મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, જાણો મંત્રના ઉચ્ચારણથી થતા ફાયદા વિશે


  • Published By :
  • Published Date : 2022-12-13 16:24:10

અનેક લોકો સવારે ઉઠી મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે. અનેક લોકો મનમાં મંત્રનો જાપ કરતા હોય છે પરંતુ જોર-જોરથી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્રનું ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેની સીધી અસર શરીરમાં રેહલા ચક્રો પર પડે છે. મંત્રનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વ્યક્તિની ઉર્જા અને પ્રકૃતિની ઉર્જા એક થાય છે. મંત્રનો જાપ કરવાથી ઉર્જા શક્તિ અને એકીકરણ થાય એટલે જ મનનાત્ ત્રયતે ઈતિ મંત્ર. 

શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક  પરિવર્તન | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये  ...


જ્યારે મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એના વાયબ્રેશન્સની અસર શરીર પર રહે છે. અવાજ નાભીમાંથી નીકળે છે. શરીરમાં સાત ચક્રો આવેલા છે. સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, તેની ઉપર મણીપુર ચક્ર આવેલું છે, તેની ઉપર હાર્ટ ચક્ર આવેલું છે, તેની ઉપર throath ચક્ર આવેલું છે. નાભીમાં નીકળેલો અવાજ throath ચક્ર સુધી પહોંચવો જોઈએ. 

મંત્ર જાપ કરો છો તો આ ભૂલો કરવાથી બચો, મળશે લાભ. | Dharmik Topic

શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિથી સૂસૂપત મન જાગૃત થાય છે. આ વાઈબ્રેશનને કારણે માણસોની આદત, વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. દરેક મંત્રનું, મંત્રમાં રહેલા દરેક શબ્દનું અલગ વાઈબ્રેશન અલગ તરંગ નીકળતા હોય છે. મંત્રમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ આકાશમાં પહોંચે છે. બ્રહ્માંડમાં રહેલી ઉર્જા પાછી વળી આપણી સાથે આવે છે. મંત્ર બોલવાથી અનેક રોગોમાંથી પણ મુક્તિ મળે છે.       




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.