મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, જાણો મંત્રના ઉચ્ચારણથી થતા ફાયદા વિશે


  • Published By :
  • Published Date : 2022-12-13 16:24:10

અનેક લોકો સવારે ઉઠી મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે. અનેક લોકો મનમાં મંત્રનો જાપ કરતા હોય છે પરંતુ જોર-જોરથી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્રનું ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેની સીધી અસર શરીરમાં રેહલા ચક્રો પર પડે છે. મંત્રનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વ્યક્તિની ઉર્જા અને પ્રકૃતિની ઉર્જા એક થાય છે. મંત્રનો જાપ કરવાથી ઉર્જા શક્તિ અને એકીકરણ થાય એટલે જ મનનાત્ ત્રયતે ઈતિ મંત્ર. 

શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક  પરિવર્તન | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये  ...


જ્યારે મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એના વાયબ્રેશન્સની અસર શરીર પર રહે છે. અવાજ નાભીમાંથી નીકળે છે. શરીરમાં સાત ચક્રો આવેલા છે. સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, તેની ઉપર મણીપુર ચક્ર આવેલું છે, તેની ઉપર હાર્ટ ચક્ર આવેલું છે, તેની ઉપર throath ચક્ર આવેલું છે. નાભીમાં નીકળેલો અવાજ throath ચક્ર સુધી પહોંચવો જોઈએ. 

મંત્ર જાપ કરો છો તો આ ભૂલો કરવાથી બચો, મળશે લાભ. | Dharmik Topic

શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિથી સૂસૂપત મન જાગૃત થાય છે. આ વાઈબ્રેશનને કારણે માણસોની આદત, વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. દરેક મંત્રનું, મંત્રમાં રહેલા દરેક શબ્દનું અલગ વાઈબ્રેશન અલગ તરંગ નીકળતા હોય છે. મંત્રમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ આકાશમાં પહોંચે છે. બ્રહ્માંડમાં રહેલી ઉર્જા પાછી વળી આપણી સાથે આવે છે. મંત્ર બોલવાથી અનેક રોગોમાંથી પણ મુક્તિ મળે છે.       




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.