સરકાર, સિસ્ટમ, અધિકારીઓને સવાલ કરવાની સાથે સાથે આપણે પોતાને સવાલ પણ કરવો જોઈએ કે ક્યારેય આપણે આ મુદ્દે વિચાર્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 11:34:24

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે અને અનેક લોકોના મોત દુર્ઘટનાઓને કારણે થયા છે.. કોઈના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા તો કોઈના મોત બળીને થયા છે.. જગ્યાઓ બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય છે,મૃતકોના નામ બદલાય છે બધુ જ બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. આ સિસ્ટમને કોઈ સરકાર નહીં બદલી શકે, ના કોઈ અધિકારી બદલી શકશે.. સવાલ થાય કે આ સિસ્ટમને કોણ બદલી શકે તો આ સિસ્ટમને આપણે બદલી શકીએ છીએ.. 

શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે...?

આ રાજ્યનો નાગરિક આ સિસ્ટમને બદલી શકે છે જો તે પોતાના માટે, પોતાના પરિવાર માટે સવાલ કરતો થાય તો, પોતાને મળેલા અધિકારો વિશે તે બોલતો થાય, સવાલ કરતો થાય ત્યારે.. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો આપણી આસપાસ આગ લાગે તો કેવી રીતે બચવું જોઈએ? કેવી રીતે આગને આગળ વધારતા રોકી શકાય? શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો ભયંકર ધરતી કંપ આવે છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું? 



જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યારે આપણે સવાલ કર્યો છે?  

શું આપણે આપણા બાળકોની શાળાએ જઈને જોયું છે કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે કે નહીં? જો આપણે ક્યારે ફરવા જઈએ છીએ અને બોટિંગ કરીએ છીએ અને જો આપણને લાઈફ જેકેટ નથી અપાતા તો શું આપણે એ લાઈફ જેકેટ માગીએ ખરા? કદાચ જવાબ હશે ના.. આવા મુદ્દાઓ વિશે તો આપણે કદીએ નહીં વિચાર્યું હોય.. કોઈ દુર્ઘટના સર્જાય છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું તેનો પણ કદાચ આપણે વિચાર નહીં કર્યો.. Natural Calamitiesથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી તો આપણને હોતી જ નથી.. 


જ્યારે આવા સવાલ આપણે પોતાની જાતને પૂછીશું ત્યારે... 

આપણને એવું લાગે છે કે આપણી સાથે તો દુર્ઘટના સર્જાવાની નથી. બીજા સાથે સર્જાવાની છે તેવી વાત, તેવો વિચાર આપણને થતો હોય છે પરંતુ દુર્ઘટના તો કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. અગર આગ લાગે છે તો આપણે આગને કેવી રીતે બૂઝવવાની એ આવડે છે? કોઈ હોનારત સર્જાય તો આપણે આપણો તેમજ બીજાનો બચાવ કેવી રીતે કરી શકીએ તે આવડે છે? જ્યારે આપણે આ સવાલ પોતાની જાતને પૂછીશું તો 99 ટકા લોકોના જવાબ ના હશે કે આ મુદ્દે તો ક્યારેય વિચાર્યું નથી... આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે જે જવાબદારો હશે તેમના વિરૂદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ એક સવાલ આપણે પણ પોતાને કરવો જોઈએ.. 


જો આપણે ખોટા સામે હમણાં નહીં બોલીએ તો કદાચ બહુ મોડુ થઈ જશે...!

મૌન રહેવાની અને સહી લેવાની ટેવ જાણે આપણી આદત બની ગઈ છે તેવું લાગે છે.. એટલા મૌન પણ ના રહેવું જોઈએ કે સામે વાળાને એવું થાય કે હું કંઈ પણ કરી લઈશ મારી સામે કોણ બોલવા વાળું છે? ખબર છે અનેક લોકો કહેશે કે અમારા બોલવાથી કંઈ ફરક નથી પડવાનો.. કદાચ તે સાચા પણ હોઈ શકે છે. શરૂઆતમાં કદાચ કોઈ ફરક ના પડે તમારા બોલવાનો પરંતુ ધીરે ધીરે તમારો અવાજ એ સિસ્ટમ સુધી પહોંચશે અને ફેર પડશે.. આપણે હમણાં બોલવાની શરૂઆત નહીં કરીએ તો કદાચ આપણે ક્યારેય નહીં બોલી શકીએ...!       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.