જો ભાજપ આ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં - લલિત વસોયાનો દાવો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:45:46

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નથી આવી રહી છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. ત્યારે PAAS કન્વીનર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આવી હવાને વધારે વેગ લલિત વસોયાની વાતથી મળ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ વાત કરી છે કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાના છે. લલિત વસોયા માટે પણ અનેક ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત કરવામાં આવતી હોય છે.

૩૩ દિવસ ભૂગર્ભમાં રહેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્ન પ્રસંગમાં પોલીસના  હાથે ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યા સંકેત

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ કથીરિયા રાજકારણના માણસ નથી.તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર તેમની બે માગ સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે. 

कांग्रेस विधायक ललित वसोया ने जल समाधि लेने का किया था ऐलान - Congress MLA Lalit  Vasoya announced to take water samadhi


જો ભાજપ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ ધારણ કરશે કેસરિયો 

અલ્પેશ કથીરિયાએ ભાજપ પાર્ટી સામે બે શરત મુકી છે. એક શરત એવી છે કે જેમાં અનામતના આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા તેમજ આ લડાઈમાં જે 14 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારને ન્યાયની માગ મુખ્ય છે. જો સરકાર આ માગને સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે સમાજનું હિત તેમના માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઈ પણ નિર્ણય લઈશ. ત્યારે શું અલ્પેશ કથીરિયા સાચે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે એક પ્રશ્ન છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે