અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-25 21:30:06

રાજ્યમાં ફરી એક વખત માવઠાની સ્થિતી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. રાજ્યમાં એક તરફ ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઠંડા પવનના કારણે ઠંડી વધશે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 29 ડિસેમ્બરે અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે જેના પરિણામે આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રના કેટલાંક ભાગો તેમજ મુંબઈ અને ગોવાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરને કારણે પૂર્વીય વિસ્તાર અને છત્તીસગઢમાં હવામાં પલટો આવી શકે છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભાવના છે.


30મી ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે


જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ દેશના ઘણાં વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે.આ ઉપરાંત ગાત્રો થીજવતી ઠંડીમાં ધીમે ધીમે વધશે. 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જ્યારે 30મી ડિસેમ્બરે હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો 11મી જાન્યુઆરી તેમજ 24મી જાન્યુઆરીએ ઠંડા પવન ફુંકાશે. ઉતરાયણ પૂર્વ વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.