અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-25 21:30:06

રાજ્યમાં ફરી એક વખત માવઠાની સ્થિતી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. રાજ્યમાં એક તરફ ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઠંડા પવનના કારણે ઠંડી વધશે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 29 ડિસેમ્બરે અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે જેના પરિણામે આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રના કેટલાંક ભાગો તેમજ મુંબઈ અને ગોવાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરને કારણે પૂર્વીય વિસ્તાર અને છત્તીસગઢમાં હવામાં પલટો આવી શકે છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભાવના છે.


30મી ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે


જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ દેશના ઘણાં વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે.આ ઉપરાંત ગાત્રો થીજવતી ઠંડીમાં ધીમે ધીમે વધશે. 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જ્યારે 30મી ડિસેમ્બરે હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો 11મી જાન્યુઆરી તેમજ 24મી જાન્યુઆરીએ ઠંડા પવન ફુંકાશે. ઉતરાયણ પૂર્વ વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.