બમ બમ ભોલેના નાદથી Amarnath yatraનો થયો પ્રારંભ, દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-29 13:06:17

અમરનાથ યાત્રા કરવાની ઈચ્છા અનેક ભક્તોને હોય છે.. ભક્તો માનતા હોય છે કે જીવનમાં એક વાર તો અમરનાથ યાત્રા કરવી જોઈએ.. અમરનાથની યાત્રા એટલી સરળ નથી હોતી જેટલું આપણે માનતા હોઈએ છીએ.. અનેક ભક્તો માનતા હોય છે કે બરફાની બાબાની ઈચ્છા હશે તો જ આપણે તેમના દર્શન કરી શકીશું. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાની શરૂઆત આજથી થઈ ગઈ છે. વહેલી સવારે મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલા બેચને રવાના કરી હતી. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.    

ગુફા સુધી પહોંચવાના છે બે માર્ગ

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે અમરનાથ યાત્રા શરૂ થઈ તે પહેલા અનેક આતંકી હુમલા થવાની ઘટના સામે આવી છે. જેને કારણે આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ બાબા બરફાનીની ગુફા જવા માટે રવાના થઈ રહ્યા છે. યાત્રાની શરૂઆત બાલટાલ તેમજ પહેલગામથી થતી હોય છે. 

શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ થયો રવાના

ગુફા સુધી પહોંચવા માટે ભક્તોએ લાંબો સફર કાપવો પડતો હોય છે. ખૂબ ઉંચાઈ પર બાબા બર્ફાનીની ગુફા આવેલી છે.. એવી માહિતી સામે આવી છે કે શિવલીંગના દર્શન કરવા માટે ચાર હજારથી વધુ તીર્થયાત્રીઓનો પહેલો સમૂહ રવાના કરવામાં આવ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થળોએથી દર્શન કરવા માટે ભક્તો જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. 

19 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા 

આજથી શરૂ થયેલી અમરનાથની યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટ 2024ના રોજ આ યાત્રા પૂર્ણ થશે.. મહત્વનું છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે.. આ યાત્રા કરવા માટે Physically Fit હોવું જરૂરી છે. Medical Certificate જરૂરી છે સાથે સાથે અનેક એવા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .