અંબાજીમાં શ્રધ્ધાળુંઓને રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક આપવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-08 21:22:59

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના કારણે માઈ ભક્તોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે હવે સરકાર દ્વારા રૂપિયાથી વેચવામાં આવતા ચીકીના પ્રસાદ સામે લોકભાગીદારીથી મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક વહેંચવાની જાહેરાત સમસ્ત બ્રહ્મ સમાજે કરી છે. આજે ધૂળેટીના પવિત્ર તહેવારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અંબાજી મંદિરમાં છેલ્લા 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. 


નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ 


બ્રહ્મસમાજ અને ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો તથા સર્વસમાજના દાતાઓના સહકારથી અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે. બ્રહ્મસમાજ આજથી અંબાજીમાં નિઃશુલ્ક ચોખ્ખા ઘી પ્રસાદ વિતરણ કરશે. આ અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી હેમાંગ રાવલે જાણકારી આપી હતી. સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.  



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.