અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે હવે દાંતાનો રાજવી પરિવાર મેદાને, હાઈકોર્ટમાં PILની આપી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-13 20:40:50

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ વહેંચવાનું શરૂ કરતા શ્રધ્ધાળુંઓને આઘાત લાગ્યો છે. આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસની સાથે-સાથે વિશ્વ હિંદુ પરીષદે પણ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. જો કે તેમ છતાં પણ સરકારે આ મુદ્દે જીદ્દી વલણ અપનાવ્યું છે. હવે પ્રસાદ મામલે દાંતાનો રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો છે. 


શું કહ્યું દાંતાના રાજવીએ?


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા આજે દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે. રાજવી પરિવાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, અંબાજી મંદિરમાં હજારો વર્ષોથી મોહનથાળ પ્રસાદ ચાલુ છે. ત્યારે અંબાજી મંદિરમાં એકાએક મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કરવામાં આવ્યો છે. તે સમજાતું નથી અને આ બાબતને લઈને અમો હાઇકોર્ટમાં પણ જવા તૈયાર છીએ.


પ્રસાદ મુદ્દે સરકારનું જીદ્દી વલણ


મોહનથાળના પ્રસાદ બંધ મામલે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે શ્રદ્ધાળુની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક - સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે. જેઓ પોતાના વતનમાં 'મા અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી માગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.