Loksabha Electionની સાથે Gujaratની આ બેઠકો માટે થશે પેટા ચૂંટણીની તારીખોનું એલાન, પેટા ચૂંટણી માટે પણ AAP- Congress કરી શકે છે ગઠબંધન!


  • Published By :
  • Published Date : 2024-03-16 12:57:13

લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તારીખોનું એલાન થવાનું છે પરંતુ તે સિવાય ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા સીટો માટેની તારીખોનું એલાન પણ આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક ખાલી પડી છે, ત્યાંના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. જે 6 વિધાનસભા માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તે છે ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર. આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને તે તારીખની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે. 


6 ધારાસભ્યો હજી સુધી આપી ચૂક્યા છે પદ પરથી રાજીનામું 

2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી..તે ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ આમાંથી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જતા રહ્યા છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરના કોંગ્રેસના સી.જે.ચાવડાએ  ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 



આ બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી 

તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું. પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. આ બેઠકો માટે પેટાચૂંટણી થશે. એવી માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદને છોડનાર પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકીટ આપી શકે છે. ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરી શકે છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ ટિકીટ આપી શકે છે. 



પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન 

તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આજે ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે. અને એવું લાગી રહ્યું છે કે બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવે કે પેટાચૂંટણી પણ આપ અને કોંગ્રેસ ભેગા મળીને લડશે. લોકસભા ચૂંટણી માટે તો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પેટાચૂંટણી માટે પણ આ બંને પાર્ટી ગઠબંધન કરશે કે નહીં?   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે