યુવાનોમાં વધતા Heart Attackને ધ્યાનમાં રાખી AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ, જાણો ખેલૈયાઓને શું આપી સલાહ?


  • Published By :
  • Published Date : 2023-10-07 17:07:01

રાજ્યામાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. ગરબાને લઈ ખેલૈયાઓ ઉત્સુક છે. અનેક ખેલૈયાઓએ ગરબા ક્લાસીસ જોઈન કરી નવા નવા સ્ટેપ પણ શીખી લીધા છે. ક્યારે નવરાત્રી શરૂ થાય અને ક્યારે ગરબા ગાઈએ તેની રાહ જોવાઈ રહી છે. નવરાત્રીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એએમએ બંને ખેલૈયાઓ માટે તેમજ આયોજકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  

Tracing the origins of Garba

અમદાવાદ મેડિકલ એસોશિયેશને જાહેર કરી ગાઈડલાઈન્સ 

15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે અને માતાજીની આરાધના કરશે. નવરાત્રી તેમજ ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક બન્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગરબા રમતા રમતા યુવાનો મરી રહ્યા છે ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોસિએશને ગાઈડલાઈન  જાહેર કરી દીધી છે. 


ખેલૈયાઓ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સની વાત કરીએ તો - 


1. જો ગરબા રમતી વખતે તમને (ખેલૈયા)ને ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે, માથાનો દુખાવો થતો હોય તેવો અહેસાસ થાય. ઉલટી જેવું લાગે તો ગરબા રમવાનું બંધ કરી દો. જો વધારે પરસેવો સાથ, ગભરામણ થાય અને શ્વાસોશ્વાસની તકલીફ જણાય તો ગરબા ન રમવા.  



2. જો તમને કોઈ બીમારી હોય તો તેની જાણ પોતાના ગ્રુપના લોકોને કરવી જોઈએ. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.



3. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે.



4. દિવસ દરમિયાન પૂરતું પાણી લેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.


5. નવરાત્રી દરમિયાન નિયમિત દવાઓ જે તમે (ખેલૈયા)ઓ લેતા હોવ તે લેવાનું ચૂકશો નહીં. જરૂર જણાય તો અથવા તો અગમચેતીના ભાગરૂપે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 



 હોસ્પિટલના ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 





ગરબા આયોજકો માટે પણ ગાઈડલાઈનસ્ જાહેર કરવામાં આવી છે. 


1. ગરબા આયોજકોએ તેમના સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપવી જોઈએ. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.


2. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે અને નીકળી શકે. આવવા જવા માટે સમર્પિત માર્ગ રાખવો જોઈએ. 


3. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવા જોઈએ. 


4. બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.