Alpesh Kathiriya, ધાર્મિક માલવિયા BJPમાં જોડાશે, આ મુદ્દે Gopal Italiaએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આટલી મજબૂરી કેમ છે ભાજપની કે...?


  • Published By :
  • Published Date : 2024-04-26 17:41:35

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આવા ભરતી મેળાઓ રોજે જોવા મળે તો નવાઈ નહીં... ત્યારે આવતી કાલે આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા કેસરિયો ધારણ કરવાના છે... સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે.. ત્યારે આ મામલે જમાવટની ટીમે આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાજપ અને અલ્પેશ કથિરીયા વિશે વાત કરી હતી.    

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા જાડાશે ભાજપમાં 

એક તરફ લોકસભા ચૂંટણી નજીક છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે... થોડા સમયની અંદર ભાજપમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યારે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ અચાનક રાજીનામું આપી દીધું. એ હતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. ત્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયાની સાથે જમાવટની ટીમે વાત કરી હતી.  

        


ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

જે અલ્પેશ કથિરીયા પર દેશ દ્રોહનો આરોપ લગાવ્યો હતો તે જ અલ્પેશ કથિરીયાને લેવો પડે.. ક્યાં ગયા સિદ્ધાંતો? આ જ અલ્પેશ કથિરીયા ઉપર કોથળા ભરી ભરીને  ભાજપે આરોપ લગાવ્યા છે, કે આવા છે, તેવા છે.. સમાજ સાથે આમ કરી નાખ્યુંને તેમ કરી નાખ્યું.. હવે કેમ ભાજપને સારા લાગવા લાગ્યા છે? વાતચીત દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.