એમેઝોનના માલિક જેફ બેઝોસે લોકોને ટીવી, ફ્રિઝ અને કાર ન ખરીદવા આપી સલાહ જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-18 21:18:28


દુનિયામાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક નિષ્ણાતો આર્થિક મહામંદીની સંભાવનાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને અપીલ કરી છે કે વિશ્વમાં મંદી આવશે અને તે માટે લોકોએ તેમની પાસે પૈસા બચાવીને રાખવા જોઈએ. તેમણે તે પણ કહ્યું કે લોકો ટીવી-ફ્રિજ ખરીદવાની જગ્યાએ આર્થિંક મંદીનો સામનો કરવા માટે રોકડ રકમ બચાવીને રાખે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે લોકોને ખર્ચ ઘટાડવા અને બચત વધારવાની સલાહ આપી દીધી છે. 


જેફ બેઝોસે લોકોને શું અપીલ કરી?


જેફ બેઝોસે લોકોને આગામી તહેવારોની સીઝનમાં રોકડ બચાવવા અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ન કરવા જણાવ્યું છે. અમેરિકા-યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના જોખમો દેખાઈ રહ્યા છે. આ કારણથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસે લોકોને આ સલાહ આપી છે.


તેમણે કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરના લોકોએ આવનારા સમયમાં મોટી ખરીદી ન કરવી જોઈએ. તમે નવું ફ્રિજ-ટીવી કે કાર ખરીદવા જેવી બાબતો મુલતવી રાખીને પૈસા બચાવી શકો છો. આર્થિક મંદીના મુશ્કેલ સમયમાં આ પૈસા તમારા માટે ઉપયોગી થશે.


જેફ બેઝોસે કહ્યું, "જો તમે એકલા રહો છો અને તમે મોટા સ્ક્રીન ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારે રાહ જોવાની જરૂર છે. આર્થિક મંદીના જોખમોને ધ્યાનમાં રાખીને, તમારે પૈસા બચાવવા જોઈએ અને આવનારા મુશ્કેલ સમય માટે. "તૈયાર રહેવું પડશે."



અમેરિકા પર તોળાઈ રહી છે મંદી


અમેરિકામાં આર્થિક મંદીની સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. જો દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત બે મહિના સુધી નેગેટિવ નોંધાય તો તે ટેકનિકલ રીતે મંદી મનાય છે. અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી નેગેટીવ ગ્રોથ રેટ નોંધાવી રહી છે. આ કારણે જ નિષ્ણાતોનું કહેનું છે કે અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોનના સ્થાપકે નાના ઉદ્યોગપતિઓએ પણ બિઝનેશનો વિસ્તાર નહીં કરવો જોઈએ. ધંધો વધારવા કરતા MSMEએ રોકડ પોતાની પાસે રાખવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે ઉદ્યોગપતિઓએ જેટલું બની શકે તેટલું જોખમ ટાળવું જોઈએ. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.