આગામી 23થી 26 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદની અંબાલાલ પટેલની અગાહી, છેલ્લા 24 કલાકમાં 128 તાલુકાઓમાં વરસાદ


  • Published By :
  • Published Date : 2023-07-16 11:30:30

રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અન્ય ભાગોમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. જે મુજબ કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસી શકે છે. અન્ય સિસ્ટમ સર્જાયા બાદ 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે. ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થશે. ભારે વરસાદ માટે મજબુત સિસ્ટમ હોવી જોઈએ. હવે મજબુત સિસ્ટમ આવી રહી છે. એક પછી એક સિસ્ટમ જુલાઈના અંત સુધી ચાલતી રહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ તરબોડ કરી દેશે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈના અંત સુધી વરસાદ થશે. પરંતુ ઓગસ્ટ મહિનમાં પણ એક પછી એક સિસ્ટમ આવશે અને તેના કારણે પણ વરસાદ થશે. આગામી 17 થી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. ખાસ કરીને કોસ્ટલ એરિયામાં અત્યંત ભારે વરસાદ રહેશે.


આગામી 2 દિવસ બાદ ફરી મેઘમહેર 


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન  દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યા પ્રમાણે ત્રણ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ એક્ટિવેટ થવાની માહિતી આપીને જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમના કારણે 18, 19, 20 અને 21 તારીખે વરસાદ રહેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો. તે જ રીતે આ રાઉન્ડમાં પણ રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


128 તાલુકાઓમાં વરસાદ


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ રાજ્યમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. જેમાં પાછલા 24 કલાકમાં (15 જુલાઈના સવારના 6 વાગ્યાથી 16 જુલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં) 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં વરસાદ નોંધાયો છે. પાછલા 24 કલાકમાં ત્રણ તાલુકાઓ એવા છે કે જ્યાં 100mm કરતા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે પાંચ તાલુકાઓમાં 50mm કરતા વધુ વરસાદ નોંધાયો છે.


કયા જિલ્લામાં કેટલો વરસાદ


રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.8 ઈંચ વરસાદ થયો છે. આ પછી છોટાઉદેપુર તાલુકામાં 4.8 ઈંચ  વરસાદ થયો છે, જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં 4.1 ઈંચ વરસાદ થયો છે. આમ કુલ ત્રણ તાલુકાઓમાં 100mm કરતા વધારે વરસાદ થયો છે. આ સિવાય પંચમહાલના ગોધરા  81mm , ખેડાના વાસોમાં  78mm, છોટાઉદેપુરના બોડેલી  58mm, મહીસાગરના વીરપુર 56mm, નર્મદાના દેડિયાપાડા 51mmમાં 50mm કરતા વધારે વરસાદ નોંધાયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.