Loksabhaની સાથે સાથે Gujaratમાં યોજાઈ શકે છે પેટાચૂંટણી, એક નહીં પરંતુ ત્રણ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું, આવી અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-12 10:11:40

થોડા મહિનાઓ બાદ લોકસભાની ચૂંટણી આવી છે, ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી આવે તે પહેલા જોડ-તોડની, પક્ષપલ્ટાની રાજનીતિ પણ શરૂ થઇ છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. વધુ બેથી ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. લોકસભાની સાથે સાથે ગુજરાતની જનતાને પેટા - ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

ગુજરાતની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે, તંત્ર તૈયાર | gujarat election  will be announced anytime now


પાંચ બેઠકો માટે યોજાઈ શકે છે પેટા ચૂંટણી 

ગુજરાતની કઈ સીટો પર પેટાચૂંટણી થઇ શકે છે તેની વાત કરીયે તો રાજ્યમાં જે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, ધારાસભ્યોના રાજીનામાની વાતો થઈ રહી છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 5 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી  યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

અપક્ષના ધારાસભ્યોમાંથી એક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.


બાયડના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.  


માવજી દેસાઈ આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

તો બીજી તરફ બનાસકાંઠાની ધાનેરા સીટ પરથી અપક્ષમાંથી જીતેલા માવજી દેસાઈ પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જો માવજી દેસાઈ રાજીનામુ આપે તો ધાનેરામાં પેટ ચૂંટણી તેઓ ભાજપમાંથી લડશે તેવી વાતો પણ થઇ રહી છે. 

  


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આવી રહ્યો છે ભૂકંપ

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હતા ત્યારે હવે અપક્ષ ઉભેલા ધારાસભ્યોની વારી છે. કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે વધુ ત્રણ જેટલા ધારાસભ્યો પણ જવું જવું કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જોડ-તોડની રાજનીતિ ક્યાં જઈને અટકે છે. આ વાંચ્યા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવ્યો. 



ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...