અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે હવે દાંતાનો રાજવી પરિવાર મેદાને, હાઈકોર્ટમાં PILની આપી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-13 20:40:50

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ વહેંચવાનું શરૂ કરતા શ્રધ્ધાળુંઓને આઘાત લાગ્યો છે. આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસની સાથે-સાથે વિશ્વ હિંદુ પરીષદે પણ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. જો કે તેમ છતાં પણ સરકારે આ મુદ્દે જીદ્દી વલણ અપનાવ્યું છે. હવે પ્રસાદ મામલે દાંતાનો રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો છે. 


શું કહ્યું દાંતાના રાજવીએ?


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા આજે દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે. રાજવી પરિવાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, અંબાજી મંદિરમાં હજારો વર્ષોથી મોહનથાળ પ્રસાદ ચાલુ છે. ત્યારે અંબાજી મંદિરમાં એકાએક મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કરવામાં આવ્યો છે. તે સમજાતું નથી અને આ બાબતને લઈને અમો હાઇકોર્ટમાં પણ જવા તૈયાર છીએ.


પ્રસાદ મુદ્દે સરકારનું જીદ્દી વલણ


મોહનથાળના પ્રસાદ બંધ મામલે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે શ્રદ્ધાળુની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક - સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે. જેઓ પોતાના વતનમાં 'મા અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી માગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.