અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા માતાના દર્શન, મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:24:05

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દેશના 51 શક્તિપીઠોમાં અંબાજી  શક્તિપીઠનું સૌથી અગત્યનું સ્થાન છે. ભાદરવી પૂનમનો મેળો માણવા અને મા અંબાના દર્શન માટે 05 સપ્ટેમ્બરથી જ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળાના પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે. તેમજ આ પાંચ દિવસમાં 20 લાખથી પણ વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા છે. તેમજ 2.44 લાખ યાત્રિકોએ નિશુલ્ક ભોજનનો લાભ લીધો છે. જ્યારે 14 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓને પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે.


કોરોના મહામારી બાદ બે વર્ષે યોજાયો મેળો


વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. જોકે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે તેથી ભાવિક ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. લાખો પદયાત્રીઓ વિવિધ સંઘો સાથે અંબાજી પહોંચી રહ્યા છે.



શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો


ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ છે કે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસના નવરાત્રીનો પ્રારંભ થાય છે. નવરાત્રિ નિમિત્તે ભક્તો માં અંબાને પોતાના ગામ પરત ફરવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઇ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. જે ઉપરાંત અને પગપાળા લોકો ગરબો લઈ મા ના દ્વાર સુધી આવે છે.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.