વાવાઝોડાને હળવાશથી ન લો, ચક્રવાતની અસરો વિનાશક હશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-12 13:16:27

બિપોરજોય વાવાઝોડાની વિનાશકતાને કારણે રાજ્યમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ  પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે પણ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી.પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. 


કેટલું ખતરનાક હશે વાવાઝોડું?


બિપોરજોય વાવાઝોડાની વિનાશક અસરો અંગે અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભયાનક અસર થશે. આજથી 2 દિવસ જોરદાર પવન ફુંકાશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડાના કારણે જાનમાલના નુકસાનની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.


ભારે પવન ફૂંકાશે કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી  ગુજરાતના દરિયાકાંઠા લગાવવામાં આવેલા ભયજનક સિગ્નલ જ વાવાઝોડું કેટલું ગંભીર છે તે સૂચવે છે. દરિયા કિનારે ખતરો વધારે છે. જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા રહેશે. આજથી જ ગુજરાતના વિવિધ ભાગો જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર-મધ્યના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત આંધી ચાલશે. જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.


કચ્છમાં   13 જૂન થી 15 જૂન શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .