Loksabha Electionની સાથે Gujaratની આ બેઠકો માટે થશે પેટા ચૂંટણીની તારીખોનું એલાન, પેટા ચૂંટણી માટે પણ AAP- Congress કરી શકે છે ગઠબંધન!


  • Published By :
  • Published Date : 2024-03-16 12:57:13

લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તારીખોનું એલાન થવાનું છે પરંતુ તે સિવાય ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા સીટો માટેની તારીખોનું એલાન પણ આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક ખાલી પડી છે, ત્યાંના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. જે 6 વિધાનસભા માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તે છે ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર. આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને તે તારીખની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે. 


6 ધારાસભ્યો હજી સુધી આપી ચૂક્યા છે પદ પરથી રાજીનામું 

2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી..તે ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ આમાંથી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જતા રહ્યા છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરના કોંગ્રેસના સી.જે.ચાવડાએ  ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 



આ બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી 

તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું. પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. આ બેઠકો માટે પેટાચૂંટણી થશે. એવી માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદને છોડનાર પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકીટ આપી શકે છે. ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરી શકે છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ ટિકીટ આપી શકે છે. 



પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન 

તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આજે ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે. અને એવું લાગી રહ્યું છે કે બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવે કે પેટાચૂંટણી પણ આપ અને કોંગ્રેસ ભેગા મળીને લડશે. લોકસભા ચૂંટણી માટે તો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પેટાચૂંટણી માટે પણ આ બંને પાર્ટી ગઠબંધન કરશે કે નહીં?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.