યુવાનોમાં વધતા Heart Attackને ધ્યાનમાં રાખી AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ, જાણો ખેલૈયાઓને શું આપી સલાહ?


  • Published By :
  • Published Date : 2023-10-07 17:07:01

રાજ્યામાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. ગરબાને લઈ ખેલૈયાઓ ઉત્સુક છે. અનેક ખેલૈયાઓએ ગરબા ક્લાસીસ જોઈન કરી નવા નવા સ્ટેપ પણ શીખી લીધા છે. ક્યારે નવરાત્રી શરૂ થાય અને ક્યારે ગરબા ગાઈએ તેની રાહ જોવાઈ રહી છે. નવરાત્રીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એએમએ બંને ખેલૈયાઓ માટે તેમજ આયોજકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  

Tracing the origins of Garba

અમદાવાદ મેડિકલ એસોશિયેશને જાહેર કરી ગાઈડલાઈન્સ 

15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે અને માતાજીની આરાધના કરશે. નવરાત્રી તેમજ ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક બન્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગરબા રમતા રમતા યુવાનો મરી રહ્યા છે ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોસિએશને ગાઈડલાઈન  જાહેર કરી દીધી છે. 


ખેલૈયાઓ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સની વાત કરીએ તો - 


1. જો ગરબા રમતી વખતે તમને (ખેલૈયા)ને ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે, માથાનો દુખાવો થતો હોય તેવો અહેસાસ થાય. ઉલટી જેવું લાગે તો ગરબા રમવાનું બંધ કરી દો. જો વધારે પરસેવો સાથ, ગભરામણ થાય અને શ્વાસોશ્વાસની તકલીફ જણાય તો ગરબા ન રમવા.  



2. જો તમને કોઈ બીમારી હોય તો તેની જાણ પોતાના ગ્રુપના લોકોને કરવી જોઈએ. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.



3. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે.



4. દિવસ દરમિયાન પૂરતું પાણી લેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.


5. નવરાત્રી દરમિયાન નિયમિત દવાઓ જે તમે (ખેલૈયા)ઓ લેતા હોવ તે લેવાનું ચૂકશો નહીં. જરૂર જણાય તો અથવા તો અગમચેતીના ભાગરૂપે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 



 હોસ્પિટલના ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 





ગરબા આયોજકો માટે પણ ગાઈડલાઈનસ્ જાહેર કરવામાં આવી છે. 


1. ગરબા આયોજકોએ તેમના સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપવી જોઈએ. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.


2. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે અને નીકળી શકે. આવવા જવા માટે સમર્પિત માર્ગ રાખવો જોઈએ. 


3. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવા જોઈએ. 


4. બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી