અલ્પેશના માતાના ઘૂંટણની સારવાર આયુષ્યમાન કાર્ડથી કરી, રેવડી મુદ્દે BJPના કાનાણીનો પલટવાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-25 19:13:09

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરાછા બેઠક પર જામેલા જંગમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ AAP પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના રેવડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો ભાજપે શું કર્યું, ફ્રી મફતની વાત કરે છે તેમને કહી દઉં તમારા બાં (માતા)ના ઘૂંટણની સારવાર પણ ભાજપના આયુષ્યમાન કાર્ડથી થઈ છે.


વિકાસ , રેવડી મુદ્દે રાજકારણ !!

આ ચૂંટણીમાં AAP દ્વારા અલગ અલગ ગેરંટી આપવામાં આવી છે . મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આકર્ષિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારે ભાજપે પણ પોતાના કાર્યોની ગણતરી આપી દીધી છે. કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડથી હજારો પરિવારને રાહત ભાજપ સરકારે આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર સામે વાઈરલ થયેલા વીડિયોથી અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.