વાવાઝોડાને હળવાશથી ન લો, ચક્રવાતની અસરો વિનાશક હશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-12 13:16:27

બિપોરજોય વાવાઝોડાની વિનાશકતાને કારણે રાજ્યમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ  પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે પણ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી.પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. 


કેટલું ખતરનાક હશે વાવાઝોડું?


બિપોરજોય વાવાઝોડાની વિનાશક અસરો અંગે અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભયાનક અસર થશે. આજથી 2 દિવસ જોરદાર પવન ફુંકાશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડાના કારણે જાનમાલના નુકસાનની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.


ભારે પવન ફૂંકાશે કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી  ગુજરાતના દરિયાકાંઠા લગાવવામાં આવેલા ભયજનક સિગ્નલ જ વાવાઝોડું કેટલું ગંભીર છે તે સૂચવે છે. દરિયા કિનારે ખતરો વધારે છે. જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા રહેશે. આજથી જ ગુજરાતના વિવિધ ભાગો જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર-મધ્યના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત આંધી ચાલશે. જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.


કચ્છમાં   13 જૂન થી 15 જૂન શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.