અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, શ્રધ્ધાળુંઓએ દાનની સરવાણી વહાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 14:54:31

દેશનાં 51 શક્તિપીઠ પૈકીના અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માં અંબાનાં દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો માઈભક્તો મુશ્કેલ પદયાત્રા કરી અંબાજીમાં ઉમટી પડયા છે. જયમાં અંબેના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. લાખોની સંખ્યામાં ભક્તોએ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી. બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઇભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. 


અંબાજીમાં ઉમટ્યો માનવ મહેરામણ


પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી રહ્યા છે. એક અનુમાન મુજબ છેલ્લા પાંચ દિવસમાં 20 લાખ કરતા વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. આ મહાકુંભમાં ભાગ લેવા ખાસ દેશ-વિદેશથી અહીં અંબાજી દર્શને પહોંચ્યા હતા. શ્રધ્ધાળુંઓએ મા અંબાના દર્શન કરી માતા પ્રત્યેની સંવેદનાઓ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. હાલના આ મહાકુંભમાં એક અંદાજ મુજબ 30 લાખ યાત્રિકો પૂનમ સુધીમાં મા અંબાના ધામમાં ચાલતા અને વિવિધ સંઘો લઇ ધ્વજારોહણ કર્યું હતું. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 


શ્રધ્ધાળુંઓએ દાનપેટીઓ છલકાવી


અંબાજી મહાકુંભમાંમાં આવેલા  લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં ખુલ્લા હાથે દાન કરતા દાનપેટીઓ છલકાઈ છે. અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો અંબાજીમાં અંદાજિત 4 કરોડ 41 લાખથી વધુની રકમથી ભંડારો છલકાયો છે. દાનપેટીમાં આવેલી રકમને 10,20 અને 50 તેમજ 100 અને 500 તેમજ 2000ની નોટોને અલગ તારવી તેના બંડલ બનાવાયા છે. અંબાજીમાં આવતા ભક્તોના દાનની ગણતરી અંબાજી મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સીસીટીવી કેમેરા સામે કરે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .