મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, જાણો મંત્રના ઉચ્ચારણથી થતા ફાયદા વિશે


  • Published By :
  • Published Date : 2022-12-13 16:24:10

અનેક લોકો સવારે ઉઠી મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે. અનેક લોકો મનમાં મંત્રનો જાપ કરતા હોય છે પરંતુ જોર-જોરથી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્રનું ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેની સીધી અસર શરીરમાં રેહલા ચક્રો પર પડે છે. મંત્રનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વ્યક્તિની ઉર્જા અને પ્રકૃતિની ઉર્જા એક થાય છે. મંત્રનો જાપ કરવાથી ઉર્જા શક્તિ અને એકીકરણ થાય એટલે જ મનનાત્ ત્રયતે ઈતિ મંત્ર. 

શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક  પરિવર્તન | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये  ...


જ્યારે મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એના વાયબ્રેશન્સની અસર શરીર પર રહે છે. અવાજ નાભીમાંથી નીકળે છે. શરીરમાં સાત ચક્રો આવેલા છે. સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, તેની ઉપર મણીપુર ચક્ર આવેલું છે, તેની ઉપર હાર્ટ ચક્ર આવેલું છે, તેની ઉપર throath ચક્ર આવેલું છે. નાભીમાં નીકળેલો અવાજ throath ચક્ર સુધી પહોંચવો જોઈએ. 

મંત્ર જાપ કરો છો તો આ ભૂલો કરવાથી બચો, મળશે લાભ. | Dharmik Topic

શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિથી સૂસૂપત મન જાગૃત થાય છે. આ વાઈબ્રેશનને કારણે માણસોની આદત, વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. દરેક મંત્રનું, મંત્રમાં રહેલા દરેક શબ્દનું અલગ વાઈબ્રેશન અલગ તરંગ નીકળતા હોય છે. મંત્રમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ આકાશમાં પહોંચે છે. બ્રહ્માંડમાં રહેલી ઉર્જા પાછી વળી આપણી સાથે આવે છે. મંત્ર બોલવાથી અનેક રોગોમાંથી પણ મુક્તિ મળે છે.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.