એમેઝોનના માલિક જેફ બેઝોસે લોકોને ટીવી, ફ્રિઝ અને કાર ન ખરીદવા આપી સલાહ જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-18 21:18:28


દુનિયામાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક નિષ્ણાતો આર્થિક મહામંદીની સંભાવનાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને અપીલ કરી છે કે વિશ્વમાં મંદી આવશે અને તે માટે લોકોએ તેમની પાસે પૈસા બચાવીને રાખવા જોઈએ. તેમણે તે પણ કહ્યું કે લોકો ટીવી-ફ્રિજ ખરીદવાની જગ્યાએ આર્થિંક મંદીનો સામનો કરવા માટે રોકડ રકમ બચાવીને રાખે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે લોકોને ખર્ચ ઘટાડવા અને બચત વધારવાની સલાહ આપી દીધી છે. 


જેફ બેઝોસે લોકોને શું અપીલ કરી?


જેફ બેઝોસે લોકોને આગામી તહેવારોની સીઝનમાં રોકડ બચાવવા અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ન કરવા જણાવ્યું છે. અમેરિકા-યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના જોખમો દેખાઈ રહ્યા છે. આ કારણથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસે લોકોને આ સલાહ આપી છે.


તેમણે કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરના લોકોએ આવનારા સમયમાં મોટી ખરીદી ન કરવી જોઈએ. તમે નવું ફ્રિજ-ટીવી કે કાર ખરીદવા જેવી બાબતો મુલતવી રાખીને પૈસા બચાવી શકો છો. આર્થિક મંદીના મુશ્કેલ સમયમાં આ પૈસા તમારા માટે ઉપયોગી થશે.


જેફ બેઝોસે કહ્યું, "જો તમે એકલા રહો છો અને તમે મોટા સ્ક્રીન ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારે રાહ જોવાની જરૂર છે. આર્થિક મંદીના જોખમોને ધ્યાનમાં રાખીને, તમારે પૈસા બચાવવા જોઈએ અને આવનારા મુશ્કેલ સમય માટે. "તૈયાર રહેવું પડશે."



અમેરિકા પર તોળાઈ રહી છે મંદી


અમેરિકામાં આર્થિક મંદીની સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. જો દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત બે મહિના સુધી નેગેટિવ નોંધાય તો તે ટેકનિકલ રીતે મંદી મનાય છે. અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી નેગેટીવ ગ્રોથ રેટ નોંધાવી રહી છે. આ કારણે જ નિષ્ણાતોનું કહેનું છે કે અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોનના સ્થાપકે નાના ઉદ્યોગપતિઓએ પણ બિઝનેશનો વિસ્તાર નહીં કરવો જોઈએ. ધંધો વધારવા કરતા MSMEએ રોકડ પોતાની પાસે રાખવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે ઉદ્યોગપતિઓએ જેટલું બની શકે તેટલું જોખમ ટાળવું જોઈએ. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .