બમ બમ ભોલેના નાદથી Amarnath yatraનો થયો પ્રારંભ, દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 13:06:17

અમરનાથ યાત્રા કરવાની ઈચ્છા અનેક ભક્તોને હોય છે.. ભક્તો માનતા હોય છે કે જીવનમાં એક વાર તો અમરનાથ યાત્રા કરવી જોઈએ.. અમરનાથની યાત્રા એટલી સરળ નથી હોતી જેટલું આપણે માનતા હોઈએ છીએ.. અનેક ભક્તો માનતા હોય છે કે બરફાની બાબાની ઈચ્છા હશે તો જ આપણે તેમના દર્શન કરી શકીશું. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાની શરૂઆત આજથી થઈ ગઈ છે. વહેલી સવારે મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલા બેચને રવાના કરી હતી. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.    

ગુફા સુધી પહોંચવાના છે બે માર્ગ

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે અમરનાથ યાત્રા શરૂ થઈ તે પહેલા અનેક આતંકી હુમલા થવાની ઘટના સામે આવી છે. જેને કારણે આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ બાબા બરફાનીની ગુફા જવા માટે રવાના થઈ રહ્યા છે. યાત્રાની શરૂઆત બાલટાલ તેમજ પહેલગામથી થતી હોય છે. 

શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ થયો રવાના

ગુફા સુધી પહોંચવા માટે ભક્તોએ લાંબો સફર કાપવો પડતો હોય છે. ખૂબ ઉંચાઈ પર બાબા બર્ફાનીની ગુફા આવેલી છે.. એવી માહિતી સામે આવી છે કે શિવલીંગના દર્શન કરવા માટે ચાર હજારથી વધુ તીર્થયાત્રીઓનો પહેલો સમૂહ રવાના કરવામાં આવ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થળોએથી દર્શન કરવા માટે ભક્તો જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. 

19 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા 

આજથી શરૂ થયેલી અમરનાથની યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટ 2024ના રોજ આ યાત્રા પૂર્ણ થશે.. મહત્વનું છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે.. આ યાત્રા કરવા માટે Physically Fit હોવું જરૂરી છે. Medical Certificate જરૂરી છે સાથે સાથે અનેક એવા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે.    



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...