અંબાજીમાં શ્રધ્ધાળુંઓને રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક આપવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-08 21:22:59

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના કારણે માઈ ભક્તોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે હવે સરકાર દ્વારા રૂપિયાથી વેચવામાં આવતા ચીકીના પ્રસાદ સામે લોકભાગીદારીથી મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક વહેંચવાની જાહેરાત સમસ્ત બ્રહ્મ સમાજે કરી છે. આજે ધૂળેટીના પવિત્ર તહેવારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અંબાજી મંદિરમાં છેલ્લા 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. 


નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ 


બ્રહ્મસમાજ અને ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો તથા સર્વસમાજના દાતાઓના સહકારથી અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે. બ્રહ્મસમાજ આજથી અંબાજીમાં નિઃશુલ્ક ચોખ્ખા ઘી પ્રસાદ વિતરણ કરશે. આ અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી હેમાંગ રાવલે જાણકારી આપી હતી. સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.