ભાજપની ગૌરવયાત્રા બનાસકાંઠામાં પ્રવેશી, અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી પણ જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:55:00

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નિકળેલી ભાજપની ગૌરવ યાત્રામાં પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. જેમ કે આજે છાપી ગામથી ગુજરાત ગૌરાવ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. તે બનાસકાંઠાના વિધાનસભા મત વિસ્તારને આવરી લેવા માટે સતત ભ્રમણ કરશે. જેમાં ભાજપના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આ ગૌરવ યાત્રામાં જોડાવા માટે અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી પણ પહોંચી ગયા છે. 


બનાસકાંઠાના છાપીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ


ચૂટણી પહેલા ભાજપના નેતાઓ ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી સરકારના વિકાસ કાર્યોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના અર્ગણી નેતા અને જિલ્લા અધ્યક્ષ ગુમાન સિંહ ચૌહાણે કહ્યું હતું કે ભાજપ સરકારે સતત લોકોના હિતમાં કામ કર્યું છે. જનકલ્યાણ હેતુ નક્કર પોલીસી બનાવવાથી લઈ કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેવાનું કામ પણ ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહિલા સશક્તિકરણ અને ગરીબ કલ્યાણના મુદ્દે પણ વિકાસ થવા જઈ રહ્યો છે. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને ભાજપ પર ભરોસો છે અને જંગી બહુમતીથી જીત મળવાની સાથે ભાજપ આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યો વેગવંતા બનાવે એવા એંધાણ પણ જણાઈ રહ્યા છે. જો કે ભાજપના આ ચૂંટણીલક્ષી ગૌરવ યાત્રાને બનાસકાંઠાના લોકો કેટલી આવકારી છે તે તો ચૂંટણી પરિણામ પછી જ જાણી શકાશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .