જોઈએ કે સામે વાળાને એવું થાય કે હું કંઈ પણ કરી લઈશ મારી સામે કોણ બોલવા વાળું છે? ખબર છે અનેક લોકો કહેશે કે અમારા બોલવાથી કંઈ ફરક નથી પડવાનો.. કદાચ તે સાચા પણ હોઈ શકે છે. શરૂઆતમાં કદાચ કોઈ ફરક ના પડે તમારા બોલવાનો પરંતુ ધીરે ધીરે તમારો અવાજ એ સિસ્ટમ સુધી પહોંચશે અને ફેર પડશે.. આપણે હમણાં બોલવાની શરૂઆત નહીં કરીએ તો કદાચ આપણે ક્યારેય નહીં બોલી શકીએ...!       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.