અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે હવે દાંતાનો રાજવી પરિવાર મેદાને, હાઈકોર્ટમાં PILની આપી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-13 20:40:50

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ વહેંચવાનું શરૂ કરતા શ્રધ્ધાળુંઓને આઘાત લાગ્યો છે. આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસની સાથે-સાથે વિશ્વ હિંદુ પરીષદે પણ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. જો કે તેમ છતાં પણ સરકારે આ મુદ્દે જીદ્દી વલણ અપનાવ્યું છે. હવે પ્રસાદ મામલે દાંતાનો રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો છે. 


શું કહ્યું દાંતાના રાજવીએ?


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા આજે દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે. રાજવી પરિવાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, અંબાજી મંદિરમાં હજારો વર્ષોથી મોહનથાળ પ્રસાદ ચાલુ છે. ત્યારે અંબાજી મંદિરમાં એકાએક મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કરવામાં આવ્યો છે. તે સમજાતું નથી અને આ બાબતને લઈને અમો હાઇકોર્ટમાં પણ જવા તૈયાર છીએ.


પ્રસાદ મુદ્દે સરકારનું જીદ્દી વલણ


મોહનથાળના પ્રસાદ બંધ મામલે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે શ્રદ્ધાળુની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક - સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે. જેઓ પોતાના વતનમાં 'મા અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી માગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.