રાધનપુરમાં બે ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ મંચ પર જોવા મળ્યો, લવિંગજીએ અલ્પેશની અવગણના કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 14:38:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીયોની ટિકિટ માટેની ખેંચતાણ વધી ગઈ છે. રાધનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના બે ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર દાવો કરી રહ્યા છે. બંને નેતાઓ પાટણના વારાહી ખાતે એક મંચ પર એક સાથે જોવા મળ્યા.


બંને ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. તેમ છતાં લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બહુ ભાવ આપ્યો ન હતો. સ્ટેજ પર ભાષણ કરી રહેલા લવિંગજીને પોતાના નામની જાહેરાત કરવા માટે અલ્પેશ ઠાકોરે અનેક ઈશારા કર્યા હતા જો કે લવિંગજીએ તેની સતત અવગણના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. 


આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ

રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. બંને ઠાકોર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું માનવામાં આવતું હતું પણ લવિંગજી ઠાકોરે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અલ્પેશ ઠાકોરની અવગણના કરવાનું ચાલું જ રાખ્યું હોય તેવું સ્ટેજ પર સ્પષ્ટ જોવા મળ્યું હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.