હિંદુવાદી સરકારનો નિર્ણય, અંબાજીમાં ચિકીનો પ્રસાદ જ રહેશે, સરકાર ઇગો પર આવી?


  • Published By :
  • Published Date : 2023-03-12 17:41:21

ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે ગુજરાત સરકાર ઈગો પર આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ચિકીના પ્રસાદનો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર લોકોની લાગણીનો અનાદર કરી રહી છે. જીદ પર આવેલી રાજ્યની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિરમાં માઈ ભક્તોને હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. સરકારની આ ઘોષણા સાથે જ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુંઓએ ભારે આઘાતની લાગણી અનુભવી છે.


હિંદુવાદી સરકારનો નિર્ણય 


રાજ્યની ભાજપની સરકાર આમ તો હિંદુત્વવાદી મનાય છે, જો  કે અંબાજી મંદિરમાં સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને વિશેષ આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે ચિકીના પ્રસાદનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું ભલે કહ્યું હોય પણ મંદિર ટ્ર્સ્ટ સરકારથી ઉપરવટ જઇને કોઈ નિર્ણય કરી જ ન શકે. સરકારે પોતાનો નિર્ણય મંદિર  ટ્રસ્ટ પર થોપ્યો છે. 


કૉંગ્રેસે કર્યો હતો વિરોધ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજ્યમાં સામાન્ય લોકોની સાથે-સાથે કૉંગ્રેસ પાર્ટી પણ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


VHPના અંબાજીમાં ધરણા


હિંદુવાદી સંગઠન વિશ્વ હિંદુ પરીષદે (VHP)એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયના વિરોધમાં અંબાજીમાં ઘરણા-પ્રદર્શનો કર્યા હતા. VHPએ શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે