વાવાઝોડાને હળવાશથી ન લો, ચક્રવાતની અસરો વિનાશક હશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-12 13:16:27

બિપોરજોય વાવાઝોડાની વિનાશકતાને કારણે રાજ્યમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ  પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે પણ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી.પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. 


કેટલું ખતરનાક હશે વાવાઝોડું?


બિપોરજોય વાવાઝોડાની વિનાશક અસરો અંગે અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભયાનક અસર થશે. આજથી 2 દિવસ જોરદાર પવન ફુંકાશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડાના કારણે જાનમાલના નુકસાનની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.


ભારે પવન ફૂંકાશે કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી  ગુજરાતના દરિયાકાંઠા લગાવવામાં આવેલા ભયજનક સિગ્નલ જ વાવાઝોડું કેટલું ગંભીર છે તે સૂચવે છે. દરિયા કિનારે ખતરો વધારે છે. જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા રહેશે. આજથી જ ગુજરાતના વિવિધ ભાગો જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર-મધ્યના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત આંધી ચાલશે. જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.


કચ્છમાં   13 જૂન થી 15 જૂન શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.