એમેઝોનના માલિક જેફ બેઝોસે લોકોને ટીવી, ફ્રિઝ અને કાર ન ખરીદવા આપી સલાહ જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-18 21:18:28


દુનિયામાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક નિષ્ણાતો આર્થિક મહામંદીની સંભાવનાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને અપીલ કરી છે કે વિશ્વમાં મંદી આવશે અને તે માટે લોકોએ તેમની પાસે પૈસા બચાવીને રાખવા જોઈએ. તેમણે તે પણ કહ્યું કે લોકો ટીવી-ફ્રિજ ખરીદવાની જગ્યાએ આર્થિંક મંદીનો સામનો કરવા માટે રોકડ રકમ બચાવીને રાખે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે લોકોને ખર્ચ ઘટાડવા અને બચત વધારવાની સલાહ આપી દીધી છે. 


જેફ બેઝોસે લોકોને શું અપીલ કરી?


જેફ બેઝોસે લોકોને આગામી તહેવારોની સીઝનમાં રોકડ બચાવવા અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ન કરવા જણાવ્યું છે. અમેરિકા-યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના જોખમો દેખાઈ રહ્યા છે. આ કારણથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસે લોકોને આ સલાહ આપી છે.


તેમણે કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરના લોકોએ આવનારા સમયમાં મોટી ખરીદી ન કરવી જોઈએ. તમે નવું ફ્રિજ-ટીવી કે કાર ખરીદવા જેવી બાબતો મુલતવી રાખીને પૈસા બચાવી શકો છો. આર્થિક મંદીના મુશ્કેલ સમયમાં આ પૈસા તમારા માટે ઉપયોગી થશે.


જેફ બેઝોસે કહ્યું, "જો તમે એકલા રહો છો અને તમે મોટા સ્ક્રીન ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારે રાહ જોવાની જરૂર છે. આર્થિક મંદીના જોખમોને ધ્યાનમાં રાખીને, તમારે પૈસા બચાવવા જોઈએ અને આવનારા મુશ્કેલ સમય માટે. "તૈયાર રહેવું પડશે."



અમેરિકા પર તોળાઈ રહી છે મંદી


અમેરિકામાં આર્થિક મંદીની સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. જો દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત બે મહિના સુધી નેગેટિવ નોંધાય તો તે ટેકનિકલ રીતે મંદી મનાય છે. અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી નેગેટીવ ગ્રોથ રેટ નોંધાવી રહી છે. આ કારણે જ નિષ્ણાતોનું કહેનું છે કે અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોનના સ્થાપકે નાના ઉદ્યોગપતિઓએ પણ બિઝનેશનો વિસ્તાર નહીં કરવો જોઈએ. ધંધો વધારવા કરતા MSMEએ રોકડ પોતાની પાસે રાખવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે ઉદ્યોગપતિઓએ જેટલું બની શકે તેટલું જોખમ ટાળવું જોઈએ. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.