AAP- Congress છોટાઉદેપુરમાં પણ એક, રાધિકા રાઠવાએ કહ્યું કે ભરૂચ-ભાવનગર આપ તો બાકીમાં કૉંગ્રેસ જીતાડીશું!


  • Published By :
  • Published Date : 2024-03-09 11:50:02

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે.  આજે ભરૂચ લોકસભા વિસ્તારમાં આ યાત્રાનો પ્રવેશ થવાનો છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે જેને કારણે રાહુલ ગાંધીની આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તો હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જ પણ સામેલ હોય છે ગઠબંધન થવાને કારણે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે ચૈતર વસાવા આજે યાત્રામાં સામેલ થઈ શકે છે. આ યાત્રામાં રાધિકા રાઠવા પણ જોવા મળ્યા હતા. 

આજે ભરૂચની સરહદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો થશે પ્રવેશ 

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની આ યાત્રા ચાલી છે તો બીજી તરફ ગુજરાતની એક પણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. છોટાઉદેપુર માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ભાજપ દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચશે ત્યારે ચૈતર વસાવા પણ સામેલ થઈ શકે છે.


યાત્રામાં દેખાઈ રહ્યા છે આપના કાર્યકર્તાઓ, નેતાઓ

ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે. ગુજરાત માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવી રહ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણા દાવેદારી નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને રાહુલ ગાંધીની આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ દેખાયા હતા. ગુજરાતમાં જ્યારે આ યાત્રાનો પ્રવેશ થયો ત્યારે આપના ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું,     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .