AAP- Congress છોટાઉદેપુરમાં પણ એક, રાધિકા રાઠવાએ કહ્યું કે ભરૂચ-ભાવનગર આપ તો બાકીમાં કૉંગ્રેસ જીતાડીશું!


  • Published By :
  • Published Date : 2024-03-09 11:50:02

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે.  આજે ભરૂચ લોકસભા વિસ્તારમાં આ યાત્રાનો પ્રવેશ થવાનો છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે જેને કારણે રાહુલ ગાંધીની આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તો હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જ પણ સામેલ હોય છે ગઠબંધન થવાને કારણે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે ચૈતર વસાવા આજે યાત્રામાં સામેલ થઈ શકે છે. આ યાત્રામાં રાધિકા રાઠવા પણ જોવા મળ્યા હતા. 

આજે ભરૂચની સરહદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો થશે પ્રવેશ 

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની આ યાત્રા ચાલી છે તો બીજી તરફ ગુજરાતની એક પણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. છોટાઉદેપુર માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ભાજપ દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચશે ત્યારે ચૈતર વસાવા પણ સામેલ થઈ શકે છે.


યાત્રામાં દેખાઈ રહ્યા છે આપના કાર્યકર્તાઓ, નેતાઓ

ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે. ગુજરાત માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવી રહ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણા દાવેદારી નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને રાહુલ ગાંધીની આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ દેખાયા હતા. ગુજરાતમાં જ્યારે આ યાત્રાનો પ્રવેશ થયો ત્યારે આપના ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું,     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.