હિંદુવાદી સરકારનો નિર્ણય, અંબાજીમાં ચિકીનો પ્રસાદ જ રહેશે, સરકાર ઇગો પર આવી?


  • Published By :
  • Published Date : 2023-03-12 17:41:21

ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે ગુજરાત સરકાર ઈગો પર આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ચિકીના પ્રસાદનો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર લોકોની લાગણીનો અનાદર કરી રહી છે. જીદ પર આવેલી રાજ્યની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિરમાં માઈ ભક્તોને હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. સરકારની આ ઘોષણા સાથે જ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુંઓએ ભારે આઘાતની લાગણી અનુભવી છે.


હિંદુવાદી સરકારનો નિર્ણય 


રાજ્યની ભાજપની સરકાર આમ તો હિંદુત્વવાદી મનાય છે, જો  કે અંબાજી મંદિરમાં સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને વિશેષ આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે ચિકીના પ્રસાદનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું ભલે કહ્યું હોય પણ મંદિર ટ્ર્સ્ટ સરકારથી ઉપરવટ જઇને કોઈ નિર્ણય કરી જ ન શકે. સરકારે પોતાનો નિર્ણય મંદિર  ટ્રસ્ટ પર થોપ્યો છે. 


કૉંગ્રેસે કર્યો હતો વિરોધ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજ્યમાં સામાન્ય લોકોની સાથે-સાથે કૉંગ્રેસ પાર્ટી પણ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


VHPના અંબાજીમાં ધરણા


હિંદુવાદી સંગઠન વિશ્વ હિંદુ પરીષદે (VHP)એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયના વિરોધમાં અંબાજીમાં ઘરણા-પ્રદર્શનો કર્યા હતા. VHPએ શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.