Loksabha ચૂંટણીની સાથે Gujaratની આ 5 વિધાનસભા બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી, સવાલ એ થાય આ બેઠક ભુલાઈ ગઈ કે ખરેખર નથી રાખવાની ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-16 17:31:46

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ગયું છે. 7 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે.પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 7મેના રોજ મતદાન થવાનું છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવશે. 


5 બેઠકો માટે આ તારીખે યોજાશે પેટાચૂંટણી 

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો અંગે તો જાહેરાત કરવામાં આવી ગઈ છે ઉપરાંત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની 6 બેઠકો ખાલી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા પાંચ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. વિસાવદરના નામનો ઉલ્લેખ ચૂંટણી પંચ દ્વારા નથી કરવામાં આવ્યો. તે સિવાય વાઘોડિયા, પોરબંદર પર તેમજ ખંભાત, વિજાપુર, માણાવદર પર પેટા ચૂંટણી 7 મેના રોજ હાથ ધરવામાં આવશે. વિસાવદર પેટા ચૂંટણી અંગે જાહેરાત નથી કરવામાં આવી.


વિસાવદર બેઠક માટે નથી કરાઈ પેટાચૂંટણીની તારીખ જાહેર 

એવું માનવામાં આવતું હતું કે 6 વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટાચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી પરંતુ તે જાહેરાતમાં માત્ર 5 વિધાનસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિસાવદર બેઠક અંગેની જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું છે કે વિસાવદરની બેઠક સૌથી પહેલા ખાલી થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી સૌ પ્રથમ રાજીનામું આપ્યું હતું.  આ મામલે અપડેટ સામે આવી છે કે કોર્ટ કેસ ચાલુ હોવાને કારણે આ બેઠક માટે તારીખ જાહેર નથી કરવામાં આવી.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.