રાધનપુરમાં બે ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ મંચ પર જોવા મળ્યો, લવિંગજીએ અલ્પેશની અવગણના કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 14:38:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીયોની ટિકિટ માટેની ખેંચતાણ વધી ગઈ છે. રાધનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના બે ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર દાવો કરી રહ્યા છે. બંને નેતાઓ પાટણના વારાહી ખાતે એક મંચ પર એક સાથે જોવા મળ્યા.


બંને ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. તેમ છતાં લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બહુ ભાવ આપ્યો ન હતો. સ્ટેજ પર ભાષણ કરી રહેલા લવિંગજીને પોતાના નામની જાહેરાત કરવા માટે અલ્પેશ ઠાકોરે અનેક ઈશારા કર્યા હતા જો કે લવિંગજીએ તેની સતત અવગણના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. 


આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ

રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. બંને ઠાકોર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું માનવામાં આવતું હતું પણ લવિંગજી ઠાકોરે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અલ્પેશ ઠાકોરની અવગણના કરવાનું ચાલું જ રાખ્યું હોય તેવું સ્ટેજ પર સ્પષ્ટ જોવા મળ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.