જો ભાજપ આ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં - લલિત વસોયાનો દાવો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:45:46

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નથી આવી રહી છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. ત્યારે PAAS કન્વીનર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આવી હવાને વધારે વેગ લલિત વસોયાની વાતથી મળ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ વાત કરી છે કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાના છે. લલિત વસોયા માટે પણ અનેક ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત કરવામાં આવતી હોય છે.

૩૩ દિવસ ભૂગર્ભમાં રહેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્ન પ્રસંગમાં પોલીસના  હાથે ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યા સંકેત

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ કથીરિયા રાજકારણના માણસ નથી.તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર તેમની બે માગ સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે. 

कांग्रेस विधायक ललित वसोया ने जल समाधि लेने का किया था ऐलान - Congress MLA Lalit  Vasoya announced to take water samadhi


જો ભાજપ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ ધારણ કરશે કેસરિયો 

અલ્પેશ કથીરિયાએ ભાજપ પાર્ટી સામે બે શરત મુકી છે. એક શરત એવી છે કે જેમાં અનામતના આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા તેમજ આ લડાઈમાં જે 14 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારને ન્યાયની માગ મુખ્ય છે. જો સરકાર આ માગને સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે સમાજનું હિત તેમના માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઈ પણ નિર્ણય લઈશ. ત્યારે શું અલ્પેશ કથીરિયા સાચે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે એક પ્રશ્ન છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.