મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, જાણો મંત્રના ઉચ્ચારણથી થતા ફાયદા વિશે


  • Published By :
  • Published Date : 2022-12-13 16:24:10

અનેક લોકો સવારે ઉઠી મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે. અનેક લોકો મનમાં મંત્રનો જાપ કરતા હોય છે પરંતુ જોર-જોરથી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્રનું ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેની સીધી અસર શરીરમાં રેહલા ચક્રો પર પડે છે. મંત્રનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વ્યક્તિની ઉર્જા અને પ્રકૃતિની ઉર્જા એક થાય છે. મંત્રનો જાપ કરવાથી ઉર્જા શક્તિ અને એકીકરણ થાય એટલે જ મનનાત્ ત્રયતે ઈતિ મંત્ર. 

શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક  પરિવર્તન | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये  ...


જ્યારે મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એના વાયબ્રેશન્સની અસર શરીર પર રહે છે. અવાજ નાભીમાંથી નીકળે છે. શરીરમાં સાત ચક્રો આવેલા છે. સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, તેની ઉપર મણીપુર ચક્ર આવેલું છે, તેની ઉપર હાર્ટ ચક્ર આવેલું છે, તેની ઉપર throath ચક્ર આવેલું છે. નાભીમાં નીકળેલો અવાજ throath ચક્ર સુધી પહોંચવો જોઈએ. 

મંત્ર જાપ કરો છો તો આ ભૂલો કરવાથી બચો, મળશે લાભ. | Dharmik Topic

શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિથી સૂસૂપત મન જાગૃત થાય છે. આ વાઈબ્રેશનને કારણે માણસોની આદત, વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. દરેક મંત્રનું, મંત્રમાં રહેલા દરેક શબ્દનું અલગ વાઈબ્રેશન અલગ તરંગ નીકળતા હોય છે. મંત્રમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ આકાશમાં પહોંચે છે. બ્રહ્માંડમાં રહેલી ઉર્જા પાછી વળી આપણી સાથે આવે છે. મંત્ર બોલવાથી અનેક રોગોમાંથી પણ મુક્તિ મળે છે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.